દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી ટેબલેટમાં વીડિયો ઉતાર્યો, અધ્યક્ષ શંકર ચૌધરીએ MLAs માટે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-09-15 16:02:05

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે, ગુજરાત વિધાન સભાનું કામ પેપર લેસ થાય તે માટે રાજ્ય સરકારે  ઈ-વિધાનસભાનો અભિગમ અપનાવી દરેક ધારાસભ્યને બે-બે ટેબ્લેટ આપ્યા છે. એક રીતે આ સારી પહેલ છે, તેના કારણે ધારાસભ્યો ગૃહમાં સવાલ-જવાબ તેમજ અન્ય જરૂરી અપડેટ મેળવી શકશે. જો કે હવે આ ટેબ્લેટનો પણ દુરૂપયોગ  વધી રહ્યો હોવાનું અધ્યક્ષના ધ્યાન પર આવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને તેને લઈને ટકોર કરી હતી. હવે ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્યો ટેબલેટનો ઉપયોગ માત્ર મુદ્દા જોવા પૂરતો જ કરી શકશે તેવો નિર્ણય કરાયો છે.


શા માટે અધ્યક્ષે નિર્ણય કર્યો? 


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) સંબોધન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે (Shailesh Parmar) સરકારી ટેબ્લેટમાં વીડિયો ઉતાર્યો હતો.આ દ્રશ્ય વેજલપુરના ભાજપના (BJP) ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thakar) પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. બાદમાં અધ્યક્ષે વીડિયો ડિલીટ કરાવી તમામ ધારાસભ્યો માટે આ કડક નિર્ણય લીધો હતો.આ ઘટનાક્રમ બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને આપેલા ટેબલેટ થી તેઓ રેકોર્ડિંગ નહીં કરી શકે એટલું જ નહીં ફોટા પણ પાડી શકશે નહીં ભાજપ સરકારે તમામ ધારાસભ્યોને જે ટેબ્લેટ આપ્યા છે તેનો ઉપયોગ કરવા તેમજ પોતાના પ્રવચનમાં માત્ર મુદ્દા જ જોઈ લેવા માટે તેનો ઉપયોગ કરવાની સૂચના અધ્યક્ષ એ આપતા ટેબલેટ થી ટાઈમ પાસ કરતા ધારાસભ્યો માટે આ નિર્ણય આકરો બન્યો છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) ટેબ્લેટના ઉપયોગ સમયે વિધાનસભાના નિયમો જાળવવા તેમજ ગૃહની પરંપરા સાચવવા તમામ સભ્યોને ચેતવણી આપી છે.


શૈલેષ પરમારે શું કહ્યું?


શૈલેષ પરમારે આ બાબતે વિધાનસભા ગૃહમાં એવી સ્પષ્ટતા કરી હતી કે ટેબલેટના રેકોર્ડિંગ કરવા પાછળનો મારો હેતુ તેની ટેકનોલોજી જાણવાનો હતો.મારો ઇરાદો સ્પષ્ટ અને સ્વચ્છ છે તેવી સ્પષ્ટતા કરી હતી.જોકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે,વિધાનસભાની કાર્યવાહીમાં જે નિયમો બન્યા છે તેની પરંપરા જાળવવા તમામ ધારાસભ્યોએ જાળવવી.ટેબલેટના ઉપયોગ સમયે કોઈપણ જાતનું રેકોર્ડિંગ નહીં કરવા તેમજ કોઈપણ પ્રકારના ફોટોગ્રાફી નહીં કરવાની સ્પષ્ટ સૂચના પણ વિધાનસભા રૂમમાં આપી હતી.કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડિયા એ પણ વિધાનસભા અધ્યક્ષને અપીલ કરી હતી કે, ધારાસભ્યો જ્યારે પ્રવચન કરે છે ત્યારે ટેબલેટમાં જોઈને આખેઆખું પ્રવચન કરે છે જેનાથી નિયમનો ભંગ થઈ રહ્યો છે.આ બાબતે પણ અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે હવેથી કોઈપણ ધારાસભ્ય પ્રવચનના માત્ર મુદ્દા જ જોઈ શકશે આખેઆખું પ્રવચન ટેબલેટ માંથી નહિ વાંચવા સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.