રાહુલ ગાંધીની જાહેરાત: 500 રૂ.માં LPG સિલિન્ડર,10 લાખ નોકરીઓ, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ


  • Published By :
  • Published Date : 2022-11-06 16:18:26



ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રજાને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસે લોકોને આકર્ષવા માટે તેના ચૂંટણી મેનિફોસ્ટોમાં મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ટ્વીટર પર કહ્યું કે, “ભાજપના ડબલ એન્જિનની છેતરપિંડીથી બચાવીશું, રાજ્યમાં પરિવર્તનનો ઉત્સવ મનાવીશું.” રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જાહેરાત કરતા કહ્યું કે “500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશે”. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જરૂરથી પૂરા કરશે. 


ગુજરાતના લોકોને કોંગ્રેસે આપ્યા આ ચૂંટણી વચનો


1-કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

2-કેજીથી પીજી સુધી છોકરીને મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવામાં આવશે 

3-ખેડૂતોનું વીજળીનું બિલ પણ માફ, સામાન્ય લોકોને 300 યુનિટ સુધી મફત વિજળી

4-આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફત.

5-ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ગેરંટી

6-કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

7-ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

8-સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

9-રાજ્યના દુધ ઉત્પાદકોને મળશે પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.