ગુજરાતની લઘુમતી પ્રભુત્વવાળી બેઠકો પર અપક્ષ મુસ્લિમ ઉમેદવારોનો રાફડો


  • Published By :
  • Published Date : 2022-11-24 13:53:46

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે  ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોવાથી ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારો પણ મહત્વના છે. રાજ્યમાં 11 ટકા મુસ્લિમ મતદારો છે. રાજ્યની કેટલીક સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ખુબ ઓછા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી, કોંગ્રેસે 6, AAPએ 3 અને AIMIMએ 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. જો કે આ વખતે અપક્ષ મુસ્લિમ ઉમેદારોનો જાણે રાફડો ફાટ્યો છે. મુસ્લિમ પ્રભુત્વવાળી સીટો પર મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદાવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  


લિંબાયત વિધાનસભા બેઠક


સુરત જિલ્લાની લિંબાયત વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદારોને પુષ્કળ સમસ્યાનો સામનો કરવો પડે છે. લિંબાયત વિધાનસભા સીટના કુલ મતદારોમાં 27%  મુસ્લિમ મતદારો છે. લઘુમતી સમુદાય પાસે 36 જેટલા મુસ્લિમ ઉમેદવારોમાંથી પસંદ કરવાનો વિકલ્પ છે. આ બેઠક પરથી મેદાનમાં રહેલા કુલ 44 ઉમેદવારોમાંથી લઘુમતી પ્રતિનિધિત્વ 80%થી વધુ છે.


બાપુનગર બેઠક


અમદાવાદનો બાપુનગર વિસ્તારમાં નોંધપાત્ર મુસ્લિમ વોટ શેર ધરાવતી બેઠક છે. જો કે આ વિધાનસભાની સીટ પરથી કુલ 29 ઉમેદવારોમાંથી, 10 મુસ્લિમ ઉમેદવારો છે; આ બેઠક પર 28% મુસ્લિમ મતો છે. વર્ષ 2012 ના સીમાંકન પછી કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટ્યા છે.


વેજલપુર સીટ


તે જ પ્રકારે વેજલપુર સીટ પર પણ મુસ્લિમ મતદારો પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તારના જુહાપુરામાં 35 ટકા મુસ્લિમ મતદારો છે.  આ વખતે વેજલપુર વિસ્તારમાં 15 ઉમેદવારોમાંથી 9 મુસ્લિમ ઉમેદવારો છે. આ તમામ મુસ્લિમ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.   


સુરત (પૂર્વ) સીટ


સુરત (પૂર્વ)ની જ વાત કરીએ તો કોંગ્રેસના અસલમ સાયકલવાલાને તેમના જ મુસ્લિમ સમુદાયમાંથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે કુલ 14 ઉમેદવારોમાંથી 12 મુસ્લિમ છે. આ સીટ પર 22% મુસ્લિમ વોટ છે.


દરિયાપુર સીટ


અમદાવાદના દરિયાપુર મતવિસ્તારમાં 46% મુસ્લિમ મતદારો છે. આ સીટ પર કુલ સાત સ્પર્ધકોમાંથી પાંચ મુસ્લિમ છે. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે આ સીટ 2017માં 5000થી ઓછા વોટથી જીતી હતી.


જમાલપુર-ખાડિયા સીટ


જમાલપુર-ખાડિયામાં મુસ્લિમ બહુમતી મતદારો છે, જ્યાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા તેમની બીજી ટર્મની માટે લડી રહ્યા છે. તેમની સામે સાત હરીફો મેદાનમાં છે, જેમાંથી ચાર મુસ્લિમ છે. 


વાગરા સીટ


ભરૂચની વાગરા સીટ પર કુલ નવમાંથી છ મુસ્લિમ ઉમેદવારો છે. ભાજપે વાગરા સીટ 14 હજાર મતોથી જીતી હતી, આ બેઠક પર કોંગ્રેસે સુલેમાન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.


ગોધરા અને ભુજ


મુસ્લિમ મતદારોની દ્ર્ષ્ટીએ ગોધરા અને ભુજ જેવી બેઠકો છે પણ જ્યાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી, જો કે અહીં પણ મુસ્લિમ સમુદાયના મતો મહત્વપૂર્ણ છે. ભાજપના સી કે રાઉલજીએ 2017 માં 258 મતોના પાતળા માર્જિન સાથે ગોધરા જીતી હતી. આ વખતે પણ બંને બેઠકો પરના દરેક 10 ઉમેદવારોમાંથી અડધા મુસ્લિમ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.