વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે યુવાનોના મત બન્યા નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-24 15:17:05

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાર દાયક બાદ પ્રથમ વખત વાસ્તવિક ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.બીજી રસપ્રદ બાબત એ પણ છે કે રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચૂંટણીમાં યુવાવર્ગ કઇ તરફ મતદાન કરે છે તેના પર સમગ્ર પરિણામનો આધાર છે. 


યુવાનોનો મત નિર્ણાયક


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતા તેમાં ખાસ કરીને યુવાનોને આકર્ષી શકે તેવા કોઇ મુદ્દા સામે આવ્યા નથી અને સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં 4.9 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 2.35 કરોડ મતદારો એવા છે કે જે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. રાજ્યમાં ચાલુ વર્ષે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે 18-19 વર્ષના મતદાતા હોય તે 11.74 લાખ છે જ્યારે 30થી 39 વર્ષના 1.21 કરોડ અને 20 થી 29 વર્ષના 1.02 કરોડ મતદારો છે. આમ પ્રથમ વખત સિનિયર સિટીઝનમાં એન્ટ્રી કરવા જતા મતદારો અને યુવા મતદારો વચ્ચેના આ જંગ માની શકાય છે.


ચૂંટણી પંચની મહેનત રંગ લાવી


ચૂંટણી પંચે ખાસ કરીને જે રીતે નવા મતદારોની નોંધણી માટે ઘણી છૂટછાટો સાથે આખરી ઘડી સુધીની ઝુંબેશ ચલાવી તેના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અને રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં વર્તમાન મતદારોમાંથી મોટાભાગના મતદારો એવા છે કે જેણે ફક્ત ભાજપની જ સરકાર જોઇ છે.


2017માં યુવાનો ક્યા વળ્યા હતાં


જો કે સૌથી મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને જ્યારે 99 બેઠક મળી તે સમયે પણ 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા સૌથી વધુ હતી. જો કે તેમ છતાં 2017માં મોટાપાયે ભાજપ વિરોધી મતદાન થયું તેમાં પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાળો હોવાનું માનવામાં આવે છે પરંતુ તેના કારણે અનામતનો મુદ્દો જે સળગ્યો તે પણ ભાજપની ફેવરમાં ન હતો. આ ચૂંટણીમાં ભાજપ ઘણુ સાવધાનીથી આગળ વધી રહ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .