PM મોદીએ કમલમમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક, મિટીંગમાં શું ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2022-12-04 20:05:29

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શાસક પક્ષ ભાજપ માટે આ બીજા તબક્કાનું મતદાન ખુબ જ મહત્વનું છે. તે માટે જ પીએમ મોદી કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક યોજી હતી. 


PM મોદીએ શા માટે યોજી બેઠક?


રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વર્ષ 2017 કરતા પણ ઓછું મતદાન થતા ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા સવિશેષ છે. ભાજપના પેજ પ્રમુખો પણ મતદાન વધારી શક્યા ન હતા. ઓછું મતદાન હાર-જીતનો નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. આ જ કારણે બીજા તબક્કામાં મતદાન વધે તેના પર જ ભાજપનું ફોકસ રહેશે. બીજા તબક્કામાં મતદાન વધારવા મુદ્દે જ પીએમ મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પીએમ મોદીની આ હાઇ લેવલ બેઠકથી રાજકારણ ગરમાયું છે.


PMની બેઠકમાં કોણ હાજર રહ્યું?


પાટનગર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી પીએમ મોદીના હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.