નૌતમ સ્વામી બાદ હવે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો ભાજપ માટે પ્રેમ ઉભરાયો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-23 12:21:24

ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે હવે આ પ્રચાર અભિયાનમાં સાધુ-સંતો પણ કુદી પડ્યા છે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. 



શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શું કહ્યું?


સ્વામિનારાણય સંપ્રદાયના સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ હરિદ્વાર ખાતે યોજાયેલી તેમની કથામાં કમળના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી હતી. આ વિડીયોમાં સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તેના પર બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવું હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહીં જો વોટ નહીં આપો તો, કોઈને કહેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. હરિપ્રકાશ સ્વામીના વીડિયોએ ચૂંટણીના માહોલમાં અપીલ કરતો વીડિયો વાયરલ વિવાદ સર્જાયો છે અને તેના રાજકીય પડઘા પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.