ત્યાગ-આત્મકલ્યાણ ભુલાયું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 4 ધર્મગુરૂઓ મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-25 12:54:23

રાજકીય વર્ગ અને આધ્યાત્મિક ગુરુઓ વચ્ચેનો સહજીવન સંબંધ ચોક્કસપણે દેશના જાહેર જીવનમાં નવો પક્ષોના રાજકારણીઓના સલાહકાર રહ્યા છે, અને મુખ્યમંત્રીઓ અને સંસદ સભ્યોના રૂપમાં જનપ્રતિનિધિઓ પણ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાધુઓએ પણ ઝંપલાવ્યું છે. ભાજપે બે સાધુ જ્યારે ઓછી જાણીતી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ બે સાધુ-મહંતોને પણ મેદાને ઉતાર્યા છે. 


શંભુપ્રસાદ ટુંડિયા-ગઢડા સીટ 


શંભુપ્રસાદ ટુંડિયા, જેમને ભાજપે ગઢડા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે, તેઓ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામના સંત શ્રી સવૈયાનાથ સમાધિ સંસ્થાનના ‘મહંત’ છે. ગઢડા બેઠક માટે ટુંડિયાનો મુકાબલો જગદીશ ચાવડા સામે છે. ટુંડિયાએ 2007 થી 2012 સુધી ભાજપની ટિકિટ પર દસાડા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પછીથી 2014 થી 2020 સુધી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપના આત્મારામ પરમાર 2020 માં ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુએ રાજીનામું આપ્યા પછી પેટાચૂંટણી યોજાઈ ત્યારે તે જીતી ગયા હતા.


ડી કે સ્વામી-જંબુસર


ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક પર પણ ભાજપે અન્ય એક સાધુને મેદાનમાં ઉતાર્યા છે. 50 વર્ષીય દેવકિશોરદાસજી સ્વામી કે જેઓ ડી કે સ્વામી તરીકે જાણીતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુ ડી કે સ્વામી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નાહીયર સ્વામિનારાયણ ગુરુકુળમાં રહે છે. કોંગ્રેસે આ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપી છે.


શિવાનંદ સ્વામી-ચાણસ્મા,  દેવેન્દ્ર કુમાર સાધુ-રાધનપુર સીટ


રાજ્યમાં નવી જ લોન્ચ થયેલી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ ઉત્તર ગુજરાતની ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠકો માટે સાધુઓને તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. શિવાનંદ સ્વામી ચાણસ્મા તથા દેવેન્દ્ર કુમાર સાધુ પણ રાધનપુર સીટ માટે ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર છે. હાલ ચાણસ્મા બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરના વર્તમાન ધારાસભ્ય છે, જેમણે 2019ની પેટાચૂંટણીમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .