Gujarat assembly election 2022: સૌરાષ્ટ્રની 34 બેઠક માટે ભાજપના અધધધ 616 દાવેદારો


  • Published By :
  • Published Date : 2022-10-30 18:33:28

ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બનવા માટે ભાજપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપનો આંતરિક જૂથવાદ અને નેતાઓમાં ટિકિટ માટેની ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભાજપે 2 દિવસથી 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ટિકિટ વાંચ્છુ ભાજપ નેતાઓએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને આપ્યા હતા અને નિરીક્ષકોએ દાવેદારી માટે તેમની દલીલો સાંભળી હતી. 


સૌરાષ્ટ્ર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો 


ભાજપે ગઈકાલે 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે એક પણ બેઠક પર સર્વસંમતિ સધાઈ ન હતી ભાજપમાં ટિકીટ વાંચ્છુઓનો રીતસર રાફડો ફાટયો હતો. રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકા સહિત 8 જિલ્લામાંથી મળતા અહેવાલો મૂજબ આ જિલ્લાની કુલ 34 બેઠકો માટે 616થી વધુ નેતાઓએ ભાજપની ટિકીટ માંગી છે અને તેમનો બાયોડેટા રજૂ કર્યો છે.ભાજપના વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ, જુના કાર્યકરો, ઉદ્યોગપતિઓ તેમજ ખાસ કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ સામે ભાજપના જુના જોગીઓએ ટિકીટ પોતાને ટિકીટ મળે તે માટે ભારપૂર્વક દાવો નોંધાવ્યો છે. મંત્રી બ્રિજેશ મેરજા સામે કાંતિ અમૃતિયા મેદાને છે. મંત્રી રાઘવજી પટેલની સામે 17 દાવેદારો છે, તો જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા સામે પણ અનેક નેતાઓએ ખુલ્લી દાવેદારી નોંધાવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.