PM મોદીનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર, 3 દિવસમાં 7 રેલીઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-17 11:47:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પક્ષો પ્રજાને રિઝવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ પણ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપે તો તેના સ્ટાર પ્રચારકોની મોડી ફોજ ઉતારી દીધી છે. જો કે   તેના સૌથી મોટા પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી વગર તો બધું  અધુરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાયુવેગે પ્રચાર અભિયાન શરૂ કરે  તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.


PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર


PM મોદી રાજ્યમાં 20થી 22 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સાત રેલીઓ કરશે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા છે. PM મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોનો સંપૂર્ણ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. PM G20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા ગયા હોવાથી ભાજપ તે અંગેની મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. હવે પીએમ મોદી ભારત ફર્યા હાવોથી  તેમની રેલીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMની રેલીઓના પ્રચાર અભિયાનનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત રહેશે. તેમના પ્રયાર કાર્યક્રમનમો પ્રારંભ 20 નવેમ્બરના દિવસે સૌરાષ્ટ્રથી થશે, મોદી સૌરાષ્ટ્રમાં ત્રણ રેલીઓ કરશે. ત્યાર બાદ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ફરી પાછી એક રેલી સંબોધશે. 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં જ મોદીની બે રેલી યોજાવાની છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ શા માટે?


ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. ભાજપને 2017માં માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે અહીં 28 બેઠકો કબજે કરી હતી. જો કે 2012માં ભાજપે અહીં 30 બેઠકો જીતી હતી, ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં જ પ્રથમ તબક્કાનું એટલે કે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."