SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50 બેઠકો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન?


  • Published By :
  • Published Date : 2022-11-23 15:42:16

ગુજરાતમાં SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50  બેઠકો છે. જે પણ પાર્ટી આ સીટો પર સારો દેખાવ કરે તેના માટે રાજ્યમાં શાસન કરવાની શક્યતા વધી જાય છે. પરંતુ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતા કોઈ એક પક્ષ આ સીટો પર પ્રભુત્વનો દાવો કરી શકે તેમ નથી.


વર્ષ 2012-17માં કેવું રહ્યું ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન


વર્ષ 2012માં, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર શહેરી પટ્ટામાં ફેલાયેલી મોટાભાગની SC બેઠકો ભાજપની તરફેણમાં હતી. કેસરીયા પાર્ટીએ 20 SC માંથી 15 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. પરંતુ 2017ની ચૂંટણી એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. 2017માં કોંગ્રેસ 10 બેઠકો સાથે વધુ સારું પ્રદર્શન કરે છે જ્યારે ભાજપે 9થી સંતોષ માનવો પડ્યો હતો.


પાટીદાર આંદોલનથી કોંગ્રેસનો લાભ


તે પણ ન ભૂલવું જોઈએ કે વર્ષ 2017ની ચૂંટણી, પાટીદાર આંદોલન, અને પાટીદાર સમુદાય દ્વારા OBCનો દરજ્જો અને અનામતની માંગને પગલે થઈ હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને તેની સંખ્યા સુધારવામાં અપ્રત્યક્ષ રીતે મદદ કરી હતી. જો કે આ વખતે માહોલ બદલાયેલો છે, જેમાં હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.


32 ST બેઠકો પર કોનું પ્રભુત્વ?


ગુજરાતની મોટાભાગની 32 ST બેઠકો મધ્યપ્રદેશની સરહદે આવેલી છે, 2012 અને 2017 બંનેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ સીટોનું વિભાજન થઈ ગયું હતું. ભાજપે 2012માં 15 બેઠકો જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી, 2017માં, ભાજપની સંખ્યા નજીવી રીતે ઘટીને 14 થઈ ગઈ, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો જીતીને તેનું પ્રદર્શન વધુ સારું કર્યું હતું.


ભાજપ અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓને આકર્ષી રહ્યું છે, અને દ્રૌપદી મુર્મુને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો પણ દાવો કરે છે. જો કે ભાજપના આ દાવાની આદિવાસી મતદારોમાં કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.