ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 'આપ'નું આગમન ભાજપ કે કોંગ્રેસમાંથી સત્તામાં કોનું પુનરાગમન કરાવશે?


  • Published By :
  • Published Date : 2022-11-20 15:19:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ચૂ્ંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. અત્યાર સુધી ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સામે ટકરાઈ રહ્યા છે, પરંતુ પહેલીવાર અહીંની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ ત્રીજા પક્ષ તરીકે ચર્ચા છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પંજાબમાં સત્તા હસ્તગત કરી ત્યાર બાદ તેમનો આત્મવિશ્વાસ બુલંદ છે. જો કે રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે, કે પહેલી જ વિધાનસભાની ચૂંટણી આપ બહુમતી સીટો નહીં મેળવી શકે. આમ આદમી પાર્ટી તેની ચૂંટણી ગેરન્ટીમાં વીજળી,પાણી,શિક્ષણ અને આરોગ્ય સહિતની સુવિધાઓ નિશુસ્ક આપવાની જાહેરાત કરી છે. આ કારણે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ છે કે રાજ્યમાં આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસમાંથી કઈ પાર્ટીને સૌથી વધુ ફટકો પડશે.


ભાજપ- કોંગ્રેસથી નિરાશ લોકો માટે વિકલ્પ  


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી બે જ પક્ષો ભાજપ અને કોંગ્રેસ જ છે. ભાજપથી નિરાશ લોકો કોંગ્રેસને વોટ આપે તો પણ અંતે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહેતા હોવાથી લોકો નિરાશ છે. ગુજરાતમાં કોંગ્રેસ એક સક્ષમ વિરોધ પક્ષ બનવામાં નિષ્ફળ રહ્યો છે. રાજ્યમાં ભાજપની સફળતા કોંગ્રેસની નિષ્ફળતાના કારણે છે. હવે આ વિધાનસભાની ચૂંટણીમાં લોકો જો આપને મત આપે તો પણ હારજ-જીતનું માર્જીન બહું ઓછા મતનું હશે.


આપની ગેરન્ટી યોજના


અરવિંદ કેજરીવાલે તેમની ગેરન્ટીની જાહેરાતો દ્વારા ભાજપની કોર વોટ બેંક મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને ઉંચા વિજળીના દર તથા મોંઘો ગેસનો બાટલો આ બધી સમસ્યાથી સૌથી પિડિત મધ્યમ વર્ગ છે. હવે આ સ્થિતીમાં ભાજપને નુકસાન થવાની શક્યતા વધુ છે. ગુજરાતની ચૂંટણી પર નજર રાખી રહેલા પંડિતો પણ આ બાબત સ્વિકારી રહ્યા છે.


કોંગ્રેસની મજબુત વોટબેંક કઈ?


ગુજરાતમાં કોંગ્રેસ પાસે દલિત,આદિવાસી, લઘુમતી અને થોડું પણ મહત્વનું ઓબીસી વોટ બેંકનું સમર્થન છે. રાજ્યમાં દરેક વિધાનસભાની ચૂંટણીમાં આ વોંટબેંક કોંગ્રેસને વફાદાર રહી છે. આ જ કારણે ભાજપના લાખ પ્રયાસો છતાં પણ ગુજરાત ક્યારેય કોંગ્રેસ મુક્ત બન્યું નથી. વર્ષ 2017માં કોંગ્રેસને જબરદસ્ત સફળતા મળી હતી કોંગ્રેસે રાજ્યમાં 77 સીટો જીતી હતી. આ મજબુત વોટબેંકને આપ કે ભાજપ ક્યારેય પોતાની તરફ આકર્ષી શકશે નહીં. રાજ્યમાં દલિતોની સંખ્યા સાત ટકા છે અને તેઓ પરંપરાગત રીતે કૉંગ્રેસના છે. અનુસૂચિત જનજાતિ 14.75 ટકા છે અને તેઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે.  જ્યારે 71 બેઠકો પર ઓબીસીનું વર્ચસ્વ છે.


શહેરી મતદારો પર જ ભાજપની પકડ 


ભાજપ રાજ્યના શહેરી મતદારો પર સારી પકડ ધરાવે છે, જો કે ગ્રામીણ વિધાનસભા બેઠકો પર ભાજપથી લોકો નારાજ છે. રાજ્યમાં શહેરો અને ગ્રામીણ મતવિસ્તારોની સમસ્યાઓ જુદી છે. શહેરી વિસ્તારોમાં ભાજપ હિંદુત્વના નામે ધ્રુવીકરણ કરવામાં સફળ રહેશે પણ ગામડામાં આવી કોઈ શક્યતા નથી. પીએમ નરેન્દ્ર મોદી સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો પણ તેમનું  ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો તથા ઉત્તર ગુજરાત ના વિધાનસભાના મતવિસ્તારોમાં સૌથી વધુ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. 


'આપ' કોને ફળશે અને કોને નડશે?


હવે જોવાનું એ છે કે ગુજરાતમાં આપનું આગમન કોને ફળશે અને કોને નડશે.રાજ્યમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના મતદારો વહેંચાઈ જવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપ આદમી પાર્ટીએ મતદારોમાં ભાજપના શાસનને લઈ તીવ્ર અસંતોષ પેદા કર્યો છે. આપના તમામ ઉમેદવારો જીતે તેની કોઈ શક્યતા નથી પણ જો તે 5થી 10 ટકા મત પણ તોડે તો ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારોની હાર-જીત પર અસર કરી શકે છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે અનેક ઉમેદાવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. તો હવે જોવાનું એ છે કે 2022માં  AAP પણ આવી સ્થિતી સર્જશે કે શું.?




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.