ભાજપના હેમા માલિની, રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ચૂંટણી પ્રચારથી રહ્યા અળગા


  • Published By :
  • Published Date : 2022-12-03 20:30:16

ગુજરાત વિધાસનભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ જોર લગાવી રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, ભાજપે ગુજરાતના તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્ટાર પ્રચારકોના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા આ માટે કમલમની પાછળ યુદ્ધના ધોરણે બે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે કેટલાક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારથી તદ્દન અલગ રહ્યા છે.


કોણ હતા ભાજપના સ્ટાર પ્રચારક?


1. પીએમ નરેન્દ્રભાઈ મોદી 2. પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા 3 રાજનાથ સિંહ 4. અમિતભાઈ શાહ 5. નીતિન ગડકરી 6. સી. આર. પાટીલ 7. ભૂપેન્દ્રભાઈ પટેલ 8.અર્જુન મુંડા 9. સ્મૃતિ ઈરાની 10.  ધર્મેન્દ્ર પ્રધાન 11. મનસુખભાઈ માંડવિયા 12. ભૂપેન્દ્ર યાદવ13. પરષોત્તમભાઈ રૂપાલા 14. ભારતીબેન શિયાળ 15. સુધીરજી ગુપ્તા 16. યોગી આદિત્યનાથ 17. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ 18. આસામના સીએમ હેમંત બિસ્વા હેમંત બિશ્વ શર્મા 19.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 20. વિજય રૂપાણી 21. નીતિન પટેલ 22. વજુભાઈ વાળા 23. રત્નાકર 24. અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) 25. ભોજપુરી અભિનેતા રવિ કિશન 26.  ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારી 27.તેજસ્વી સૂર્ય 28. હર્ષ સંઘવી 29. અભિનેત્રી હેમા માલિની 30. અભિનેતા પરેશ રાવલ 31. પ્રદિપસિંહ વાઘેલા 32. વિનોદભાઈ ચાવડા 33. મનસુખભાઈ વસાવા 34. પૂનમબેન માડમ 35. પ્રશાંતભાઈ કોરાટ 36. શંભુપ્રસાદજી ટુંડિયા 37. કુંવરજીભાઈ બાવળિયા 38. ગણપતભાઈ વસાવા 39. પરષોત્તમભાઈ સોલંકી 40.પરિન્દુ ભગત


ચૂંટણી પ્રચારથી કોણ અળગું રહ્યું?


ભાજપના સ્ટાર પ્રચારકો પૈકીના મોટા ભાગના સેલિબ્રિટી ચૂંટણી પ્રચાર અભિયાનથી દુર રહ્યા હતા. જેમ કે લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પ્રચાર અભિયાનથી અળગા રહ્યા છે. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગાયબ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ ગાંધી પરિવારના રાહુલ ગાંધીને બાદ કરતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચારથી દુર રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ માત્ર એક જ રેલી કરી હતી. આ વખતે ચૂંટણી પ્રચારનો તમામ ભાર સ્થાનિક નેતાઓ  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાળિયાના ખભા પર રહ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.