ગુજરાત વિધાનસભા ચૂંટણી: 27 વર્ષના શાસનમાં ભાજપે કેમ એક જ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2022-10-28 19:11:18


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતીય જનતા પાર્ટી (BJP) એ 1980 માં તેની સ્થાપના પછી ગુજરાતમાં યોજાયેલી તમામ નવ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર છેલ્લીવાર મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેને હારનો સામનો કરવો પડ્યો હતો.


કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા 


મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતારવામાં કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ કરતાં સારો  છે, પરંતુ કોંગ્રેસ વસ્તીના હિસાબથી તેમને ટિકિટ આપવામાં પણ કચાશ રાખી છે. 1980 થી 2017 દરમિયાન યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 42 જીત્યા હતા.


વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટ્યું


છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી ચાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં તેમણે પાંચ મુસ્લિમોને ટિકિટ આપી અને બે જીત્યા. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે છ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ જીત્યા હતા. એ જ રીતે 2002માં પાંચમાંથી ત્રણ, 1998માં આઠમાંથી પાંચ, 1995માં એક, 1990માં 11માંથી બે, 1985માં 11માંથી આઠ અને 1980માં 17માંથી 12 ઉમેદવારો જીત્યા હતા.


મુસ્લીમો રાજ્યમાં સૌથી મોટી લઘુમતી


2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમો ગુજરાતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી લગભગ 30માં વસ્તીના 10 ટકા અને વસ્તીના 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .