ત્યાગ-આત્મકલ્યાણ ભુલાયું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 4 ધર્મગુરૂઓ મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-25 12:54:23

રાજકીય વર્ગ અને આધ્યાત્મિક ગુરુઓ વચ્ચેનો સહજીવન સંબંધ ચોક્કસપણે દેશના જાહેર જીવનમાં નવો પક્ષોના રાજકારણીઓના સલાહકાર રહ્યા છે, અને મુખ્યમંત્રીઓ અને સંસદ સભ્યોના રૂપમાં જનપ્રતિનિધિઓ પણ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાધુઓએ પણ ઝંપલાવ્યું છે. ભાજપે બે સાધુ જ્યારે ઓછી જાણીતી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ બે સાધુ-મહંતોને પણ મેદાને ઉતાર્યા છે. 


શંભુપ્રસાદ ટુંડિયા-ગઢડા સીટ 


શંભુપ્રસાદ ટુંડિયા, જેમને ભાજપે ગઢડા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે, તેઓ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામના સંત શ્રી સવૈયાનાથ સમાધિ સંસ્થાનના ‘મહંત’ છે. ગઢડા બેઠક માટે ટુંડિયાનો મુકાબલો જગદીશ ચાવડા સામે છે. ટુંડિયાએ 2007 થી 2012 સુધી ભાજપની ટિકિટ પર દસાડા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પછીથી 2014 થી 2020 સુધી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપના આત્મારામ પરમાર 2020 માં ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુએ રાજીનામું આપ્યા પછી પેટાચૂંટણી યોજાઈ ત્યારે તે જીતી ગયા હતા.


ડી કે સ્વામી-જંબુસર


ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક પર પણ ભાજપે અન્ય એક સાધુને મેદાનમાં ઉતાર્યા છે. 50 વર્ષીય દેવકિશોરદાસજી સ્વામી કે જેઓ ડી કે સ્વામી તરીકે જાણીતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુ ડી કે સ્વામી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નાહીયર સ્વામિનારાયણ ગુરુકુળમાં રહે છે. કોંગ્રેસે આ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપી છે.


શિવાનંદ સ્વામી-ચાણસ્મા,  દેવેન્દ્ર કુમાર સાધુ-રાધનપુર સીટ


રાજ્યમાં નવી જ લોન્ચ થયેલી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ ઉત્તર ગુજરાતની ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠકો માટે સાધુઓને તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. શિવાનંદ સ્વામી ચાણસ્મા તથા દેવેન્દ્ર કુમાર સાધુ પણ રાધનપુર સીટ માટે ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર છે. હાલ ચાણસ્મા બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરના વર્તમાન ધારાસભ્ય છે, જેમણે 2019ની પેટાચૂંટણીમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.