ગુજરાતની લઘુમતી પ્રભુત્વવાળી બેઠકો પર અપક્ષ મુસ્લિમ ઉમેદવારોનો રાફડો


  • Published By :
  • Published Date : 2022-11-24 13:53:46

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે  ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોવાથી ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારો પણ મહત્વના છે. રાજ્યમાં 11 ટકા મુસ્લિમ મતદારો છે. રાજ્યની કેટલીક સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ખુબ ઓછા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી, કોંગ્રેસે 6, AAPએ 3 અને AIMIMએ 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. જો કે આ વખતે અપક્ષ મુસ્લિમ ઉમેદારોનો જાણે રાફડો ફાટ્યો છે. મુસ્લિમ પ્રભુત્વવાળી સીટો પર મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદાવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  


લિંબાયત વિધાનસભા બેઠક


સુરત જિલ્લાની લિંબાયત વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદારોને પુષ્કળ સમસ્યાનો સામનો કરવો પડે છે. લિંબાયત વિધાનસભા સીટના કુલ મતદારોમાં 27%  મુસ્લિમ મતદારો છે. લઘુમતી સમુદાય પાસે 36 જેટલા મુસ્લિમ ઉમેદવારોમાંથી પસંદ કરવાનો વિકલ્પ છે. આ બેઠક પરથી મેદાનમાં રહેલા કુલ 44 ઉમેદવારોમાંથી લઘુમતી પ્રતિનિધિત્વ 80%થી વધુ છે.


બાપુનગર બેઠક


અમદાવાદનો બાપુનગર વિસ્તારમાં નોંધપાત્ર મુસ્લિમ વોટ શેર ધરાવતી બેઠક છે. જો કે આ વિધાનસભાની સીટ પરથી કુલ 29 ઉમેદવારોમાંથી, 10 મુસ્લિમ ઉમેદવારો છે; આ બેઠક પર 28% મુસ્લિમ મતો છે. વર્ષ 2012 ના સીમાંકન પછી કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટ્યા છે.


વેજલપુર સીટ


તે જ પ્રકારે વેજલપુર સીટ પર પણ મુસ્લિમ મતદારો પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તારના જુહાપુરામાં 35 ટકા મુસ્લિમ મતદારો છે.  આ વખતે વેજલપુર વિસ્તારમાં 15 ઉમેદવારોમાંથી 9 મુસ્લિમ ઉમેદવારો છે. આ તમામ મુસ્લિમ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.   


સુરત (પૂર્વ) સીટ


સુરત (પૂર્વ)ની જ વાત કરીએ તો કોંગ્રેસના અસલમ સાયકલવાલાને તેમના જ મુસ્લિમ સમુદાયમાંથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે કુલ 14 ઉમેદવારોમાંથી 12 મુસ્લિમ છે. આ સીટ પર 22% મુસ્લિમ વોટ છે.


દરિયાપુર સીટ


અમદાવાદના દરિયાપુર મતવિસ્તારમાં 46% મુસ્લિમ મતદારો છે. આ સીટ પર કુલ સાત સ્પર્ધકોમાંથી પાંચ મુસ્લિમ છે. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે આ સીટ 2017માં 5000થી ઓછા વોટથી જીતી હતી.


જમાલપુર-ખાડિયા સીટ


જમાલપુર-ખાડિયામાં મુસ્લિમ બહુમતી મતદારો છે, જ્યાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા તેમની બીજી ટર્મની માટે લડી રહ્યા છે. તેમની સામે સાત હરીફો મેદાનમાં છે, જેમાંથી ચાર મુસ્લિમ છે. 


વાગરા સીટ


ભરૂચની વાગરા સીટ પર કુલ નવમાંથી છ મુસ્લિમ ઉમેદવારો છે. ભાજપે વાગરા સીટ 14 હજાર મતોથી જીતી હતી, આ બેઠક પર કોંગ્રેસે સુલેમાન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.


ગોધરા અને ભુજ


મુસ્લિમ મતદારોની દ્ર્ષ્ટીએ ગોધરા અને ભુજ જેવી બેઠકો છે પણ જ્યાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી, જો કે અહીં પણ મુસ્લિમ સમુદાયના મતો મહત્વપૂર્ણ છે. ભાજપના સી કે રાઉલજીએ 2017 માં 258 મતોના પાતળા માર્જિન સાથે ગોધરા જીતી હતી. આ વખતે પણ બંને બેઠકો પરના દરેક 10 ઉમેદવારોમાંથી અડધા મુસ્લિમ છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.