સુરતની આ ત્રણ વિધાનસભા સીટના પાટીદારો ભાજપની આશાઓ પર પાણી ફેરવી શકે?


  • Published By :
  • Published Date : 2022-11-21 16:50:35

ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત હિંદુત્વની લેબોરેટરી રહ્યું છે. ગુજરાત જીતવું તે ભાજપ માટે અનિવાર્ય છે, અને તેથી જ ભાજપે જીત માટે તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણીમાં ભાજપ માટે કરો યા મરોની સ્થિતી સર્જાઈ છે, તેનું કારણ એ છે કે આ વખતે વિરોધ પક્ષ કોંગ્રેસ ઉપરાંત ત્રીજી ફેક્ટર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીને બહુમતી તો નહીં મળી શકે પરંતું કેટલીક સીટો જીતવામાં ચોક્કસ સફળ રહેશે. આમ આદમી પાર્ટીનું સૌથી વધુ ફોકસ હાલ સુરત પર છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા, મનોજ સોરઠિયા, રામ ધડૂક જિલ્લાની વિવિધ વિધાનસભા સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે.


સુરત પર 'આપ'ની નજર


ગુજરાતમાં વર્ષ 2021માં થયેલી સ્થાનિક નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસને સ્થાને બીજા ક્રમની પાર્ટી બનીને સામે આવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરતમાં 27 બેઠક મળી હતી અને વોટનો શૅર 28 ટકા રહ્યો હતો. આ જીતથી આમ આદમી પાર્ટી  ઉત્સાહમાં છે અને તેમને આશા છે કે આ પરિણામોનું તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્ષેત્રમાં પુનરાવર્તન કરી શકશે.


સુરતમાં પાટીદારોનું આપને મજબુત સમર્થન


સુરતના ઉમેદવારો પર નજર કરીએ તો કેટલાંકનાં મૂળ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલાં છે. અને પાટીદાર અનામત આંદોલનને સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનું સમર્થન હાંસલ હતું. પાટીદાર સમાજ સુરતમાં પણ અમુક બેઠકો પર ચાવીરૂપ ભૂમિકામાં છે, તેમની એક પ્રકારે આ વિસ્તારોના મતદારો પર પકડ છે. તેથી આ વાતનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોને સુરતથી ઉતાર્યા છે. આ વખતે કતારગામ અને વરાછાની બેઠક પર તો આમ આદમી પાર્ટીને જરૂર સફળતા મળશે, અને તેનો આંકડો આ સિવાય વધશે તેવી પૂરી શક્યતા છે. 


આપના 4 કદાવર નેતાઓ


ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે સુરત જ એક માત્ર આશાનું કેન્દ્ર છે. સુરતમાં જ આપ તરફી લહેર જોવા મળી રહી છે. આપ આદમી પાર્ટીએ તેના મોટાં માથાં ઓને સુરત જિલ્લાની વિવિધ સીટો પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમ કે કતારગામ સીટ પરથી ગોપાલ ઈટાલિયા અને વરાછા બેઠકથી પર અલ્પેશ કથિરિયા ચૂંટણી લડી રહ્યા છે.આ બંને બેઠકોમાં પાટીદારોની બહુમતી છે. તેમજ 3.59 લાખ મતદારોવાળી બેઠક ઓલપાડમાં પણ આપે ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે. કારંજ સીટ પરથી મનોજ સોરઠિયા તો કામરેજ બેઠક પરથી આપે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રામ ધડૂકને ટિકિટ આપી છે, જે ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.