ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે, ઓપિનિયન પોલ સર્વે શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-28 22:29:48

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતમાં સતત સાતમી જીત મેળવીને ઈતિહાસ રચે તેવું ઓપિનિયન પોલમાં જાણવા મળે છે. 1 ડિસેમ્બરે રાજ્યના પ્રથમ તબક્કામાં મતદાન થાય તે પહેલાંના બે અંતિમ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે. IndiaTV-Matrize અને ABP-CVoter Opinion Poll સોમવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર થાય છે જેમા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં 2017 માં વધુ સારો દેખાવ કરશે. 


IndiaTV-Matrize ઓપિનિયન પોલ


ઓપિનિયન પોલ અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ 117 બેઠકો સાથે સરળતાથી બહુમતી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 59 , AAP 4 તથા અપક્ષ 2 બેઠકો જીતી શકે છે. ભાજપે 2017માં 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે ત્યાં સુધી ભાજપને 49.9 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, AAPને 7.5 ટકા અને અન્યને 3.5 ટકા મતો મળી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો


કુલ 54 બેઠકોમાંથી 33 ભાજપ, કોંગ્રેસને 19, AAPને 2 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપને 48% વોટ શેર, કોંગ્રેસને 40%વોટ શેર, AAPને 11% વોટ શેર વોટ મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો 53 ટકા પછાત વર્ગ ભાજપને વોટ આપશે, 39 કોંગ્રેસને, 5 ટકા આપને પછાત વોટ મળશે. ભાજપને લેઉવા પટેલના  55 ટકા મતો મળશે. રાજ્યમાં સૌપ્રથમ વખત મત આપતા મતદારો પૈકીના 47 ટકા વોટર ભાજપને, 32 ટકા કોંગ્રેસના, 15 ટકા આપને મત આપશે.


મધ્યગુજરાત 54 ટકા વોટ શેર સાથે ભાજપને 43 બેઠકો આવશે, કોંગ્રેસને 17 સીટ આવશે, મધ્યગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે


દક્ષિણ ગુજરાતની ભાજપ 26, કોંગ્રેસ 6, આપ 2 સીટ, 50 ટકા વોટ ભાજપને જશે, 36 ટકા કોંગ્રેસ, 12 ટકા આપ, 2 ટકા અન્ય 


ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 17 જીતે છે 


મુસ્લીમ 10 ટકા મુસ્લીમ ભાજપને વોટ આપશે, 60 ટકા કોંગ્રેસને વોટ આપશે, 25 આપ, અન્ય 5%


ABP-CVoter ઓપિનિયન પોલ 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સી વોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે. 


ભાજપ 2/3 બહુમતીથી જીતશે, 134થી 142 સીટ મેળવશે, 45.9 ટકા વોટ શેર  (3 ટકા વોટ શેર ઘટશે)

કોંગ્રેસ 28-36 સીટ મેળવશે,  26.9 વોટ શેર (14 ટકા વોટ શેર ઘટશે)

આપને 7-15 સીટ આવશે, 21.2 ટકા વો ટશેર


મધ્ય ગુજરાત- 45-49 સીટ ભાજપ, કોંગ્રેસ 10-14, (ટોટલ 61 મધ્યુગજરાતની સીટ છે) 

ઉત્તર ગુજરાત ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 20-24 સીટ, કોંગ્રેસને 8-12 સીટ 

દક્ષિણ ગુજરાત- 27-31 સીટ ભાજપ, કોંગ્રેસ 8-12, (કુલ 35 વિધાનસભા છે)

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 38-42, કોંગ્રેસ 4-8, આપને 7-9 સીટ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.