કાંધલ જાડેજાનો હુંકાર, લોકોએ મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહીં


  • Published By :
  • Published Date : 2022-11-23 13:15:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે. કાંધલ જાડેજાએ કહ્યું, કુતિયાણાના લોકોએ મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહીં.


કાંધલ જાડેજાએ શું નિવેદન આપ્યું? 


પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કાંધલ જાડેજાના એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે જ્યારે હું 2012માં NCPને અહીં લાવ્યો હતો, ત્યારે કોઈને તેના વિશે ખબર નહોતી. મેં બે વાર ચૂંટણી લડી અને જીતી. લોકોએ મારા નામ પર મત આપ્યા. મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, બધાએ અનુસર્યું અને રાજીનામું આપ્યું. NCP ગુજરાતમાં સમાપ્ત થઈ જશે. હું હવે સાયકલ (સમાજવાદી પાર્ટી) ના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યો છું. કુતિયાણાના સપાના ઉમેદવાર કાંધલ જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લોકો તેમના પારિવારિક પૃષ્ઠભૂમિને જોતા ડર કે પ્રેમથી તેમને મત આપે છે ? તેના જવાબમાં કહ્યું- જો તમે મને 80-90 ના દાયકામાં આ પૂછ્યું હોત, તો મેં કહ્યું હોત કે ડરથી કારણ કે ત્યારે બેલેટ પેપર હતું. હવે EVM છે. મારા કામના કારણે લોકો મને વોટ આપે છે.


કુતિયાણા ત્રણ મેર વચ્ચે ખરાખરીનો જંગ


કુતિયાણા વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખિયા જંગને કારણે ચૂંટણી રસપ્રદ બની છે.ચૂંટણીમાં અહીં હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ અપક્ષ અને સપાના ઉમેદવાર તરીકે એમ બે ફોર્મ ભર્યા છે. જ્યારે ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલાં ઢેલીબેન ઓડેદરા તો કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા છે. કાંધલ, નાથાભાઈ અને ઢેલીબેન ત્રણેય મેર જ્ઞાતિના છે. માત્ર એટલું જ નહીં, ભાજપનાં ઢેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો ફૂઈ-ભત્રીજો છે. ઉલ્લેખનીય છે કે ઢેલીબેને ઉમેદવારી ફોર્મ સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી. કુતિયાણા શહેર આમ તો નાનકડું છે, પણ વિધાનસભા મતવિસ્તારમાં શહેર ઉપરાંત ઘેડ પંથક અને રાણાવાવનો પણ સમાવેશ થાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.