PM મોદીનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર, 3 દિવસમાં 7 રેલીઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-17 11:47:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પક્ષો પ્રજાને રિઝવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ પણ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપે તો તેના સ્ટાર પ્રચારકોની મોડી ફોજ ઉતારી દીધી છે. જો કે   તેના સૌથી મોટા પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી વગર તો બધું  અધુરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાયુવેગે પ્રચાર અભિયાન શરૂ કરે  તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.


PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર


PM મોદી રાજ્યમાં 20થી 22 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સાત રેલીઓ કરશે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા છે. PM મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોનો સંપૂર્ણ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. PM G20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા ગયા હોવાથી ભાજપ તે અંગેની મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. હવે પીએમ મોદી ભારત ફર્યા હાવોથી  તેમની રેલીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMની રેલીઓના પ્રચાર અભિયાનનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત રહેશે. તેમના પ્રયાર કાર્યક્રમનમો પ્રારંભ 20 નવેમ્બરના દિવસે સૌરાષ્ટ્રથી થશે, મોદી સૌરાષ્ટ્રમાં ત્રણ રેલીઓ કરશે. ત્યાર બાદ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ફરી પાછી એક રેલી સંબોધશે. 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં જ મોદીની બે રેલી યોજાવાની છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ શા માટે?


ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. ભાજપને 2017માં માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે અહીં 28 બેઠકો કબજે કરી હતી. જો કે 2012માં ભાજપે અહીં 30 બેઠકો જીતી હતી, ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં જ પ્રથમ તબક્કાનું એટલે કે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.