વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે યુવાનોના મત બન્યા નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-24 15:17:05

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાર દાયક બાદ પ્રથમ વખત વાસ્તવિક ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.બીજી રસપ્રદ બાબત એ પણ છે કે રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચૂંટણીમાં યુવાવર્ગ કઇ તરફ મતદાન કરે છે તેના પર સમગ્ર પરિણામનો આધાર છે. 


યુવાનોનો મત નિર્ણાયક


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતા તેમાં ખાસ કરીને યુવાનોને આકર્ષી શકે તેવા કોઇ મુદ્દા સામે આવ્યા નથી અને સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં 4.9 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 2.35 કરોડ મતદારો એવા છે કે જે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. રાજ્યમાં ચાલુ વર્ષે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે 18-19 વર્ષના મતદાતા હોય તે 11.74 લાખ છે જ્યારે 30થી 39 વર્ષના 1.21 કરોડ અને 20 થી 29 વર્ષના 1.02 કરોડ મતદારો છે. આમ પ્રથમ વખત સિનિયર સિટીઝનમાં એન્ટ્રી કરવા જતા મતદારો અને યુવા મતદારો વચ્ચેના આ જંગ માની શકાય છે.


ચૂંટણી પંચની મહેનત રંગ લાવી


ચૂંટણી પંચે ખાસ કરીને જે રીતે નવા મતદારોની નોંધણી માટે ઘણી છૂટછાટો સાથે આખરી ઘડી સુધીની ઝુંબેશ ચલાવી તેના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અને રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં વર્તમાન મતદારોમાંથી મોટાભાગના મતદારો એવા છે કે જેણે ફક્ત ભાજપની જ સરકાર જોઇ છે.


2017માં યુવાનો ક્યા વળ્યા હતાં


જો કે સૌથી મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને જ્યારે 99 બેઠક મળી તે સમયે પણ 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા સૌથી વધુ હતી. જો કે તેમ છતાં 2017માં મોટાપાયે ભાજપ વિરોધી મતદાન થયું તેમાં પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાળો હોવાનું માનવામાં આવે છે પરંતુ તેના કારણે અનામતનો મુદ્દો જે સળગ્યો તે પણ ભાજપની ફેવરમાં ન હતો. આ ચૂંટણીમાં ભાજપ ઘણુ સાવધાનીથી આગળ વધી રહ્યું છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.