ચૂંટણીને લઈ પોલીસ એક્સનમાં, 390ની PASA હેઠળ અટકાયત, જેલમાં રહીને કરશે મતદાન


  • Published By :
  • Published Date : 2022-11-24 18:38:32

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્વક સંપન્ન થાય તે માટે પોલીસ એક્સનમાં આવી છે. પોલીસે ચૂંટણી માટે આડખીલીરૂપ અસમાજીક તત્વોની PASA હેઠળ અટકાયત કરી છે. રાજ્ય પોલીસેની અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ  390 લોકોની અટકાયત કરી છે.


PASA અટકાયતીઓમાં 9 મહિલાઓ


પોલીસે મંગળવાર સાંજ સુધીમાં, જેલોમાં PASA હેઠળ 381 પુરૂષો અને નવ મહિલાઓ સહિત 390 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયતીઓમાંના એક 40 વર્ષીય અબ્દુલ કાદિર મહેબૂબ સૈયદે તો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે નવસારી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જોકે, ભારતના ચૂંટણી પંચ (ECI)ની વેબસાઈટ અનુસાર, તેમનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું.


કેદીઓના મતદાન માટે ખાસ વ્યવસ્થા


અટકાયતમાં લેવાયેલા આ 390 વ્યક્તિઓના મતદાન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડના મતદાન પહેલા એટલે કે આવતા અઠવાડિયે જેલોમાં મતદાન થવાની સંભાવના છે.  જો આ અટકાયતીઓ આવતા અઠવાડિયા સુધી જેલના સળિયા પાછળ રહેશે તો તેઓ તેમનો મત જેલમાં જ આપશે. 


કેદીઓના મતદાનની પ્રક્રિયા શું છે?


કેદીઓ મતદાન કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે પ્રક્રિયા અનુસાર, અટકાયતીઓના નામ તેમના નામ અને મતદારક્ષેત્ર સાથે ECIને મોકલવામાં આવે છે. “ચકાસણી પછી, ECI સીલબંધ પોસ્ટલ બેલેટ જારી કરે છે જે અટકાયતીઓને આપવામાં આવે છે. તેઓ પસંદ કરેલા ઉમેદવારના નામ અને ચિહ્ન પર ટિક કરે છે ત્યારબાદ પરબિડીયું ફરીથી સીલ કરવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે, ”એક અધિકારીએ જણાવ્યું હતું. “જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે આ મતપત્રો સૌથી પહેલા ગોઠવવામાં આવે છે."



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.