ચૂંટણીના પડઘમ: ભાજપે શરૂ કરી ગૌરવ યાત્રા, રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાએ લીલી ઝંડી બતાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 11:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના નેતાઓએ કમર કસી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. ભાજપના નેતાઓ પણ આ વાસ્તવિક્તાથી સારી રીતે વાકેફ હોવાથી કોઈ જોખમ લેવા માંગતા  નથી. ભાજપ તેની જુની સ્ટ્રેટેજીનો અમલ કરતા ગૌરવ યાત્રા કાઢશે. પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં બહુચરમાતાનું મંદિર છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડાએ આજે આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવી.


ભાજપના કયા નેતાઓ જોડાશે યાત્રામાં


પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક ગૌરવ યાત્રાને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ ગૌરવ યાત્રામાં જોડાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ગૌરવ યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.


ગુજરાતના કયા વિસ્તારમાં ફરશે યાત્રા


પાર્ટીના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.


ભાજપના આ ગૌરવ યાત્રા દરમિયાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે. આ યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં આદિવાસી પ્રભુત્વ છે. આદિવાસી બહુલ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.