લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા કેમ રોકવામાં આવ્યા? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-01 15:16:25

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જો કે કેટલાક મતદાતાઓ એવા પણ છે જે તેમનું ઓળખ કાર્ડ વગર જ મતદાન કરવા પહોંચી જતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. જેમ કે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી આજે મતદાન કરવા રાજકોટ ગયા હતા પણ તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઓખળનો પુરાવો ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.


સમગ્ર ઘટના શું બની હતી?


મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને રાજકોટમાં મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડ કે વોટર કાર્ડની હાર્ડ કોપી ન હતી. મતદાન પથક પર ફરજ બજાવતા અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગતા આધારકાર્ડની હાર્ડ કોપી ન હોઇ તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કરતા તેઓ મતદાન કરી શક્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.