વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો, એક દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વોક આઉટ


  • Published By :
  • Published Date : 2022-12-20 15:12:16

ગુજરાત વિધાનસભાનું આજે માત્ર એક દિવસનું સત્ર મળ્યું હતું. 15મી વિધાનસભા માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરીની જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. 


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ અને અંતિમ દિવસે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ સુધી ચર્ચા ન થતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ પણ વિપક્ષને મળી ન હતી. એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા ન હતા. આ બઘા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?


વિધાનસભામાં વિરોધ પક્ષોએ વોક આઉટ કર્યું  ત્યાર બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વોકઆઉટનું કારણ આપતા કહ્યું કે, વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે તે પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યના ટેબલ પર મૂકવી જોઈએ અને પછી તેમની પાસેથી આભાર પ્રસ્તાવની સામે તેમા સુધારો રજૂ કરવાનો કોઈપણ પક્ષને અધિકાર હોય છે. તેના પર નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ અમને મળી નથી અને એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા નથી. શાસક પક્ષે વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા 2-3 કલાકમાં પૂરી કરીને પ્રજાનો અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિપક્ષે રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો અને પહેલા જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા અધ્યક્ષનું પણ ધ્યાન દોર્યું. એટલે અમે આજે કમનસીબે પહેલા જ દિવસે, કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું છે.


વિધાનસભાના લાઈવ પ્રસારણની માંગ 


વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી  કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કંઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.