દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી ટેબલેટમાં વીડિયો ઉતાર્યો, અધ્યક્ષ શંકર ચૌધરીએ MLAs માટે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-09-15 16:02:05

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે, ગુજરાત વિધાન સભાનું કામ પેપર લેસ થાય તે માટે રાજ્ય સરકારે  ઈ-વિધાનસભાનો અભિગમ અપનાવી દરેક ધારાસભ્યને બે-બે ટેબ્લેટ આપ્યા છે. એક રીતે આ સારી પહેલ છે, તેના કારણે ધારાસભ્યો ગૃહમાં સવાલ-જવાબ તેમજ અન્ય જરૂરી અપડેટ મેળવી શકશે. જો કે હવે આ ટેબ્લેટનો પણ દુરૂપયોગ  વધી રહ્યો હોવાનું અધ્યક્ષના ધ્યાન પર આવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને તેને લઈને ટકોર કરી હતી. હવે ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્યો ટેબલેટનો ઉપયોગ માત્ર મુદ્દા જોવા પૂરતો જ કરી શકશે તેવો નિર્ણય કરાયો છે.


શા માટે અધ્યક્ષે નિર્ણય કર્યો? 


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) સંબોધન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે (Shailesh Parmar) સરકારી ટેબ્લેટમાં વીડિયો ઉતાર્યો હતો.આ દ્રશ્ય વેજલપુરના ભાજપના (BJP) ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thakar) પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. બાદમાં અધ્યક્ષે વીડિયો ડિલીટ કરાવી તમામ ધારાસભ્યો માટે આ કડક નિર્ણય લીધો હતો.આ ઘટનાક્રમ બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને આપેલા ટેબલેટ થી તેઓ રેકોર્ડિંગ નહીં કરી શકે એટલું જ નહીં ફોટા પણ પાડી શકશે નહીં ભાજપ સરકારે તમામ ધારાસભ્યોને જે ટેબ્લેટ આપ્યા છે તેનો ઉપયોગ કરવા તેમજ પોતાના પ્રવચનમાં માત્ર મુદ્દા જ જોઈ લેવા માટે તેનો ઉપયોગ કરવાની સૂચના અધ્યક્ષ એ આપતા ટેબલેટ થી ટાઈમ પાસ કરતા ધારાસભ્યો માટે આ નિર્ણય આકરો બન્યો છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) ટેબ્લેટના ઉપયોગ સમયે વિધાનસભાના નિયમો જાળવવા તેમજ ગૃહની પરંપરા સાચવવા તમામ સભ્યોને ચેતવણી આપી છે.


શૈલેષ પરમારે શું કહ્યું?


શૈલેષ પરમારે આ બાબતે વિધાનસભા ગૃહમાં એવી સ્પષ્ટતા કરી હતી કે ટેબલેટના રેકોર્ડિંગ કરવા પાછળનો મારો હેતુ તેની ટેકનોલોજી જાણવાનો હતો.મારો ઇરાદો સ્પષ્ટ અને સ્વચ્છ છે તેવી સ્પષ્ટતા કરી હતી.જોકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે,વિધાનસભાની કાર્યવાહીમાં જે નિયમો બન્યા છે તેની પરંપરા જાળવવા તમામ ધારાસભ્યોએ જાળવવી.ટેબલેટના ઉપયોગ સમયે કોઈપણ જાતનું રેકોર્ડિંગ નહીં કરવા તેમજ કોઈપણ પ્રકારના ફોટોગ્રાફી નહીં કરવાની સ્પષ્ટ સૂચના પણ વિધાનસભા રૂમમાં આપી હતી.કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડિયા એ પણ વિધાનસભા અધ્યક્ષને અપીલ કરી હતી કે, ધારાસભ્યો જ્યારે પ્રવચન કરે છે ત્યારે ટેબલેટમાં જોઈને આખેઆખું પ્રવચન કરે છે જેનાથી નિયમનો ભંગ થઈ રહ્યો છે.આ બાબતે પણ અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે હવેથી કોઈપણ ધારાસભ્ય પ્રવચનના માત્ર મુદ્દા જ જોઈ શકશે આખેઆખું પ્રવચન ટેબલેટ માંથી નહિ વાંચવા સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.