182 સભ્યોની 15મી વિધાનસભામાં એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:42:42

ગુજરાત વિધાનલભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ અનેક જાતિઓનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. તેમાં પણ લધુમતિ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર એક સીટનું રહી ગયું છે. 15મી વિધાનસભા માટે 230 મુસ્લિમ ઉમેદવારૌ 73 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા હતા પણ તેમાં માત્ર એક જ જમાલપુર-ખાડીયાથી એક ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે.


કોંગ્રેસે આપી હતી સૌથી વધુ ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી વધુ 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સામે  મુસ્લિમ પાર્ટી મનાતી  AIMIMએ પણ લઘુમતી બહુમતી ધરાવતી સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખતા મુસ્લિમોના મત વહેંચાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદની એક સીટ જમાલપુર-ખાડીયાથી ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો. જ્યારે દરિયાપુર સીટ પરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી મોહમ્મદ પીરઝાદાનો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.


ઈમરાન ખેડાવાલાની શા માટે જીત્યા


જમાલપુર-ખાડિયા સીટ મુસ્લિમોની બહુમતી ધરાવે છે, આ સીટ પર 61 ટકા મુસ્લિમ મતદારો છે. ઈમરાન ખેડાવાલાની  તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ભૂષણ ભટ્ટ સામે 13,658 મતથી જીત થઈ છે. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલાને માત્ર 15,655 મત મળ્યા હતા. ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયમાંથી આવતા હોવાથી તેમને મોટા પ્રમાણમાં આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે. જમાલપુર-ખાડિયામાં 30,000થી વધુ  છીપા સમુદાયના મતદારો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.