ઘટતા મતદાને ચિંતા વધારી, શહેરી મતદારો આટલા ઉદાસીન શા માટે? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-04 17:50:33

રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ એક બાબતથી ખુબ ચિંતિત છે કે ગુજરાત હોય કે હિમાચલ પણ દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટી રહ્યું છે. લોકોને જાણે મતદાનમાં રસ જ રહ્યો નથી. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રત્યે એક પ્રકારની ઘૃણા લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શહેરી ઉદાસીનતા હિમાચલ પ્રદેશમાં જોવા મળેલા વલણની યાદ અપાવે છે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. તેના શહેરી શિમલા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યની સરેરાશ 75.6%ની સરખામણીમાં સૌથી ઓછું 62.5% મતદાન નોંધાયું છે.


ગુજરાતના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું


1 ડિસેમ્બરે ગુજરાતના શહેરી 26 મતવિસ્તારોની યાદીમાં એક પણ શહેરી વિધાનસભા મતવિસ્તારનો આંકડો નથી કે જ્યાં 63.3% થી વધુ મતદાન નોંધાયું હોય. જેમ  કે સુરત, રાજકોટ અને જામનગર - ગુજરાતના તમામ શહેરોમાં રાજ્યની સરેરાશ 63.3% કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે. દસ જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અન્ય છ જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચે પણ ગ્રામીણ અને શહેરી મતદાનમાં તફાવતને પણ પ્રકાશિત કર્યો છે. જેમ કે “ગ્રામીણ અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનના મતદાનમાં સ્પષ્ટ તફાવત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામીણ મતવિસ્તારમાં સરખામણી કરીએ તો મતદાર મતદાનનું અંતર 34.85% જેટલું પહોળું છે,જેમ કે ડેડિયાપાડામાં 82.71% નોંધાયું તો કચ્છ જિલ્લાના શહેરી ગાંધીધામમાં 47.86% મતદાન થયું હતું. તેનો મતલબ એ કે શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં ઓછું થયું છે.”


શહેરી બેઠકો પર કેટલું ઘટ્યું મતદાન?


વિધાનસભા સીટ   2017નું મતદાન      2022નું મતદાન


ગાંધીધામ                54.20 ટકા              47.86 ટકા


રાજકોટ પૂર્વ             66.98                        62.20

 

રાજકોટ પશ્ચિમ        67.68                         57.12


રાજકોટ દક્ષિણ       64.28                          58.99


જામનગર દક્ષિણ     63.96                          57.27


જામનગર ઉત્તર        64.61                          57.82

 

જૂનાગઢ                 59.53                         55.82


સુરત ઉત્તર             63.96                         59.24


વરાછા રોડ           62.95                         56.38


કરંજ                    55.91                         50.54


લિંબાયત              65.51                        58.53


ઉધના                  60.66                        54.87


મજુરા                  61.96                        58.07


સુરત પશ્ચિમ         67.37                        62.92


ચોર્યાસી               61.10                       56.86



શા માટે ઘટી રહ્યું છે મતદાન


દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટવાનું કારણ લોકોમાં રાજકારણીઓ પ્રત્યેની નફરતને માનવામાં આવે છે. મતદારો તમામ પાર્ટીઓના નેતાઓથી નિરાશ છે, તેમની મુળભુત જરૂરીયાતો સંતોષાતી નથી, તે ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના સળગતા સવાલોનું  કોઈ સમાધાન જોવા ન મળતા આજનો મતદાર ઘોર નિરાશ છે જેના કારણે તે મતદાન કરવાનું ટાળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.