PM મોદીનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર, 3 દિવસમાં 7 રેલીઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-17 11:47:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પક્ષો પ્રજાને રિઝવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ પણ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપે તો તેના સ્ટાર પ્રચારકોની મોડી ફોજ ઉતારી દીધી છે. જો કે   તેના સૌથી મોટા પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી વગર તો બધું  અધુરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાયુવેગે પ્રચાર અભિયાન શરૂ કરે  તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.


PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર


PM મોદી રાજ્યમાં 20થી 22 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સાત રેલીઓ કરશે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા છે. PM મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોનો સંપૂર્ણ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. PM G20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા ગયા હોવાથી ભાજપ તે અંગેની મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. હવે પીએમ મોદી ભારત ફર્યા હાવોથી  તેમની રેલીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMની રેલીઓના પ્રચાર અભિયાનનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત રહેશે. તેમના પ્રયાર કાર્યક્રમનમો પ્રારંભ 20 નવેમ્બરના દિવસે સૌરાષ્ટ્રથી થશે, મોદી સૌરાષ્ટ્રમાં ત્રણ રેલીઓ કરશે. ત્યાર બાદ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ફરી પાછી એક રેલી સંબોધશે. 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં જ મોદીની બે રેલી યોજાવાની છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ શા માટે?


ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. ભાજપને 2017માં માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે અહીં 28 બેઠકો કબજે કરી હતી. જો કે 2012માં ભાજપે અહીં 30 બેઠકો જીતી હતી, ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં જ પ્રથમ તબક્કાનું એટલે કે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.