રાહુલ ગાંધીની જાહેરાત: 500 રૂ.માં LPG સિલિન્ડર,10 લાખ નોકરીઓ, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ


  • Published By :
  • Published Date : 2022-11-06 16:18:26



ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રજાને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસે લોકોને આકર્ષવા માટે તેના ચૂંટણી મેનિફોસ્ટોમાં મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ટ્વીટર પર કહ્યું કે, “ભાજપના ડબલ એન્જિનની છેતરપિંડીથી બચાવીશું, રાજ્યમાં પરિવર્તનનો ઉત્સવ મનાવીશું.” રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જાહેરાત કરતા કહ્યું કે “500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશે”. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જરૂરથી પૂરા કરશે. 


ગુજરાતના લોકોને કોંગ્રેસે આપ્યા આ ચૂંટણી વચનો


1-કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

2-કેજીથી પીજી સુધી છોકરીને મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવામાં આવશે 

3-ખેડૂતોનું વીજળીનું બિલ પણ માફ, સામાન્ય લોકોને 300 યુનિટ સુધી મફત વિજળી

4-આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફત.

5-ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ગેરંટી

6-કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

7-ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

8-સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

9-રાજ્યના દુધ ઉત્પાદકોને મળશે પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.