ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ અધધધ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ


  • Published By :
  • Published Date : 2022-11-07 18:10:56

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે. 


બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા 


રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચના અંદાજ મુજબ આ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પાછળ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગુજરાત સરકારે તેના 2022–23ના બજેટમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજીત 387 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે સરકારે ત્યારે બજેટમાં માત્ર 250 કરોડ જ ફાળવ્યા હતા. તે જ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણીમાં અનુમાનિત બજેટ ફાળવણી 175 કરોડ રૂપિયા કરતા ચૂંટણી ખર્ચ વધું થયો હતો. 


શા માટે ખર્ચ ચૂંટણી ખર્ચ વધ્યો?


વિધાન સભાની ચૂંટણી બે તબક્કામાં થવાની હોવાથી સ્ટાફનું મહેંતાણું, લોઝીસ્ટીક અને વાહન ખર્ચ, મતમથકો અને પોલીંગ બુથની સંખ્યા વધવાથી ચૂંટણી ખર્ચ વધે તેવું અનુમાન છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.