PM મોદીએ કમલમમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક, મિટીંગમાં શું ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2022-12-04 20:05:29

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શાસક પક્ષ ભાજપ માટે આ બીજા તબક્કાનું મતદાન ખુબ જ મહત્વનું છે. તે માટે જ પીએમ મોદી કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક યોજી હતી. 


PM મોદીએ શા માટે યોજી બેઠક?


રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વર્ષ 2017 કરતા પણ ઓછું મતદાન થતા ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા સવિશેષ છે. ભાજપના પેજ પ્રમુખો પણ મતદાન વધારી શક્યા ન હતા. ઓછું મતદાન હાર-જીતનો નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. આ જ કારણે બીજા તબક્કામાં મતદાન વધે તેના પર જ ભાજપનું ફોકસ રહેશે. બીજા તબક્કામાં મતદાન વધારવા મુદ્દે જ પીએમ મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પીએમ મોદીની આ હાઇ લેવલ બેઠકથી રાજકારણ ગરમાયું છે.


PMની બેઠકમાં કોણ હાજર રહ્યું?


પાટનગર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી પીએમ મોદીના હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.