PM મોદી કાલથી રેલીઓનો બીજો ઝંઝાવાતી રાઉન્ડ શરૂ કરશે, 35 જનસભાઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-22 16:13:37


ભારતીય જનતા પાર્ટીના ટોચના રાષ્ટ્રીય નેતાઓ મંગળવારે જાહેર સભાઓની શ્રેણીબદ્ધ 93 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે જે ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં 16 રેલીઓને સંબોધિત કરી હતી, તેઓ મંગળવારે ગુજરાતમાં પ્રચારમાંથી એક દિવસનો વિરામ લેશે અને બુધવારથી ચૂંટણી રેલીઓનો બીજો ઝંઝાવાતી રાઉન્ડ શરૂ કરશે. તેઓ બુધવારે અને ગુરુવારે મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગર, પાલનપુર, દહેગામ, માતર અને ધોળકા ખાતે સભાઓને સંબોધશે. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારના અંત સુધીમાં પીએમ લગભગ 35 વધુ રેલીઓને સંબોધિત કરશે.


આજે આ નેતાઓ કરશે પ્રચાર 


મંગળવારની જાહેર સભાઓમાં ભાગ લેનારા નેતાઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય પ્રધાનો પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.