લ્યો બોલો, ગુજરાતમાં ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-22 18:05:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે થોડા દિવસે બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગુજરાતના મતદારોને એક દિવસની પેઈડ રજા મંજૂર કરી છે.


મહારાષ્ટ્ર સરકાર શા માટે રજા આપી?


ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્ર સરકારે શા માટે રજા આપી તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે એક દિવસની પેઇડ રજાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના મતદારો, કે જેઓ અહીં મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે, તેઓ પડોશી રાજ્યમાં આગામી ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક દિવસની પેઇડ રજાનો લાભ લઈ શકે છે. 


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ગુજરાતી મતદારોને મોટી રાહત આપી છે. આ નોટિફિકેશનના આધારે નાસિક, પાલઘર, ધુલે અને નંદુરબાર જેવા સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને આ છૂટ આપવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કામ કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે લોકતંત્ર માટેના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં કોઈપણ નાગરિક મતાધિકારનો ઉપયોગ કર્યા વિના બાકી ના રહી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.



જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!