નૌતમ સ્વામી બાદ હવે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો ભાજપ માટે પ્રેમ ઉભરાયો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-23 12:21:24

ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે હવે આ પ્રચાર અભિયાનમાં સાધુ-સંતો પણ કુદી પડ્યા છે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. 



શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શું કહ્યું?


સ્વામિનારાણય સંપ્રદાયના સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ હરિદ્વાર ખાતે યોજાયેલી તેમની કથામાં કમળના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી હતી. આ વિડીયોમાં સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તેના પર બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવું હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહીં જો વોટ નહીં આપો તો, કોઈને કહેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. હરિપ્રકાશ સ્વામીના વીડિયોએ ચૂંટણીના માહોલમાં અપીલ કરતો વીડિયો વાયરલ વિવાદ સર્જાયો છે અને તેના રાજકીય પડઘા પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.