ઘટતા મતદાને ચિંતા વધારી, શહેરી મતદારો આટલા ઉદાસીન શા માટે? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-04 17:50:33

રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ એક બાબતથી ખુબ ચિંતિત છે કે ગુજરાત હોય કે હિમાચલ પણ દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટી રહ્યું છે. લોકોને જાણે મતદાનમાં રસ જ રહ્યો નથી. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રત્યે એક પ્રકારની ઘૃણા લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શહેરી ઉદાસીનતા હિમાચલ પ્રદેશમાં જોવા મળેલા વલણની યાદ અપાવે છે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. તેના શહેરી શિમલા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યની સરેરાશ 75.6%ની સરખામણીમાં સૌથી ઓછું 62.5% મતદાન નોંધાયું છે.


ગુજરાતના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું


1 ડિસેમ્બરે ગુજરાતના શહેરી 26 મતવિસ્તારોની યાદીમાં એક પણ શહેરી વિધાનસભા મતવિસ્તારનો આંકડો નથી કે જ્યાં 63.3% થી વધુ મતદાન નોંધાયું હોય. જેમ  કે સુરત, રાજકોટ અને જામનગર - ગુજરાતના તમામ શહેરોમાં રાજ્યની સરેરાશ 63.3% કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે. દસ જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અન્ય છ જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચે પણ ગ્રામીણ અને શહેરી મતદાનમાં તફાવતને પણ પ્રકાશિત કર્યો છે. જેમ કે “ગ્રામીણ અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનના મતદાનમાં સ્પષ્ટ તફાવત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામીણ મતવિસ્તારમાં સરખામણી કરીએ તો મતદાર મતદાનનું અંતર 34.85% જેટલું પહોળું છે,જેમ કે ડેડિયાપાડામાં 82.71% નોંધાયું તો કચ્છ જિલ્લાના શહેરી ગાંધીધામમાં 47.86% મતદાન થયું હતું. તેનો મતલબ એ કે શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં ઓછું થયું છે.”


શહેરી બેઠકો પર કેટલું ઘટ્યું મતદાન?


વિધાનસભા સીટ   2017નું મતદાન      2022નું મતદાન


ગાંધીધામ                54.20 ટકા              47.86 ટકા


રાજકોટ પૂર્વ             66.98                        62.20

 

રાજકોટ પશ્ચિમ        67.68                         57.12


રાજકોટ દક્ષિણ       64.28                          58.99


જામનગર દક્ષિણ     63.96                          57.27


જામનગર ઉત્તર        64.61                          57.82

 

જૂનાગઢ                 59.53                         55.82


સુરત ઉત્તર             63.96                         59.24


વરાછા રોડ           62.95                         56.38


કરંજ                    55.91                         50.54


લિંબાયત              65.51                        58.53


ઉધના                  60.66                        54.87


મજુરા                  61.96                        58.07


સુરત પશ્ચિમ         67.37                        62.92


ચોર્યાસી               61.10                       56.86



શા માટે ઘટી રહ્યું છે મતદાન


દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટવાનું કારણ લોકોમાં રાજકારણીઓ પ્રત્યેની નફરતને માનવામાં આવે છે. મતદારો તમામ પાર્ટીઓના નેતાઓથી નિરાશ છે, તેમની મુળભુત જરૂરીયાતો સંતોષાતી નથી, તે ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના સળગતા સવાલોનું  કોઈ સમાધાન જોવા ન મળતા આજનો મતદાર ઘોર નિરાશ છે જેના કારણે તે મતદાન કરવાનું ટાળી રહ્યો છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.