દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે સંપત્તી, વ્યવસાય અને ફોજદારી કેસ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-27 20:28:24


મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી છ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે તેમના ઉમેદવારી ફોર્મની સાથે એફિડેલિટમાં સંપત્તી, બિઝનેશ અને લાયાબિટીઝ અંગે જાહેરાત કરી છે. જો કે કોર્ટ કેસ અંગે કોઈ માહિતી આપી નથી. 



વ્યવસાય અને સંપત્તી


જંગમ સંપત્તિ: રૂ. 5.67 કરોડ (મધુ શ્રીવાસ્તવે, તેમની પત્ની અને બે આશ્રિત બાળકોની કુલ સંપત્તી જાહેર કરી છે)



જંગમ સંપત્તિ 


રૂ. 5.67 કરોડ (સંપત્તિમાં તેમની પત્ની અને બે આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે)


સ્થાવર અસ્કયામતો


સ્થાવર અસ્કયામતોઃ  રૂ. 3.87 કરોડ (વડોદરા અને નર્મદામાં કેટલીક ખેતીની જમીનના પાર્સલ; બિનખેતીની જમીનના પાર્સલ; વડોદરામાં બે કોમર્શિયલ જગ્યાઓ) તે ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં એક હોટેલ અને રહેણાંક પ્લોટ/રહેઠાણ. જાહેર કરાયેલી સંપત્તિમાં તેમની પત્ની અને પુત્રીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મધુ શ્રીવાસ્તવે રૂ. 10.98 લાખની જવાબદારીઓ (લાયાબિલીઝ)ની પણ જાહેરાત કરી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .