8.6 લાખ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પહેલને આવકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 15:21:54

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચ (ECI) ની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે, આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદારો આગામી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પસંદ કર્યું છે. 


 વરિષ્ઠ નાગરિકોએ  ફોર્મ D દ્વારા નોંધણી કરાવી


ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને, વરિષ્ઠ નાગરિકો અને પીડબ્લ્યુડી તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતના કાર્યાલયે તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) અને PWDs માટે અગાઉની નોંધણી દ્વારા “vote from home” (ઘરેથી મત) સુવિધાને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. “કુલ 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ D વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેટેગરીમાં નોંધાયેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે," સીઈઓના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.


વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે આશિર્વાદ


 વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે, જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.