ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે, ઓપિનિયન પોલ સર્વે શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-28 22:29:48

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતમાં સતત સાતમી જીત મેળવીને ઈતિહાસ રચે તેવું ઓપિનિયન પોલમાં જાણવા મળે છે. 1 ડિસેમ્બરે રાજ્યના પ્રથમ તબક્કામાં મતદાન થાય તે પહેલાંના બે અંતિમ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે. IndiaTV-Matrize અને ABP-CVoter Opinion Poll સોમવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર થાય છે જેમા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં 2017 માં વધુ સારો દેખાવ કરશે. 


IndiaTV-Matrize ઓપિનિયન પોલ


ઓપિનિયન પોલ અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ 117 બેઠકો સાથે સરળતાથી બહુમતી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 59 , AAP 4 તથા અપક્ષ 2 બેઠકો જીતી શકે છે. ભાજપે 2017માં 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે ત્યાં સુધી ભાજપને 49.9 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, AAPને 7.5 ટકા અને અન્યને 3.5 ટકા મતો મળી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો


કુલ 54 બેઠકોમાંથી 33 ભાજપ, કોંગ્રેસને 19, AAPને 2 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપને 48% વોટ શેર, કોંગ્રેસને 40%વોટ શેર, AAPને 11% વોટ શેર વોટ મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો 53 ટકા પછાત વર્ગ ભાજપને વોટ આપશે, 39 કોંગ્રેસને, 5 ટકા આપને પછાત વોટ મળશે. ભાજપને લેઉવા પટેલના  55 ટકા મતો મળશે. રાજ્યમાં સૌપ્રથમ વખત મત આપતા મતદારો પૈકીના 47 ટકા વોટર ભાજપને, 32 ટકા કોંગ્રેસના, 15 ટકા આપને મત આપશે.


મધ્યગુજરાત 54 ટકા વોટ શેર સાથે ભાજપને 43 બેઠકો આવશે, કોંગ્રેસને 17 સીટ આવશે, મધ્યગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે


દક્ષિણ ગુજરાતની ભાજપ 26, કોંગ્રેસ 6, આપ 2 સીટ, 50 ટકા વોટ ભાજપને જશે, 36 ટકા કોંગ્રેસ, 12 ટકા આપ, 2 ટકા અન્ય 


ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 17 જીતે છે 


મુસ્લીમ 10 ટકા મુસ્લીમ ભાજપને વોટ આપશે, 60 ટકા કોંગ્રેસને વોટ આપશે, 25 આપ, અન્ય 5%


ABP-CVoter ઓપિનિયન પોલ 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સી વોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે. 


ભાજપ 2/3 બહુમતીથી જીતશે, 134થી 142 સીટ મેળવશે, 45.9 ટકા વોટ શેર  (3 ટકા વોટ શેર ઘટશે)

કોંગ્રેસ 28-36 સીટ મેળવશે,  26.9 વોટ શેર (14 ટકા વોટ શેર ઘટશે)

આપને 7-15 સીટ આવશે, 21.2 ટકા વો ટશેર


મધ્ય ગુજરાત- 45-49 સીટ ભાજપ, કોંગ્રેસ 10-14, (ટોટલ 61 મધ્યુગજરાતની સીટ છે) 

ઉત્તર ગુજરાત ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 20-24 સીટ, કોંગ્રેસને 8-12 સીટ 

દક્ષિણ ગુજરાત- 27-31 સીટ ભાજપ, કોંગ્રેસ 8-12, (કુલ 35 વિધાનસભા છે)

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 38-42, કોંગ્રેસ 4-8, આપને 7-9 સીટ



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .