વિધાનસભા ચૂંટણી 2022માં તમામ પક્ષોના મળી કુલ 11 મુસ્લિમ ઉમેદવારો મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-17 16:53:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ સમયે એક જાગ્રૃત નાગરિક તરીકે વિચાર થાય કે આ વખતની ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા નથી. અત્યાર સુધીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટ કોંગ્રેસે આપી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ જ સૌથી વધુ 6 જ્યારે આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસલમાનોની પાર્ટી તરીકે જાણીતી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં બે મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે.


ઉમેદવાર-વિધાનસભા સીટ-પાર્ટી


1 –મામદભાઈ જંગ જાટ-અબડાસા- કોંગ્રેસ
2 –મોહમ્મદ જાવેદ પીરઝાદા- વાંકાનેર- કોંગ્રેસ
3 –સુલેનન પટેલ-વાગરા-કોંગ્રેસ
4 –અસલમ સાઈકલવાલા-સુરતપૂર્વ-કોંગ્રેસ
5 –ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર-કોંગ્રેસ
6 –ઈમરાન ખેડાવાલા- જમાલપુરખાડિયા-કોંગ્રેસ
7 –તાજ કુરેશી - દરિયાપુર–AAP
8 –હારુન નાગોરી – જમાલપુરખાડિયા –AAP
9 –સાજીદ રેહાન - જંબુસર– AAP
10 –અબ્બાસભાઈ નોડસોલા  –સિદ્ધપુર –AIMIM
11 –જૈન બીબી શેખ  –વેજલપુર –AIMIM


ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી કેટલી છે?


રાજ્યમાં 9 ટકા મુસ્લિમોની વસ્તી છે. જો કે તે મુખ્યત્વે રાજ્યના વિવિધ ભાગોમાં હોવાથી બહુમતી જમાલપુર ખાડિયા, ભરૂચના વાગરામાં જ છે. એક સામાન્ય ચૂંટણી ગણિત પ્રમાણે રાજ્યની લગભગ 25 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો માતબર સંખ્યામાં છે. જો કે તેમ છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.