ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ અધધધ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ


  • Published By :
  • Published Date : 2022-11-07 18:10:56

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે. 


બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા 


રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચના અંદાજ મુજબ આ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પાછળ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગુજરાત સરકારે તેના 2022–23ના બજેટમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજીત 387 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે સરકારે ત્યારે બજેટમાં માત્ર 250 કરોડ જ ફાળવ્યા હતા. તે જ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણીમાં અનુમાનિત બજેટ ફાળવણી 175 કરોડ રૂપિયા કરતા ચૂંટણી ખર્ચ વધું થયો હતો. 


શા માટે ખર્ચ ચૂંટણી ખર્ચ વધ્યો?


વિધાન સભાની ચૂંટણી બે તબક્કામાં થવાની હોવાથી સ્ટાફનું મહેંતાણું, લોઝીસ્ટીક અને વાહન ખર્ચ, મતમથકો અને પોલીંગ બુથની સંખ્યા વધવાથી ચૂંટણી ખર્ચ વધે તેવું અનુમાન છે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.