રાહુલ ગાંધીની જાહેરાત: 500 રૂ.માં LPG સિલિન્ડર,10 લાખ નોકરીઓ, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ


  • Published By :
  • Published Date : 2022-11-06 16:18:26



ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રજાને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસે લોકોને આકર્ષવા માટે તેના ચૂંટણી મેનિફોસ્ટોમાં મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ટ્વીટર પર કહ્યું કે, “ભાજપના ડબલ એન્જિનની છેતરપિંડીથી બચાવીશું, રાજ્યમાં પરિવર્તનનો ઉત્સવ મનાવીશું.” રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જાહેરાત કરતા કહ્યું કે “500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશે”. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જરૂરથી પૂરા કરશે. 


ગુજરાતના લોકોને કોંગ્રેસે આપ્યા આ ચૂંટણી વચનો


1-કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

2-કેજીથી પીજી સુધી છોકરીને મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવામાં આવશે 

3-ખેડૂતોનું વીજળીનું બિલ પણ માફ, સામાન્ય લોકોને 300 યુનિટ સુધી મફત વિજળી

4-આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફત.

5-ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ગેરંટી

6-કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

7-ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

8-સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

9-રાજ્યના દુધ ઉત્પાદકોને મળશે પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.