ગુજરાતની આ બેઠક પર ત્રણ દાયકાથી રાજ કરે છે આયાતી ઉમેદવારો, લોકોમાં પણ ભારે અસંતોષ


  • Published By :
  • Published Date : 2022-11-25 22:15:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે, જો કે કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં સ્થાનિક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. જેથી સ્થાનિકોમાં આવા પેરાશુટ ઉમેદવારો પ્રત્યે અસંતોષ જોવા મળે છે. પણ ગુજરાતની એક સીટ એવી પણ જ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી જ લડ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ભાજપ અને કોંગ્રેસે હંમેશા આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી છે.


તાલાલાના લોકોના નસીબમાં આયાતી ઉમેદવારો

તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર શા માટે બનાવવા નથી આવતો તે અંગે સવાલો થતા રહે છે. જો કે આ મુદ્દે રાજકીય પક્ષોના નેતાો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે તાલાલા તાલુકામાં સંગઠનની નબળાઈ, લોકોપ્રિય સ્થાનિક નેતાનો અભાવ, ઉમેદવારની આર્થિક સદ્ધરતા પણ ન હોવાથી લોકોને સ્થાનિક ઉમેદવાર મળતો નથી. તાલાલા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાલાના મતદારો માટે મહત્વના છે.


તાલાલામાં કોઈ ધારાસભ્ય કાયમી નહીં

તાલાલાનો ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

તાલાલા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે, તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં  તાલાલા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .