ચૂંટણીને લઈ પોલીસ એક્સનમાં, 390ની PASA હેઠળ અટકાયત, જેલમાં રહીને કરશે મતદાન


  • Published By :
  • Published Date : 2022-11-24 18:38:32

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્વક સંપન્ન થાય તે માટે પોલીસ એક્સનમાં આવી છે. પોલીસે ચૂંટણી માટે આડખીલીરૂપ અસમાજીક તત્વોની PASA હેઠળ અટકાયત કરી છે. રાજ્ય પોલીસેની અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ  390 લોકોની અટકાયત કરી છે.


PASA અટકાયતીઓમાં 9 મહિલાઓ


પોલીસે મંગળવાર સાંજ સુધીમાં, જેલોમાં PASA હેઠળ 381 પુરૂષો અને નવ મહિલાઓ સહિત 390 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયતીઓમાંના એક 40 વર્ષીય અબ્દુલ કાદિર મહેબૂબ સૈયદે તો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે નવસારી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જોકે, ભારતના ચૂંટણી પંચ (ECI)ની વેબસાઈટ અનુસાર, તેમનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું.


કેદીઓના મતદાન માટે ખાસ વ્યવસ્થા


અટકાયતમાં લેવાયેલા આ 390 વ્યક્તિઓના મતદાન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડના મતદાન પહેલા એટલે કે આવતા અઠવાડિયે જેલોમાં મતદાન થવાની સંભાવના છે.  જો આ અટકાયતીઓ આવતા અઠવાડિયા સુધી જેલના સળિયા પાછળ રહેશે તો તેઓ તેમનો મત જેલમાં જ આપશે. 


કેદીઓના મતદાનની પ્રક્રિયા શું છે?


કેદીઓ મતદાન કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે પ્રક્રિયા અનુસાર, અટકાયતીઓના નામ તેમના નામ અને મતદારક્ષેત્ર સાથે ECIને મોકલવામાં આવે છે. “ચકાસણી પછી, ECI સીલબંધ પોસ્ટલ બેલેટ જારી કરે છે જે અટકાયતીઓને આપવામાં આવે છે. તેઓ પસંદ કરેલા ઉમેદવારના નામ અને ચિહ્ન પર ટિક કરે છે ત્યારબાદ પરબિડીયું ફરીથી સીલ કરવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે, ”એક અધિકારીએ જણાવ્યું હતું. “જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે આ મતપત્રો સૌથી પહેલા ગોઠવવામાં આવે છે."



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.