દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી ટેબલેટમાં વીડિયો ઉતાર્યો, અધ્યક્ષ શંકર ચૌધરીએ MLAs માટે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-09-15 16:02:05

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે, ગુજરાત વિધાન સભાનું કામ પેપર લેસ થાય તે માટે રાજ્ય સરકારે  ઈ-વિધાનસભાનો અભિગમ અપનાવી દરેક ધારાસભ્યને બે-બે ટેબ્લેટ આપ્યા છે. એક રીતે આ સારી પહેલ છે, તેના કારણે ધારાસભ્યો ગૃહમાં સવાલ-જવાબ તેમજ અન્ય જરૂરી અપડેટ મેળવી શકશે. જો કે હવે આ ટેબ્લેટનો પણ દુરૂપયોગ  વધી રહ્યો હોવાનું અધ્યક્ષના ધ્યાન પર આવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને તેને લઈને ટકોર કરી હતી. હવે ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્યો ટેબલેટનો ઉપયોગ માત્ર મુદ્દા જોવા પૂરતો જ કરી શકશે તેવો નિર્ણય કરાયો છે.


શા માટે અધ્યક્ષે નિર્ણય કર્યો? 


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) સંબોધન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે (Shailesh Parmar) સરકારી ટેબ્લેટમાં વીડિયો ઉતાર્યો હતો.આ દ્રશ્ય વેજલપુરના ભાજપના (BJP) ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thakar) પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. બાદમાં અધ્યક્ષે વીડિયો ડિલીટ કરાવી તમામ ધારાસભ્યો માટે આ કડક નિર્ણય લીધો હતો.આ ઘટનાક્રમ બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને આપેલા ટેબલેટ થી તેઓ રેકોર્ડિંગ નહીં કરી શકે એટલું જ નહીં ફોટા પણ પાડી શકશે નહીં ભાજપ સરકારે તમામ ધારાસભ્યોને જે ટેબ્લેટ આપ્યા છે તેનો ઉપયોગ કરવા તેમજ પોતાના પ્રવચનમાં માત્ર મુદ્દા જ જોઈ લેવા માટે તેનો ઉપયોગ કરવાની સૂચના અધ્યક્ષ એ આપતા ટેબલેટ થી ટાઈમ પાસ કરતા ધારાસભ્યો માટે આ નિર્ણય આકરો બન્યો છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) ટેબ્લેટના ઉપયોગ સમયે વિધાનસભાના નિયમો જાળવવા તેમજ ગૃહની પરંપરા સાચવવા તમામ સભ્યોને ચેતવણી આપી છે.


શૈલેષ પરમારે શું કહ્યું?


શૈલેષ પરમારે આ બાબતે વિધાનસભા ગૃહમાં એવી સ્પષ્ટતા કરી હતી કે ટેબલેટના રેકોર્ડિંગ કરવા પાછળનો મારો હેતુ તેની ટેકનોલોજી જાણવાનો હતો.મારો ઇરાદો સ્પષ્ટ અને સ્વચ્છ છે તેવી સ્પષ્ટતા કરી હતી.જોકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે,વિધાનસભાની કાર્યવાહીમાં જે નિયમો બન્યા છે તેની પરંપરા જાળવવા તમામ ધારાસભ્યોએ જાળવવી.ટેબલેટના ઉપયોગ સમયે કોઈપણ જાતનું રેકોર્ડિંગ નહીં કરવા તેમજ કોઈપણ પ્રકારના ફોટોગ્રાફી નહીં કરવાની સ્પષ્ટ સૂચના પણ વિધાનસભા રૂમમાં આપી હતી.કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડિયા એ પણ વિધાનસભા અધ્યક્ષને અપીલ કરી હતી કે, ધારાસભ્યો જ્યારે પ્રવચન કરે છે ત્યારે ટેબલેટમાં જોઈને આખેઆખું પ્રવચન કરે છે જેનાથી નિયમનો ભંગ થઈ રહ્યો છે.આ બાબતે પણ અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે હવેથી કોઈપણ ધારાસભ્ય પ્રવચનના માત્ર મુદ્દા જ જોઈ શકશે આખેઆખું પ્રવચન ટેબલેટ માંથી નહિ વાંચવા સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.