PM મોદીએ કમલમમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક, મિટીંગમાં શું ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2022-12-04 20:05:29

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શાસક પક્ષ ભાજપ માટે આ બીજા તબક્કાનું મતદાન ખુબ જ મહત્વનું છે. તે માટે જ પીએમ મોદી કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક યોજી હતી. 


PM મોદીએ શા માટે યોજી બેઠક?


રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વર્ષ 2017 કરતા પણ ઓછું મતદાન થતા ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા સવિશેષ છે. ભાજપના પેજ પ્રમુખો પણ મતદાન વધારી શક્યા ન હતા. ઓછું મતદાન હાર-જીતનો નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. આ જ કારણે બીજા તબક્કામાં મતદાન વધે તેના પર જ ભાજપનું ફોકસ રહેશે. બીજા તબક્કામાં મતદાન વધારવા મુદ્દે જ પીએમ મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પીએમ મોદીની આ હાઇ લેવલ બેઠકથી રાજકારણ ગરમાયું છે.


PMની બેઠકમાં કોણ હાજર રહ્યું?


પાટનગર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી પીએમ મોદીના હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.