ઘટતા મતદાને ચિંતા વધારી, શહેરી મતદારો આટલા ઉદાસીન શા માટે? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-04 17:50:33

રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ એક બાબતથી ખુબ ચિંતિત છે કે ગુજરાત હોય કે હિમાચલ પણ દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટી રહ્યું છે. લોકોને જાણે મતદાનમાં રસ જ રહ્યો નથી. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રત્યે એક પ્રકારની ઘૃણા લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શહેરી ઉદાસીનતા હિમાચલ પ્રદેશમાં જોવા મળેલા વલણની યાદ અપાવે છે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. તેના શહેરી શિમલા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યની સરેરાશ 75.6%ની સરખામણીમાં સૌથી ઓછું 62.5% મતદાન નોંધાયું છે.


ગુજરાતના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું


1 ડિસેમ્બરે ગુજરાતના શહેરી 26 મતવિસ્તારોની યાદીમાં એક પણ શહેરી વિધાનસભા મતવિસ્તારનો આંકડો નથી કે જ્યાં 63.3% થી વધુ મતદાન નોંધાયું હોય. જેમ  કે સુરત, રાજકોટ અને જામનગર - ગુજરાતના તમામ શહેરોમાં રાજ્યની સરેરાશ 63.3% કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે. દસ જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અન્ય છ જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચે પણ ગ્રામીણ અને શહેરી મતદાનમાં તફાવતને પણ પ્રકાશિત કર્યો છે. જેમ કે “ગ્રામીણ અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનના મતદાનમાં સ્પષ્ટ તફાવત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામીણ મતવિસ્તારમાં સરખામણી કરીએ તો મતદાર મતદાનનું અંતર 34.85% જેટલું પહોળું છે,જેમ કે ડેડિયાપાડામાં 82.71% નોંધાયું તો કચ્છ જિલ્લાના શહેરી ગાંધીધામમાં 47.86% મતદાન થયું હતું. તેનો મતલબ એ કે શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં ઓછું થયું છે.”


શહેરી બેઠકો પર કેટલું ઘટ્યું મતદાન?


વિધાનસભા સીટ   2017નું મતદાન      2022નું મતદાન


ગાંધીધામ                54.20 ટકા              47.86 ટકા


રાજકોટ પૂર્વ             66.98                        62.20

 

રાજકોટ પશ્ચિમ        67.68                         57.12


રાજકોટ દક્ષિણ       64.28                          58.99


જામનગર દક્ષિણ     63.96                          57.27


જામનગર ઉત્તર        64.61                          57.82

 

જૂનાગઢ                 59.53                         55.82


સુરત ઉત્તર             63.96                         59.24


વરાછા રોડ           62.95                         56.38


કરંજ                    55.91                         50.54


લિંબાયત              65.51                        58.53


ઉધના                  60.66                        54.87


મજુરા                  61.96                        58.07


સુરત પશ્ચિમ         67.37                        62.92


ચોર્યાસી               61.10                       56.86



શા માટે ઘટી રહ્યું છે મતદાન


દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટવાનું કારણ લોકોમાં રાજકારણીઓ પ્રત્યેની નફરતને માનવામાં આવે છે. મતદારો તમામ પાર્ટીઓના નેતાઓથી નિરાશ છે, તેમની મુળભુત જરૂરીયાતો સંતોષાતી નથી, તે ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના સળગતા સવાલોનું  કોઈ સમાધાન જોવા ન મળતા આજનો મતદાર ઘોર નિરાશ છે જેના કારણે તે મતદાન કરવાનું ટાળી રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.