વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે યુવાનોના મત બન્યા નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-24 15:17:05

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાર દાયક બાદ પ્રથમ વખત વાસ્તવિક ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.બીજી રસપ્રદ બાબત એ પણ છે કે રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચૂંટણીમાં યુવાવર્ગ કઇ તરફ મતદાન કરે છે તેના પર સમગ્ર પરિણામનો આધાર છે. 


યુવાનોનો મત નિર્ણાયક


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતા તેમાં ખાસ કરીને યુવાનોને આકર્ષી શકે તેવા કોઇ મુદ્દા સામે આવ્યા નથી અને સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં 4.9 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 2.35 કરોડ મતદારો એવા છે કે જે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. રાજ્યમાં ચાલુ વર્ષે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે 18-19 વર્ષના મતદાતા હોય તે 11.74 લાખ છે જ્યારે 30થી 39 વર્ષના 1.21 કરોડ અને 20 થી 29 વર્ષના 1.02 કરોડ મતદારો છે. આમ પ્રથમ વખત સિનિયર સિટીઝનમાં એન્ટ્રી કરવા જતા મતદારો અને યુવા મતદારો વચ્ચેના આ જંગ માની શકાય છે.


ચૂંટણી પંચની મહેનત રંગ લાવી


ચૂંટણી પંચે ખાસ કરીને જે રીતે નવા મતદારોની નોંધણી માટે ઘણી છૂટછાટો સાથે આખરી ઘડી સુધીની ઝુંબેશ ચલાવી તેના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અને રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં વર્તમાન મતદારોમાંથી મોટાભાગના મતદારો એવા છે કે જેણે ફક્ત ભાજપની જ સરકાર જોઇ છે.


2017માં યુવાનો ક્યા વળ્યા હતાં


જો કે સૌથી મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને જ્યારે 99 બેઠક મળી તે સમયે પણ 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા સૌથી વધુ હતી. જો કે તેમ છતાં 2017માં મોટાપાયે ભાજપ વિરોધી મતદાન થયું તેમાં પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાળો હોવાનું માનવામાં આવે છે પરંતુ તેના કારણે અનામતનો મુદ્દો જે સળગ્યો તે પણ ભાજપની ફેવરમાં ન હતો. આ ચૂંટણીમાં ભાજપ ઘણુ સાવધાનીથી આગળ વધી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.