વિરમગામમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી, શહેરમાં વિરોધ કરતા પોસ્ટરો લગાવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-12-04 14:01:52

પાટીદાર આંદોલનના હિરો રહેલા હાર્દિક પટેલ હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિરમગામ સીટ પરથી વિધાનસભાની  ચૂંટણી રહેલા હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી છે. જો કે તેમણે જ્યાંરથી ઉમેદવારી પત્ર ભર્યું તે સમયથી જ સ્થાનિક લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. આજે પણ વિરમગામમાં ઠેર-ઠેર તેમની સામે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


વિરમગામમાં 'હાર્દિક' સ્વાગત કેમ નહીં? 


વિરમગામમાં હાર્દિક પટેલનો સ્થાનિક લોકો તો ઠીક પણ ભાજપના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ હાર્દિકને ટિકિટ ન આપવા માટે સ્થાનિક સંગઠને ભાજપ હાઈકમાનને વિનંતી કરી હતી. હાર્દિક પટેલ સામે પાર્ટીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે જ હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?' જેવા લખાણ ખાસ સુચક છે. 


વિરમગામમાં ત્રિપાંખિયો જંગ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો કેટલા સ્વીકારે છે તે તો 8 તારીખે અટલે કે પરિણામના દિવસે જ ખબર પડશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.