ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે, ઓપિનિયન પોલ સર્વે શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-28 22:29:48

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતમાં સતત સાતમી જીત મેળવીને ઈતિહાસ રચે તેવું ઓપિનિયન પોલમાં જાણવા મળે છે. 1 ડિસેમ્બરે રાજ્યના પ્રથમ તબક્કામાં મતદાન થાય તે પહેલાંના બે અંતિમ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે. IndiaTV-Matrize અને ABP-CVoter Opinion Poll સોમવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર થાય છે જેમા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં 2017 માં વધુ સારો દેખાવ કરશે. 


IndiaTV-Matrize ઓપિનિયન પોલ


ઓપિનિયન પોલ અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ 117 બેઠકો સાથે સરળતાથી બહુમતી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 59 , AAP 4 તથા અપક્ષ 2 બેઠકો જીતી શકે છે. ભાજપે 2017માં 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે ત્યાં સુધી ભાજપને 49.9 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, AAPને 7.5 ટકા અને અન્યને 3.5 ટકા મતો મળી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો


કુલ 54 બેઠકોમાંથી 33 ભાજપ, કોંગ્રેસને 19, AAPને 2 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપને 48% વોટ શેર, કોંગ્રેસને 40%વોટ શેર, AAPને 11% વોટ શેર વોટ મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો 53 ટકા પછાત વર્ગ ભાજપને વોટ આપશે, 39 કોંગ્રેસને, 5 ટકા આપને પછાત વોટ મળશે. ભાજપને લેઉવા પટેલના  55 ટકા મતો મળશે. રાજ્યમાં સૌપ્રથમ વખત મત આપતા મતદારો પૈકીના 47 ટકા વોટર ભાજપને, 32 ટકા કોંગ્રેસના, 15 ટકા આપને મત આપશે.


મધ્યગુજરાત 54 ટકા વોટ શેર સાથે ભાજપને 43 બેઠકો આવશે, કોંગ્રેસને 17 સીટ આવશે, મધ્યગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે


દક્ષિણ ગુજરાતની ભાજપ 26, કોંગ્રેસ 6, આપ 2 સીટ, 50 ટકા વોટ ભાજપને જશે, 36 ટકા કોંગ્રેસ, 12 ટકા આપ, 2 ટકા અન્ય 


ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 17 જીતે છે 


મુસ્લીમ 10 ટકા મુસ્લીમ ભાજપને વોટ આપશે, 60 ટકા કોંગ્રેસને વોટ આપશે, 25 આપ, અન્ય 5%


ABP-CVoter ઓપિનિયન પોલ 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સી વોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે. 


ભાજપ 2/3 બહુમતીથી જીતશે, 134થી 142 સીટ મેળવશે, 45.9 ટકા વોટ શેર  (3 ટકા વોટ શેર ઘટશે)

કોંગ્રેસ 28-36 સીટ મેળવશે,  26.9 વોટ શેર (14 ટકા વોટ શેર ઘટશે)

આપને 7-15 સીટ આવશે, 21.2 ટકા વો ટશેર


મધ્ય ગુજરાત- 45-49 સીટ ભાજપ, કોંગ્રેસ 10-14, (ટોટલ 61 મધ્યુગજરાતની સીટ છે) 

ઉત્તર ગુજરાત ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 20-24 સીટ, કોંગ્રેસને 8-12 સીટ 

દક્ષિણ ગુજરાત- 27-31 સીટ ભાજપ, કોંગ્રેસ 8-12, (કુલ 35 વિધાનસભા છે)

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 38-42, કોંગ્રેસ 4-8, આપને 7-9 સીટ



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે