8.6 લાખ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પહેલને આવકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 15:21:54

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચ (ECI) ની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે, આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદારો આગામી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પસંદ કર્યું છે. 


 વરિષ્ઠ નાગરિકોએ  ફોર્મ D દ્વારા નોંધણી કરાવી


ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને, વરિષ્ઠ નાગરિકો અને પીડબ્લ્યુડી તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતના કાર્યાલયે તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) અને PWDs માટે અગાઉની નોંધણી દ્વારા “vote from home” (ઘરેથી મત) સુવિધાને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. “કુલ 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ D વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેટેગરીમાં નોંધાયેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે," સીઈઓના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.


વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે આશિર્વાદ


 વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે, જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .