8.6 લાખ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પહેલને આવકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 15:21:54

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચ (ECI) ની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે, આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદારો આગામી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પસંદ કર્યું છે. 


 વરિષ્ઠ નાગરિકોએ  ફોર્મ D દ્વારા નોંધણી કરાવી


ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને, વરિષ્ઠ નાગરિકો અને પીડબ્લ્યુડી તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતના કાર્યાલયે તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) અને PWDs માટે અગાઉની નોંધણી દ્વારા “vote from home” (ઘરેથી મત) સુવિધાને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. “કુલ 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ D વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેટેગરીમાં નોંધાયેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે," સીઈઓના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.


વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે આશિર્વાદ


 વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે, જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.