Gujarat assembly election 2022: સૌરાષ્ટ્રની 34 બેઠક માટે ભાજપના અધધધ 616 દાવેદારો


  • Published By :
  • Published Date : 2022-10-30 18:33:28

ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બનવા માટે ભાજપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપનો આંતરિક જૂથવાદ અને નેતાઓમાં ટિકિટ માટેની ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભાજપે 2 દિવસથી 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ટિકિટ વાંચ્છુ ભાજપ નેતાઓએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને આપ્યા હતા અને નિરીક્ષકોએ દાવેદારી માટે તેમની દલીલો સાંભળી હતી. 


સૌરાષ્ટ્ર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો 


ભાજપે ગઈકાલે 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે એક પણ બેઠક પર સર્વસંમતિ સધાઈ ન હતી ભાજપમાં ટિકીટ વાંચ્છુઓનો રીતસર રાફડો ફાટયો હતો. રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકા સહિત 8 જિલ્લામાંથી મળતા અહેવાલો મૂજબ આ જિલ્લાની કુલ 34 બેઠકો માટે 616થી વધુ નેતાઓએ ભાજપની ટિકીટ માંગી છે અને તેમનો બાયોડેટા રજૂ કર્યો છે.ભાજપના વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ, જુના કાર્યકરો, ઉદ્યોગપતિઓ તેમજ ખાસ કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ સામે ભાજપના જુના જોગીઓએ ટિકીટ પોતાને ટિકીટ મળે તે માટે ભારપૂર્વક દાવો નોંધાવ્યો છે. મંત્રી બ્રિજેશ મેરજા સામે કાંતિ અમૃતિયા મેદાને છે. મંત્રી રાઘવજી પટેલની સામે 17 દાવેદારો છે, તો જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા સામે પણ અનેક નેતાઓએ ખુલ્લી દાવેદારી નોંધાવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.