ભાજપના હેમા માલિની, રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ચૂંટણી પ્રચારથી રહ્યા અળગા


  • Published By :
  • Published Date : 2022-12-03 20:30:16

ગુજરાત વિધાસનભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ જોર લગાવી રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, ભાજપે ગુજરાતના તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્ટાર પ્રચારકોના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા આ માટે કમલમની પાછળ યુદ્ધના ધોરણે બે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે કેટલાક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારથી તદ્દન અલગ રહ્યા છે.


કોણ હતા ભાજપના સ્ટાર પ્રચારક?


1. પીએમ નરેન્દ્રભાઈ મોદી 2. પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા 3 રાજનાથ સિંહ 4. અમિતભાઈ શાહ 5. નીતિન ગડકરી 6. સી. આર. પાટીલ 7. ભૂપેન્દ્રભાઈ પટેલ 8.અર્જુન મુંડા 9. સ્મૃતિ ઈરાની 10.  ધર્મેન્દ્ર પ્રધાન 11. મનસુખભાઈ માંડવિયા 12. ભૂપેન્દ્ર યાદવ13. પરષોત્તમભાઈ રૂપાલા 14. ભારતીબેન શિયાળ 15. સુધીરજી ગુપ્તા 16. યોગી આદિત્યનાથ 17. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ 18. આસામના સીએમ હેમંત બિસ્વા હેમંત બિશ્વ શર્મા 19.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 20. વિજય રૂપાણી 21. નીતિન પટેલ 22. વજુભાઈ વાળા 23. રત્નાકર 24. અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) 25. ભોજપુરી અભિનેતા રવિ કિશન 26.  ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારી 27.તેજસ્વી સૂર્ય 28. હર્ષ સંઘવી 29. અભિનેત્રી હેમા માલિની 30. અભિનેતા પરેશ રાવલ 31. પ્રદિપસિંહ વાઘેલા 32. વિનોદભાઈ ચાવડા 33. મનસુખભાઈ વસાવા 34. પૂનમબેન માડમ 35. પ્રશાંતભાઈ કોરાટ 36. શંભુપ્રસાદજી ટુંડિયા 37. કુંવરજીભાઈ બાવળિયા 38. ગણપતભાઈ વસાવા 39. પરષોત્તમભાઈ સોલંકી 40.પરિન્દુ ભગત


ચૂંટણી પ્રચારથી કોણ અળગું રહ્યું?


ભાજપના સ્ટાર પ્રચારકો પૈકીના મોટા ભાગના સેલિબ્રિટી ચૂંટણી પ્રચાર અભિયાનથી દુર રહ્યા હતા. જેમ કે લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પ્રચાર અભિયાનથી અળગા રહ્યા છે. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગાયબ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ ગાંધી પરિવારના રાહુલ ગાંધીને બાદ કરતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચારથી દુર રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ માત્ર એક જ રેલી કરી હતી. આ વખતે ચૂંટણી પ્રચારનો તમામ ભાર સ્થાનિક નેતાઓ  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાળિયાના ખભા પર રહ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.