PM મોદી કાલથી રેલીઓનો બીજો ઝંઝાવાતી રાઉન્ડ શરૂ કરશે, 35 જનસભાઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-22 16:13:37


ભારતીય જનતા પાર્ટીના ટોચના રાષ્ટ્રીય નેતાઓ મંગળવારે જાહેર સભાઓની શ્રેણીબદ્ધ 93 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે જે ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં 16 રેલીઓને સંબોધિત કરી હતી, તેઓ મંગળવારે ગુજરાતમાં પ્રચારમાંથી એક દિવસનો વિરામ લેશે અને બુધવારથી ચૂંટણી રેલીઓનો બીજો ઝંઝાવાતી રાઉન્ડ શરૂ કરશે. તેઓ બુધવારે અને ગુરુવારે મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગર, પાલનપુર, દહેગામ, માતર અને ધોળકા ખાતે સભાઓને સંબોધશે. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારના અંત સુધીમાં પીએમ લગભગ 35 વધુ રેલીઓને સંબોધિત કરશે.


આજે આ નેતાઓ કરશે પ્રચાર 


મંગળવારની જાહેર સભાઓમાં ભાગ લેનારા નેતાઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય પ્રધાનો પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.