લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા કેમ રોકવામાં આવ્યા? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-01 15:16:25

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જો કે કેટલાક મતદાતાઓ એવા પણ છે જે તેમનું ઓળખ કાર્ડ વગર જ મતદાન કરવા પહોંચી જતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. જેમ કે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી આજે મતદાન કરવા રાજકોટ ગયા હતા પણ તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઓખળનો પુરાવો ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.


સમગ્ર ઘટના શું બની હતી?


મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને રાજકોટમાં મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડ કે વોટર કાર્ડની હાર્ડ કોપી ન હતી. મતદાન પથક પર ફરજ બજાવતા અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગતા આધારકાર્ડની હાર્ડ કોપી ન હોઇ તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કરતા તેઓ મતદાન કરી શક્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.