વિરમગામમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી, શહેરમાં વિરોધ કરતા પોસ્ટરો લગાવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-12-04 14:01:52

પાટીદાર આંદોલનના હિરો રહેલા હાર્દિક પટેલ હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિરમગામ સીટ પરથી વિધાનસભાની  ચૂંટણી રહેલા હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી છે. જો કે તેમણે જ્યાંરથી ઉમેદવારી પત્ર ભર્યું તે સમયથી જ સ્થાનિક લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. આજે પણ વિરમગામમાં ઠેર-ઠેર તેમની સામે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


વિરમગામમાં 'હાર્દિક' સ્વાગત કેમ નહીં? 


વિરમગામમાં હાર્દિક પટેલનો સ્થાનિક લોકો તો ઠીક પણ ભાજપના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ હાર્દિકને ટિકિટ ન આપવા માટે સ્થાનિક સંગઠને ભાજપ હાઈકમાનને વિનંતી કરી હતી. હાર્દિક પટેલ સામે પાર્ટીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે જ હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?' જેવા લખાણ ખાસ સુચક છે. 


વિરમગામમાં ત્રિપાંખિયો જંગ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો કેટલા સ્વીકારે છે તે તો 8 તારીખે અટલે કે પરિણામના દિવસે જ ખબર પડશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.