ભાજપના હેમા માલિની, રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ચૂંટણી પ્રચારથી રહ્યા અળગા


  • Published By :
  • Published Date : 2022-12-03 20:30:16

ગુજરાત વિધાસનભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ જોર લગાવી રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, ભાજપે ગુજરાતના તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્ટાર પ્રચારકોના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા આ માટે કમલમની પાછળ યુદ્ધના ધોરણે બે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે કેટલાક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારથી તદ્દન અલગ રહ્યા છે.


કોણ હતા ભાજપના સ્ટાર પ્રચારક?


1. પીએમ નરેન્દ્રભાઈ મોદી 2. પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા 3 રાજનાથ સિંહ 4. અમિતભાઈ શાહ 5. નીતિન ગડકરી 6. સી. આર. પાટીલ 7. ભૂપેન્દ્રભાઈ પટેલ 8.અર્જુન મુંડા 9. સ્મૃતિ ઈરાની 10.  ધર્મેન્દ્ર પ્રધાન 11. મનસુખભાઈ માંડવિયા 12. ભૂપેન્દ્ર યાદવ13. પરષોત્તમભાઈ રૂપાલા 14. ભારતીબેન શિયાળ 15. સુધીરજી ગુપ્તા 16. યોગી આદિત્યનાથ 17. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ 18. આસામના સીએમ હેમંત બિસ્વા હેમંત બિશ્વ શર્મા 19.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 20. વિજય રૂપાણી 21. નીતિન પટેલ 22. વજુભાઈ વાળા 23. રત્નાકર 24. અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) 25. ભોજપુરી અભિનેતા રવિ કિશન 26.  ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારી 27.તેજસ્વી સૂર્ય 28. હર્ષ સંઘવી 29. અભિનેત્રી હેમા માલિની 30. અભિનેતા પરેશ રાવલ 31. પ્રદિપસિંહ વાઘેલા 32. વિનોદભાઈ ચાવડા 33. મનસુખભાઈ વસાવા 34. પૂનમબેન માડમ 35. પ્રશાંતભાઈ કોરાટ 36. શંભુપ્રસાદજી ટુંડિયા 37. કુંવરજીભાઈ બાવળિયા 38. ગણપતભાઈ વસાવા 39. પરષોત્તમભાઈ સોલંકી 40.પરિન્દુ ભગત


ચૂંટણી પ્રચારથી કોણ અળગું રહ્યું?


ભાજપના સ્ટાર પ્રચારકો પૈકીના મોટા ભાગના સેલિબ્રિટી ચૂંટણી પ્રચાર અભિયાનથી દુર રહ્યા હતા. જેમ કે લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પ્રચાર અભિયાનથી અળગા રહ્યા છે. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગાયબ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ ગાંધી પરિવારના રાહુલ ગાંધીને બાદ કરતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચારથી દુર રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ માત્ર એક જ રેલી કરી હતી. આ વખતે ચૂંટણી પ્રચારનો તમામ ભાર સ્થાનિક નેતાઓ  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાળિયાના ખભા પર રહ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .