નૌતમ સ્વામી બાદ હવે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો ભાજપ માટે પ્રેમ ઉભરાયો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-23 12:21:24

ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે હવે આ પ્રચાર અભિયાનમાં સાધુ-સંતો પણ કુદી પડ્યા છે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. 



શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શું કહ્યું?


સ્વામિનારાણય સંપ્રદાયના સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ હરિદ્વાર ખાતે યોજાયેલી તેમની કથામાં કમળના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી હતી. આ વિડીયોમાં સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તેના પર બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવું હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહીં જો વોટ નહીં આપો તો, કોઈને કહેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. હરિપ્રકાશ સ્વામીના વીડિયોએ ચૂંટણીના માહોલમાં અપીલ કરતો વીડિયો વાયરલ વિવાદ સર્જાયો છે અને તેના રાજકીય પડઘા પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .