વિધાનસભા ચૂંટણી 2022માં તમામ પક્ષોના મળી કુલ 11 મુસ્લિમ ઉમેદવારો મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-17 16:53:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ સમયે એક જાગ્રૃત નાગરિક તરીકે વિચાર થાય કે આ વખતની ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા નથી. અત્યાર સુધીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટ કોંગ્રેસે આપી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ જ સૌથી વધુ 6 જ્યારે આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસલમાનોની પાર્ટી તરીકે જાણીતી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં બે મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે.


ઉમેદવાર-વિધાનસભા સીટ-પાર્ટી


1 –મામદભાઈ જંગ જાટ-અબડાસા- કોંગ્રેસ
2 –મોહમ્મદ જાવેદ પીરઝાદા- વાંકાનેર- કોંગ્રેસ
3 –સુલેનન પટેલ-વાગરા-કોંગ્રેસ
4 –અસલમ સાઈકલવાલા-સુરતપૂર્વ-કોંગ્રેસ
5 –ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર-કોંગ્રેસ
6 –ઈમરાન ખેડાવાલા- જમાલપુરખાડિયા-કોંગ્રેસ
7 –તાજ કુરેશી - દરિયાપુર–AAP
8 –હારુન નાગોરી – જમાલપુરખાડિયા –AAP
9 –સાજીદ રેહાન - જંબુસર– AAP
10 –અબ્બાસભાઈ નોડસોલા  –સિદ્ધપુર –AIMIM
11 –જૈન બીબી શેખ  –વેજલપુર –AIMIM


ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી કેટલી છે?


રાજ્યમાં 9 ટકા મુસ્લિમોની વસ્તી છે. જો કે તે મુખ્યત્વે રાજ્યના વિવિધ ભાગોમાં હોવાથી બહુમતી જમાલપુર ખાડિયા, ભરૂચના વાગરામાં જ છે. એક સામાન્ય ચૂંટણી ગણિત પ્રમાણે રાજ્યની લગભગ 25 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો માતબર સંખ્યામાં છે. જો કે તેમ છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.