વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો, એક દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વોક આઉટ


  • Published By :
  • Published Date : 2022-12-20 15:12:16

ગુજરાત વિધાનસભાનું આજે માત્ર એક દિવસનું સત્ર મળ્યું હતું. 15મી વિધાનસભા માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરીની જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. 


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ અને અંતિમ દિવસે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ સુધી ચર્ચા ન થતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ પણ વિપક્ષને મળી ન હતી. એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા ન હતા. આ બઘા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?


વિધાનસભામાં વિરોધ પક્ષોએ વોક આઉટ કર્યું  ત્યાર બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વોકઆઉટનું કારણ આપતા કહ્યું કે, વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે તે પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યના ટેબલ પર મૂકવી જોઈએ અને પછી તેમની પાસેથી આભાર પ્રસ્તાવની સામે તેમા સુધારો રજૂ કરવાનો કોઈપણ પક્ષને અધિકાર હોય છે. તેના પર નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ અમને મળી નથી અને એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા નથી. શાસક પક્ષે વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા 2-3 કલાકમાં પૂરી કરીને પ્રજાનો અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિપક્ષે રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો અને પહેલા જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા અધ્યક્ષનું પણ ધ્યાન દોર્યું. એટલે અમે આજે કમનસીબે પહેલા જ દિવસે, કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું છે.


વિધાનસભાના લાઈવ પ્રસારણની માંગ 


વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી  કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કંઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.