ગુજરાતની આ બેઠક પર ત્રણ દાયકાથી રાજ કરે છે આયાતી ઉમેદવારો, લોકોમાં પણ ભારે અસંતોષ


  • Published By :
  • Published Date : 2022-11-25 22:15:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે, જો કે કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં સ્થાનિક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. જેથી સ્થાનિકોમાં આવા પેરાશુટ ઉમેદવારો પ્રત્યે અસંતોષ જોવા મળે છે. પણ ગુજરાતની એક સીટ એવી પણ જ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી જ લડ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ભાજપ અને કોંગ્રેસે હંમેશા આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી છે.


તાલાલાના લોકોના નસીબમાં આયાતી ઉમેદવારો

તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર શા માટે બનાવવા નથી આવતો તે અંગે સવાલો થતા રહે છે. જો કે આ મુદ્દે રાજકીય પક્ષોના નેતાો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે તાલાલા તાલુકામાં સંગઠનની નબળાઈ, લોકોપ્રિય સ્થાનિક નેતાનો અભાવ, ઉમેદવારની આર્થિક સદ્ધરતા પણ ન હોવાથી લોકોને સ્થાનિક ઉમેદવાર મળતો નથી. તાલાલા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાલાના મતદારો માટે મહત્વના છે.


તાલાલામાં કોઈ ધારાસભ્ય કાયમી નહીં

તાલાલાનો ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

તાલાલા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે, તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં  તાલાલા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.