ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ અધધધ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ


  • Published By :
  • Published Date : 2022-11-07 18:10:56

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે. 


બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા 


રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચના અંદાજ મુજબ આ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પાછળ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગુજરાત સરકારે તેના 2022–23ના બજેટમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજીત 387 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે સરકારે ત્યારે બજેટમાં માત્ર 250 કરોડ જ ફાળવ્યા હતા. તે જ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણીમાં અનુમાનિત બજેટ ફાળવણી 175 કરોડ રૂપિયા કરતા ચૂંટણી ખર્ચ વધું થયો હતો. 


શા માટે ખર્ચ ચૂંટણી ખર્ચ વધ્યો?


વિધાન સભાની ચૂંટણી બે તબક્કામાં થવાની હોવાથી સ્ટાફનું મહેંતાણું, લોઝીસ્ટીક અને વાહન ખર્ચ, મતમથકો અને પોલીંગ બુથની સંખ્યા વધવાથી ચૂંટણી ખર્ચ વધે તેવું અનુમાન છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .