ગુજરાત વિધાનસભા ચૂંટણી: 27 વર્ષના શાસનમાં ભાજપે કેમ એક જ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2022-10-28 19:11:18


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતીય જનતા પાર્ટી (BJP) એ 1980 માં તેની સ્થાપના પછી ગુજરાતમાં યોજાયેલી તમામ નવ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર છેલ્લીવાર મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેને હારનો સામનો કરવો પડ્યો હતો.


કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા 


મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતારવામાં કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ કરતાં સારો  છે, પરંતુ કોંગ્રેસ વસ્તીના હિસાબથી તેમને ટિકિટ આપવામાં પણ કચાશ રાખી છે. 1980 થી 2017 દરમિયાન યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 42 જીત્યા હતા.


વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટ્યું


છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી ચાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં તેમણે પાંચ મુસ્લિમોને ટિકિટ આપી અને બે જીત્યા. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે છ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ જીત્યા હતા. એ જ રીતે 2002માં પાંચમાંથી ત્રણ, 1998માં આઠમાંથી પાંચ, 1995માં એક, 1990માં 11માંથી બે, 1985માં 11માંથી આઠ અને 1980માં 17માંથી 12 ઉમેદવારો જીત્યા હતા.


મુસ્લીમો રાજ્યમાં સૌથી મોટી લઘુમતી


2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમો ગુજરાતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી લગભગ 30માં વસ્તીના 10 ટકા અને વસ્તીના 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.