દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે સંપત્તી, વ્યવસાય અને ફોજદારી કેસ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-27 20:28:24


મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી છ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે તેમના ઉમેદવારી ફોર્મની સાથે એફિડેલિટમાં સંપત્તી, બિઝનેશ અને લાયાબિટીઝ અંગે જાહેરાત કરી છે. જો કે કોર્ટ કેસ અંગે કોઈ માહિતી આપી નથી. 



વ્યવસાય અને સંપત્તી


જંગમ સંપત્તિ: રૂ. 5.67 કરોડ (મધુ શ્રીવાસ્તવે, તેમની પત્ની અને બે આશ્રિત બાળકોની કુલ સંપત્તી જાહેર કરી છે)



જંગમ સંપત્તિ 


રૂ. 5.67 કરોડ (સંપત્તિમાં તેમની પત્ની અને બે આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે)


સ્થાવર અસ્કયામતો


સ્થાવર અસ્કયામતોઃ  રૂ. 3.87 કરોડ (વડોદરા અને નર્મદામાં કેટલીક ખેતીની જમીનના પાર્સલ; બિનખેતીની જમીનના પાર્સલ; વડોદરામાં બે કોમર્શિયલ જગ્યાઓ) તે ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં એક હોટેલ અને રહેણાંક પ્લોટ/રહેઠાણ. જાહેર કરાયેલી સંપત્તિમાં તેમની પત્ની અને પુત્રીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મધુ શ્રીવાસ્તવે રૂ. 10.98 લાખની જવાબદારીઓ (લાયાબિલીઝ)ની પણ જાહેરાત કરી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.