લ્યો બોલો, ગુજરાતમાં ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-22 18:05:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે થોડા દિવસે બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગુજરાતના મતદારોને એક દિવસની પેઈડ રજા મંજૂર કરી છે.


મહારાષ્ટ્ર સરકાર શા માટે રજા આપી?


ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્ર સરકારે શા માટે રજા આપી તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે એક દિવસની પેઇડ રજાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના મતદારો, કે જેઓ અહીં મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે, તેઓ પડોશી રાજ્યમાં આગામી ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક દિવસની પેઇડ રજાનો લાભ લઈ શકે છે. 


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ગુજરાતી મતદારોને મોટી રાહત આપી છે. આ નોટિફિકેશનના આધારે નાસિક, પાલઘર, ધુલે અને નંદુરબાર જેવા સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને આ છૂટ આપવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કામ કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે લોકતંત્ર માટેના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં કોઈપણ નાગરિક મતાધિકારનો ઉપયોગ કર્યા વિના બાકી ના રહી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.