પ્રથમ તબક્કાની 89 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં 60%થી વધુ મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-01 18:32:24

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પૂર્ણ થઈ ગયું છે. સવારે 8 વાગ્યે શરૂ થયેલા મતદાનમાં સવારથી જ અનેક બેઠકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં આ બેઠકો પર સરેરાશ 60%થી વધુ મતદાન થયું છે.


11 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ


રાજ્યની આ બેઠકો પર સરકારના હાઈપ્રોફાઇલ સહિતના 11 મંત્રીઓ અને ‘AAP’ તથા કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. સૌરાષ્ટ્રમાં મતદાન ધીમુ હોવાના સંકેત મળ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ભરુચ સહિતના વિસ્તારોના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આજે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં ગત ચૂંટણીમાં જે રીતે જબરા અપસેટ સર્જાયા હતા તે જોતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના જીવ તાળવે છે. કુલ 452 ઉમેદવારો આ ક્ષેત્રમાં હાલ મેદાનમાં છે અને તેમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. તેમાં પણ નિઝરમાં સૌથી વધુ 77.87 ટકા જ્યારે 89માંથી 6 બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન થયું છે.


788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં


પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.


આ સીટો પર દિગ્ગજો મેદાને 


પ્રથમ તબક્કાની કેટલીક સીટો પર દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે. જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા, જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયા, મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, વરાછા વિધાનસભા બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કતારગામ બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.



જિલ્લો-મતદાનની ટકાવારી

અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 52.73 ટકા

ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા

ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 51.34 ટકા

બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.64 ટકા

ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા

ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 60.46 ટકા

જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 53.98 ટકા

જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 52.04 ટકા

કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 54.52 ટકા

મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 56.20 ટકા

નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 65.91 ટકા

પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા

રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.66 ટકા

સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 57.83 ટકા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 58.14 ટકા


આદીવાસી પટ્ટામાં રેકોર્ડ મતદાન

વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 62.46%

લિંબાયતમાં અત્યાર સુધીનું સરેરાશ-49%

ડેડિયાપાડામાં અત્યાર સુધીનું સરેરાશ-70%

વ્યારામાં અત્યાર સુધીનું સરેરાશ -63%

નાંદોદમાં અત્યાર સુધીનું સરેરાશ-64%

તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 %

નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 68.09%

નીઝરમાં અત્યાર સુધીનું સરેરાશ- 77.87%



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.