ગુજરાત વિધાનસભા ચૂંટણી: 27 વર્ષના શાસનમાં ભાજપે કેમ એક જ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2022-10-28 19:11:18


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતીય જનતા પાર્ટી (BJP) એ 1980 માં તેની સ્થાપના પછી ગુજરાતમાં યોજાયેલી તમામ નવ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર છેલ્લીવાર મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેને હારનો સામનો કરવો પડ્યો હતો.


કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા 


મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતારવામાં કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ કરતાં સારો  છે, પરંતુ કોંગ્રેસ વસ્તીના હિસાબથી તેમને ટિકિટ આપવામાં પણ કચાશ રાખી છે. 1980 થી 2017 દરમિયાન યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 42 જીત્યા હતા.


વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટ્યું


છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી ચાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં તેમણે પાંચ મુસ્લિમોને ટિકિટ આપી અને બે જીત્યા. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે છ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ જીત્યા હતા. એ જ રીતે 2002માં પાંચમાંથી ત્રણ, 1998માં આઠમાંથી પાંચ, 1995માં એક, 1990માં 11માંથી બે, 1985માં 11માંથી આઠ અને 1980માં 17માંથી 12 ઉમેદવારો જીત્યા હતા.


મુસ્લીમો રાજ્યમાં સૌથી મોટી લઘુમતી


2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમો ગુજરાતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી લગભગ 30માં વસ્તીના 10 ટકા અને વસ્તીના 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.