ચૂંટણીના પ્રથમ તબક્કામાં 69 મહિલા ઉમેદવારો, 18 કરોડપતિ, ચાર સામે પોલીસ કેસ


  • Published By :
  • Published Date : 2022-11-26 14:19:16

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી અભિયાન ચાલી રહ્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના દિવસે 89 બેઠકોનું મતદાન થનાર છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે. આ વખતે પ્રથમ તબક્કામાં 69 મહિલાઓ પણ ચૂંટણી મેદાને છે. આ 69 મહિલાઓમાં સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવારા રિવાબા જાડેજા પાસે 97 કરોડ છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ ભાવનગર વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જયાબેન બોરિચા પાસે માત્ર 3000 રૂપિયા જ છે.


ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષની મહિલા કરોડપતિઓ 


1-રિવાબા જાડેજા -જામનગર નોર્થ -97.35 કરોડ - ભાજપ
2-ભાનુબેન બાબરિયા-રાજકોટ રૂરલ-2.79 કરોડ -ભાજપ
3-ડો. દર્શિતા શાહ -રાજકોટ વેસ્ટ  10.05 કરોડ  -ભાજપ
4-ઢેલીબેન ઓડેદારા-કુતિયાણા-3.63 કરોડ-ભાજપ
5-ડો. દર્શના દેશમુખ -નાંદોદ-3.69 કરોડ-ભાજપ
6-ગીતાબા જાડેજા -ગોંડલ- 4.14 કરોડ-ભાજપ 
7-સંગીતા પાટીલ-લિંબાયત-2.10 કરોડ -ભાજપ 
8-ભારતી પટેલ કરંજ -16.84-કરોડ- કોંગ્રેસ
9-હેમાંગીની ગરાસિયા -મહુવા- 8 કરોડ-કોંગ્રેસ
10-જેરમાબેન વસાવા -ડેડિયાપાડા-1.38 કરોડ-કોંગ્રેસ
11-કલ્પનાબેન ધોરિયા-લીંબડીના- 1.15 કરોડ- કોંગ્રેસ
12-કલ્પનાબેન મુન્સી -નવસારી- 1.48 કરોડ- કોંગ્રેસ
13-પન્નાબેન પટેલ-બારડોલી-2.26 કરોડ-કોંગ્રેસ
14-લાલુબેન ચૌહાણ-તળાજા-2.87 કરોડ-AAP
15-સેજલ ખૂંટ-ઉનાના-1.50 કરોડ-AAP
16-સુશિલાબેન વાઘ- બારડોલી-1.50 કરોડ-BSP
17-સંગીતાબેન આહીર-ડાંગ-1.35 કરોડ-BSP 
18-પુનિતાબેન પારેખ-રાજકોટ સાઉથ-2.86 કરોડ-અપક્ષ


મહિલા ઉમેદવારો કેટલી છે શિક્ષિત?


રાજ્યની 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલી મહિલા ઉમેદવારોમાં 21 મહિલાઓ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે 40 જેટલી મહિલાઓ 5થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે 8 જેટલી મહિલાઓ ડોક્ટર, મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે 7 મહિલા ઉમેદવાર અભણ પણ છે. 


ગુનાઓમાં પણ મહિલાઓ પુરુષ સમોવડી


રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ ADRનો રિપોર્ટ આંખો ખોલી નાખે તેવો છે. પ્રથમ તબક્કામાં 69 મહિલાઓમાંથી 4 મહિલાઓ સામે પોલીસ સ્ટેશનમાં કેસો નોંધાયેલા છે. જેમાં એક મહિલા ઉમેદવાર સામે તો 3 કેસ નોંધાયેલા છે. કરંજના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ સામે 3 કેસ નોંધાયેલા છે. રાજકોટ સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર ભૂમિકા પટેલ સામે એક કેસ નોંધાયેલો છે. જ્યારે કામરેજના અપક્ષ ઉમેદવાર સુમનબેન કુશવાહ સામે 1 કેસ, રાજકોટ સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર પુનિતાબેન પારેખ સામે એક કેસ નોંધાયેલો છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.