વિધાનસભા ચૂંટણી 2022માં તમામ પક્ષોના મળી કુલ 11 મુસ્લિમ ઉમેદવારો મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-17 16:53:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ સમયે એક જાગ્રૃત નાગરિક તરીકે વિચાર થાય કે આ વખતની ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા નથી. અત્યાર સુધીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટ કોંગ્રેસે આપી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ જ સૌથી વધુ 6 જ્યારે આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસલમાનોની પાર્ટી તરીકે જાણીતી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં બે મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે.


ઉમેદવાર-વિધાનસભા સીટ-પાર્ટી


1 –મામદભાઈ જંગ જાટ-અબડાસા- કોંગ્રેસ
2 –મોહમ્મદ જાવેદ પીરઝાદા- વાંકાનેર- કોંગ્રેસ
3 –સુલેનન પટેલ-વાગરા-કોંગ્રેસ
4 –અસલમ સાઈકલવાલા-સુરતપૂર્વ-કોંગ્રેસ
5 –ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર-કોંગ્રેસ
6 –ઈમરાન ખેડાવાલા- જમાલપુરખાડિયા-કોંગ્રેસ
7 –તાજ કુરેશી - દરિયાપુર–AAP
8 –હારુન નાગોરી – જમાલપુરખાડિયા –AAP
9 –સાજીદ રેહાન - જંબુસર– AAP
10 –અબ્બાસભાઈ નોડસોલા  –સિદ્ધપુર –AIMIM
11 –જૈન બીબી શેખ  –વેજલપુર –AIMIM


ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી કેટલી છે?


રાજ્યમાં 9 ટકા મુસ્લિમોની વસ્તી છે. જો કે તે મુખ્યત્વે રાજ્યના વિવિધ ભાગોમાં હોવાથી બહુમતી જમાલપુર ખાડિયા, ભરૂચના વાગરામાં જ છે. એક સામાન્ય ચૂંટણી ગણિત પ્રમાણે રાજ્યની લગભગ 25 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો માતબર સંખ્યામાં છે. જો કે તેમ છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.