પ્રથમ તબક્કાની 89 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં 60%થી વધુ મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-01 18:32:24

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પૂર્ણ થઈ ગયું છે. સવારે 8 વાગ્યે શરૂ થયેલા મતદાનમાં સવારથી જ અનેક બેઠકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં આ બેઠકો પર સરેરાશ 60%થી વધુ મતદાન થયું છે.


11 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ


રાજ્યની આ બેઠકો પર સરકારના હાઈપ્રોફાઇલ સહિતના 11 મંત્રીઓ અને ‘AAP’ તથા કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. સૌરાષ્ટ્રમાં મતદાન ધીમુ હોવાના સંકેત મળ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ભરુચ સહિતના વિસ્તારોના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આજે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં ગત ચૂંટણીમાં જે રીતે જબરા અપસેટ સર્જાયા હતા તે જોતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના જીવ તાળવે છે. કુલ 452 ઉમેદવારો આ ક્ષેત્રમાં હાલ મેદાનમાં છે અને તેમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. તેમાં પણ નિઝરમાં સૌથી વધુ 77.87 ટકા જ્યારે 89માંથી 6 બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન થયું છે.


788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં


પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.


આ સીટો પર દિગ્ગજો મેદાને 


પ્રથમ તબક્કાની કેટલીક સીટો પર દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે. જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા, જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયા, મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, વરાછા વિધાનસભા બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કતારગામ બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.



જિલ્લો-મતદાનની ટકાવારી

અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 52.73 ટકા

ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા

ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 51.34 ટકા

બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.64 ટકા

ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા

ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 60.46 ટકા

જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 53.98 ટકા

જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 52.04 ટકા

કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 54.52 ટકા

મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 56.20 ટકા

નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 65.91 ટકા

પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા

રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.66 ટકા

સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 57.83 ટકા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 58.14 ટકા


આદીવાસી પટ્ટામાં રેકોર્ડ મતદાન

વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 62.46%

લિંબાયતમાં અત્યાર સુધીનું સરેરાશ-49%

ડેડિયાપાડામાં અત્યાર સુધીનું સરેરાશ-70%

વ્યારામાં અત્યાર સુધીનું સરેરાશ -63%

નાંદોદમાં અત્યાર સુધીનું સરેરાશ-64%

તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 %

નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 68.09%

નીઝરમાં અત્યાર સુધીનું સરેરાશ- 77.87%



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.