SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50 બેઠકો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન?


  • Published By :
  • Published Date : 2022-11-23 15:42:16

ગુજરાતમાં SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50  બેઠકો છે. જે પણ પાર્ટી આ સીટો પર સારો દેખાવ કરે તેના માટે રાજ્યમાં શાસન કરવાની શક્યતા વધી જાય છે. પરંતુ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતા કોઈ એક પક્ષ આ સીટો પર પ્રભુત્વનો દાવો કરી શકે તેમ નથી.


વર્ષ 2012-17માં કેવું રહ્યું ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન


વર્ષ 2012માં, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર શહેરી પટ્ટામાં ફેલાયેલી મોટાભાગની SC બેઠકો ભાજપની તરફેણમાં હતી. કેસરીયા પાર્ટીએ 20 SC માંથી 15 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. પરંતુ 2017ની ચૂંટણી એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. 2017માં કોંગ્રેસ 10 બેઠકો સાથે વધુ સારું પ્રદર્શન કરે છે જ્યારે ભાજપે 9થી સંતોષ માનવો પડ્યો હતો.


પાટીદાર આંદોલનથી કોંગ્રેસનો લાભ


તે પણ ન ભૂલવું જોઈએ કે વર્ષ 2017ની ચૂંટણી, પાટીદાર આંદોલન, અને પાટીદાર સમુદાય દ્વારા OBCનો દરજ્જો અને અનામતની માંગને પગલે થઈ હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને તેની સંખ્યા સુધારવામાં અપ્રત્યક્ષ રીતે મદદ કરી હતી. જો કે આ વખતે માહોલ બદલાયેલો છે, જેમાં હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.


32 ST બેઠકો પર કોનું પ્રભુત્વ?


ગુજરાતની મોટાભાગની 32 ST બેઠકો મધ્યપ્રદેશની સરહદે આવેલી છે, 2012 અને 2017 બંનેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ સીટોનું વિભાજન થઈ ગયું હતું. ભાજપે 2012માં 15 બેઠકો જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી, 2017માં, ભાજપની સંખ્યા નજીવી રીતે ઘટીને 14 થઈ ગઈ, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો જીતીને તેનું પ્રદર્શન વધુ સારું કર્યું હતું.


ભાજપ અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓને આકર્ષી રહ્યું છે, અને દ્રૌપદી મુર્મુને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો પણ દાવો કરે છે. જો કે ભાજપના આ દાવાની આદિવાસી મતદારોમાં કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .