Gujarat assembly election 2022: સૌરાષ્ટ્રની 34 બેઠક માટે ભાજપના અધધધ 616 દાવેદારો


  • Published By :
  • Published Date : 2022-10-30 18:33:28

ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બનવા માટે ભાજપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપનો આંતરિક જૂથવાદ અને નેતાઓમાં ટિકિટ માટેની ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભાજપે 2 દિવસથી 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ટિકિટ વાંચ્છુ ભાજપ નેતાઓએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને આપ્યા હતા અને નિરીક્ષકોએ દાવેદારી માટે તેમની દલીલો સાંભળી હતી. 


સૌરાષ્ટ્ર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો 


ભાજપે ગઈકાલે 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે એક પણ બેઠક પર સર્વસંમતિ સધાઈ ન હતી ભાજપમાં ટિકીટ વાંચ્છુઓનો રીતસર રાફડો ફાટયો હતો. રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકા સહિત 8 જિલ્લામાંથી મળતા અહેવાલો મૂજબ આ જિલ્લાની કુલ 34 બેઠકો માટે 616થી વધુ નેતાઓએ ભાજપની ટિકીટ માંગી છે અને તેમનો બાયોડેટા રજૂ કર્યો છે.ભાજપના વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ, જુના કાર્યકરો, ઉદ્યોગપતિઓ તેમજ ખાસ કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ સામે ભાજપના જુના જોગીઓએ ટિકીટ પોતાને ટિકીટ મળે તે માટે ભારપૂર્વક દાવો નોંધાવ્યો છે. મંત્રી બ્રિજેશ મેરજા સામે કાંતિ અમૃતિયા મેદાને છે. મંત્રી રાઘવજી પટેલની સામે 17 દાવેદારો છે, તો જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા સામે પણ અનેક નેતાઓએ ખુલ્લી દાવેદારી નોંધાવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.