ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે, ઓપિનિયન પોલ સર્વે શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-28 22:29:48

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતમાં સતત સાતમી જીત મેળવીને ઈતિહાસ રચે તેવું ઓપિનિયન પોલમાં જાણવા મળે છે. 1 ડિસેમ્બરે રાજ્યના પ્રથમ તબક્કામાં મતદાન થાય તે પહેલાંના બે અંતિમ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે. IndiaTV-Matrize અને ABP-CVoter Opinion Poll સોમવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર થાય છે જેમા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં 2017 માં વધુ સારો દેખાવ કરશે. 


IndiaTV-Matrize ઓપિનિયન પોલ


ઓપિનિયન પોલ અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ 117 બેઠકો સાથે સરળતાથી બહુમતી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 59 , AAP 4 તથા અપક્ષ 2 બેઠકો જીતી શકે છે. ભાજપે 2017માં 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે ત્યાં સુધી ભાજપને 49.9 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, AAPને 7.5 ટકા અને અન્યને 3.5 ટકા મતો મળી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો


કુલ 54 બેઠકોમાંથી 33 ભાજપ, કોંગ્રેસને 19, AAPને 2 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપને 48% વોટ શેર, કોંગ્રેસને 40%વોટ શેર, AAPને 11% વોટ શેર વોટ મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો 53 ટકા પછાત વર્ગ ભાજપને વોટ આપશે, 39 કોંગ્રેસને, 5 ટકા આપને પછાત વોટ મળશે. ભાજપને લેઉવા પટેલના  55 ટકા મતો મળશે. રાજ્યમાં સૌપ્રથમ વખત મત આપતા મતદારો પૈકીના 47 ટકા વોટર ભાજપને, 32 ટકા કોંગ્રેસના, 15 ટકા આપને મત આપશે.


મધ્યગુજરાત 54 ટકા વોટ શેર સાથે ભાજપને 43 બેઠકો આવશે, કોંગ્રેસને 17 સીટ આવશે, મધ્યગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે


દક્ષિણ ગુજરાતની ભાજપ 26, કોંગ્રેસ 6, આપ 2 સીટ, 50 ટકા વોટ ભાજપને જશે, 36 ટકા કોંગ્રેસ, 12 ટકા આપ, 2 ટકા અન્ય 


ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 17 જીતે છે 


મુસ્લીમ 10 ટકા મુસ્લીમ ભાજપને વોટ આપશે, 60 ટકા કોંગ્રેસને વોટ આપશે, 25 આપ, અન્ય 5%


ABP-CVoter ઓપિનિયન પોલ 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સી વોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે. 


ભાજપ 2/3 બહુમતીથી જીતશે, 134થી 142 સીટ મેળવશે, 45.9 ટકા વોટ શેર  (3 ટકા વોટ શેર ઘટશે)

કોંગ્રેસ 28-36 સીટ મેળવશે,  26.9 વોટ શેર (14 ટકા વોટ શેર ઘટશે)

આપને 7-15 સીટ આવશે, 21.2 ટકા વો ટશેર


મધ્ય ગુજરાત- 45-49 સીટ ભાજપ, કોંગ્રેસ 10-14, (ટોટલ 61 મધ્યુગજરાતની સીટ છે) 

ઉત્તર ગુજરાત ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 20-24 સીટ, કોંગ્રેસને 8-12 સીટ 

દક્ષિણ ગુજરાત- 27-31 સીટ ભાજપ, કોંગ્રેસ 8-12, (કુલ 35 વિધાનસભા છે)

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 38-42, કોંગ્રેસ 4-8, આપને 7-9 સીટ



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.