લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા કેમ રોકવામાં આવ્યા? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-01 15:16:25

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જો કે કેટલાક મતદાતાઓ એવા પણ છે જે તેમનું ઓળખ કાર્ડ વગર જ મતદાન કરવા પહોંચી જતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. જેમ કે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી આજે મતદાન કરવા રાજકોટ ગયા હતા પણ તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઓખળનો પુરાવો ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.


સમગ્ર ઘટના શું બની હતી?


મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને રાજકોટમાં મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડ કે વોટર કાર્ડની હાર્ડ કોપી ન હતી. મતદાન પથક પર ફરજ બજાવતા અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગતા આધારકાર્ડની હાર્ડ કોપી ન હોઇ તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કરતા તેઓ મતદાન કરી શક્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.