8.6 લાખ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પહેલને આવકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 15:21:54

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચ (ECI) ની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે, આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદારો આગામી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પસંદ કર્યું છે. 


 વરિષ્ઠ નાગરિકોએ  ફોર્મ D દ્વારા નોંધણી કરાવી


ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને, વરિષ્ઠ નાગરિકો અને પીડબ્લ્યુડી તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતના કાર્યાલયે તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) અને PWDs માટે અગાઉની નોંધણી દ્વારા “vote from home” (ઘરેથી મત) સુવિધાને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. “કુલ 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ D વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેટેગરીમાં નોંધાયેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે," સીઈઓના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.


વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે આશિર્વાદ


 વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે, જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.