વિરમગામમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી, શહેરમાં વિરોધ કરતા પોસ્ટરો લગાવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-12-04 14:01:52

પાટીદાર આંદોલનના હિરો રહેલા હાર્દિક પટેલ હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિરમગામ સીટ પરથી વિધાનસભાની  ચૂંટણી રહેલા હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી છે. જો કે તેમણે જ્યાંરથી ઉમેદવારી પત્ર ભર્યું તે સમયથી જ સ્થાનિક લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. આજે પણ વિરમગામમાં ઠેર-ઠેર તેમની સામે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


વિરમગામમાં 'હાર્દિક' સ્વાગત કેમ નહીં? 


વિરમગામમાં હાર્દિક પટેલનો સ્થાનિક લોકો તો ઠીક પણ ભાજપના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ હાર્દિકને ટિકિટ ન આપવા માટે સ્થાનિક સંગઠને ભાજપ હાઈકમાનને વિનંતી કરી હતી. હાર્દિક પટેલ સામે પાર્ટીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે જ હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?' જેવા લખાણ ખાસ સુચક છે. 


વિરમગામમાં ત્રિપાંખિયો જંગ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો કેટલા સ્વીકારે છે તે તો 8 તારીખે અટલે કે પરિણામના દિવસે જ ખબર પડશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.