વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો, એક દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વોક આઉટ


  • Published By :
  • Published Date : 2022-12-20 15:12:16

ગુજરાત વિધાનસભાનું આજે માત્ર એક દિવસનું સત્ર મળ્યું હતું. 15મી વિધાનસભા માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરીની જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. 


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ અને અંતિમ દિવસે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ સુધી ચર્ચા ન થતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ પણ વિપક્ષને મળી ન હતી. એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા ન હતા. આ બઘા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?


વિધાનસભામાં વિરોધ પક્ષોએ વોક આઉટ કર્યું  ત્યાર બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વોકઆઉટનું કારણ આપતા કહ્યું કે, વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે તે પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યના ટેબલ પર મૂકવી જોઈએ અને પછી તેમની પાસેથી આભાર પ્રસ્તાવની સામે તેમા સુધારો રજૂ કરવાનો કોઈપણ પક્ષને અધિકાર હોય છે. તેના પર નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ અમને મળી નથી અને એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા નથી. શાસક પક્ષે વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા 2-3 કલાકમાં પૂરી કરીને પ્રજાનો અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિપક્ષે રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો અને પહેલા જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા અધ્યક્ષનું પણ ધ્યાન દોર્યું. એટલે અમે આજે કમનસીબે પહેલા જ દિવસે, કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું છે.


વિધાનસભાના લાઈવ પ્રસારણની માંગ 


વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી  કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કંઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.