લ્યો બોલો, ગુજરાતમાં ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-22 18:05:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે થોડા દિવસે બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગુજરાતના મતદારોને એક દિવસની પેઈડ રજા મંજૂર કરી છે.


મહારાષ્ટ્ર સરકાર શા માટે રજા આપી?


ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્ર સરકારે શા માટે રજા આપી તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે એક દિવસની પેઇડ રજાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના મતદારો, કે જેઓ અહીં મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે, તેઓ પડોશી રાજ્યમાં આગામી ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક દિવસની પેઇડ રજાનો લાભ લઈ શકે છે. 


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ગુજરાતી મતદારોને મોટી રાહત આપી છે. આ નોટિફિકેશનના આધારે નાસિક, પાલઘર, ધુલે અને નંદુરબાર જેવા સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને આ છૂટ આપવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કામ કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે લોકતંત્ર માટેના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં કોઈપણ નાગરિક મતાધિકારનો ઉપયોગ કર્યા વિના બાકી ના રહી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .