ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની ઘોર નિરાશા, કોને તારશે અને કોને ડુબાડશે?


  • Published By :
  • Published Date : 2022-12-06 13:47:08

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જો કે બંને તબક્કામાં લોકોનું મતદાનને લઈ નિરાશાનું વલણ જોવા મળ્ચું. બંને તબક્કામાં માત્ર 60 ટકા જ મતદાન થતાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો ચિંતિત છે. રાજકીય પાર્રાટીઓના નેતાઓના જબરદસ્ત પ્રચાર છતાં લોકોમાં મતદાનને લઈ કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો.  રાજકીય પક્ષોના કાર્યકરોએ ડોર ટુ  ડોર અભિયાન ચલાવ્યું તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો ઠંડો પ્રતિસાદ ઉડીને આંખે વળગતો હતો.


બંને તબક્કામાં નિરશ મતદાન


રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  યોજાયું હતું. 19 જિલ્લાની 89 બેઠક માટે થયેલા પહેલા તબક્કામાં માત્ર  62.89% મતદાન થયું હતું. જ્યારે ગત 2017માં આ 19 જિલ્લામાં 68.33% મતદાન થયું હતું. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં 58% મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66% જેટલું મતદાન નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8% જેટલું ઓછુ મતદાન થયું છે.  બીજા તબક્કામાં વડોદરા અને અમદાવાદ જિલ્લામાં મતદાનમાં અનુક્રમે 14% અને 13%નો ઘટાડો જોવા મળ્યો છે. આટલું મોટું ગાબડું આ બંને જિલ્લાની સીટની સંખ્યાને જોતા બહુ મોટું કહેવાય. 


ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર થયેલા બીજા તબક્કાના મતદાનમાં પહેલા તબક્કા જેવો જ માહોલ હતો. બીજા તબક્કામાં જે 14 જિલ્લામાં મતદાન થયું તેમાંથી 11 જિલ્લા એવા છે કે જેમાં ગત 2017ની ચૂંટણીની તુલનામાં 10%થી ઓછું મતદાન થયું છે. 


નેતાઓએ સભાઓ ગજવી પણ પરિણામ વ્યર્થ


ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર સભાઓ ગજવી હતી. પહેલા તબક્કાનું મતદાન હતું ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ 12 સભા અને અમિત શાહે 7 સભા સંબોધી હતી. કેજરીવાલે પણ 4 રોડ શો કર્યા હતા અને ત્રણ સભા સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ માત્ર બે સભા સંબોધી હતી. પીએમ મોદીએ ધોરાજી, અમરેલી, રાજકોટ, ભાવનગર, નવસારી, બોટાદ, સુરત સહિતના સ્થળોએ એક ડઝન સભા કરી તે સીટ પર સરેરાશ 60% મતદાન થયું. જ્યારે અમિત શાહે જ્યાં સભા કરી તે જસદણ, અમરેલી, મહુવા સહિતના સ્થળોએ તો 45%-60% માંડ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતમાં 8 જાહેરસભાઓ જ્યારે ગૃહમંત્રી અમિત શાહે 9 જાહેરસભાઓ ગજવી હતી. જો કે ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં મતદાનમાં 10%થી વધુનો જ ઘટાડો જોવા મળ્યો હતો. આમાં પાટણમાં 12.77% અને મહેસાણામાં 11.54% મતદાન ઘટ્યું તે ખુબ જ ચિંતાજનક છે.


આદિવાસી પટ્ટામાં ભયાનક ઉદાસિનતા 


રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં સામાન્ય રીતે મતદાન ઉંચુ નોંધાય છે પણ આ વખતે ત્યાં પણ કોઈ ખાસ લહેર જોવા મળી નથી. પહેલા તબક્કામાં કુલ 19માંથી જે 18 જિલ્લામાં ઓછું મતદાન થયું હતું તેમાં આદિવાસી પટ્ટામાં સૌથી વધુ ઉદાસીનતા જોવા મળી હતી. તેમાં પણ 19માંથી 6 જિલ્લા તો એવા હતા કે જ્યાં મતદાનમાં 5%થી વધુ ગાબડું પડ્યું હતું. નર્મદા, ભરૂચ અને ડાંગમાં મતદાન બીજા જિલ્લાઓ કરતા ઊંચુ જ હતું. પરંતુ 2017ની સરખામણીમાં આ વખતે આ વિસ્તારોમાં પણ મતદાનમાં ખાસ્સું ગાબડું પડ્યું હતું. 13 આદિવાસી બેઠકો પર કુલ મળીને 58.4% મતદાન થયું હતું, જે પાંચ વર્ષ પહેલા બીજા તબક્કામાં 67.6% હતું. SCની છ બેઠકોએ પણ સારું પ્રદર્શન કર્યું નથી આ સીટો પર 2017માં 69.7% થયું હતું જે આ વખતે ઘટીને 57.5% થઈ ગયું છે.


અમદાવાદ શહેરમાં મતદાનનો આંક


અમદાવાદ શહેરનું મતદાન 54. 88% હતું, જે એક દાયકામાં સૌથી ઓછું છે. અમદાવાદ જિલ્લા માટે, પાંચ ગ્રામ્ય બેઠકો સહિત, મતદાન માત્ર 58. 32% નોંધાયું હતું. અમદાવાદ જિલ્લાની પાંચ ગ્રામ્ય બેઠકો સહિત, મતદાન માત્ર 58. 32%  નોંધાયું હતું. પૂર્વ અમદાવાદના અસારવામાં 56. 59%, બાપુનગરમાં 57. 21%, દાણીલીમડામાં 56%, દરિયાપુરમાં 58. 01%, જમાલપુર-ખાડિયામાં 58. 29%, મણિનગરમાં 55. 35%, વટવામાં 55. 31% મતદાન નોંધાયું હતું. અને નરોડામાં 52. 29% મતદાન થયું હતું. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની 23 શહેરી બેઠકોમાં, મતદાનમાં તીવ્ર ઘટાડો થયો છે, જે 2017 ના બીજા તબક્કામાં 67% થી ઘટીને 52.5% થઈ ગયો હતો. અમદાવાદમાં સૌથી ખરાબ (51.4%) રહ્યું હતું, ત્યારબાદ વડોદરા (54.53%) હતું. ) અને ત્યાર બાદ ગાંધીનગર (52%)નો નંબર આવે છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.