PM મોદીએ કમલમમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક, મિટીંગમાં શું ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2022-12-04 20:05:29

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શાસક પક્ષ ભાજપ માટે આ બીજા તબક્કાનું મતદાન ખુબ જ મહત્વનું છે. તે માટે જ પીએમ મોદી કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક યોજી હતી. 


PM મોદીએ શા માટે યોજી બેઠક?


રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વર્ષ 2017 કરતા પણ ઓછું મતદાન થતા ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા સવિશેષ છે. ભાજપના પેજ પ્રમુખો પણ મતદાન વધારી શક્યા ન હતા. ઓછું મતદાન હાર-જીતનો નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. આ જ કારણે બીજા તબક્કામાં મતદાન વધે તેના પર જ ભાજપનું ફોકસ રહેશે. બીજા તબક્કામાં મતદાન વધારવા મુદ્દે જ પીએમ મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પીએમ મોદીની આ હાઇ લેવલ બેઠકથી રાજકારણ ગરમાયું છે.


PMની બેઠકમાં કોણ હાજર રહ્યું?


પાટનગર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી પીએમ મોદીના હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.