ગુજરાત વિધાનસભા ચૂંટણી: 27 વર્ષના શાસનમાં ભાજપે કેમ એક જ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2022-10-28 19:11:18


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતીય જનતા પાર્ટી (BJP) એ 1980 માં તેની સ્થાપના પછી ગુજરાતમાં યોજાયેલી તમામ નવ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર છેલ્લીવાર મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેને હારનો સામનો કરવો પડ્યો હતો.


કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા 


મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતારવામાં કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ કરતાં સારો  છે, પરંતુ કોંગ્રેસ વસ્તીના હિસાબથી તેમને ટિકિટ આપવામાં પણ કચાશ રાખી છે. 1980 થી 2017 દરમિયાન યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 42 જીત્યા હતા.


વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટ્યું


છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી ચાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં તેમણે પાંચ મુસ્લિમોને ટિકિટ આપી અને બે જીત્યા. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે છ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ જીત્યા હતા. એ જ રીતે 2002માં પાંચમાંથી ત્રણ, 1998માં આઠમાંથી પાંચ, 1995માં એક, 1990માં 11માંથી બે, 1985માં 11માંથી આઠ અને 1980માં 17માંથી 12 ઉમેદવારો જીત્યા હતા.


મુસ્લીમો રાજ્યમાં સૌથી મોટી લઘુમતી


2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમો ગુજરાતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી લગભગ 30માં વસ્તીના 10 ટકા અને વસ્તીના 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.