ગુજરાત એટીએસને મળી મોટી સફળતા! જાસુસીના આરોપમાં કચ્છના એક યુવકને દબોચ્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-08 18:46:45

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે જાસુસો દેશની ગુપ્ત માહિતી બીજા દેશો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવી જ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર જાસુસને એટીએસએ દબોચી કાઢ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર બીએસએફના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે હનીટ્રેપમાં તે પટાવાળો ફસાયો હતો જેને લઈ તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો અને બદલામાં રૂપિયા લેતો હતો.


બીએસએફમાં કરતો હતો પટાવાળાની નોકરી 

દેશની સુરક્ષા માટે અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે. આર્મી દેશની સીમાની રક્ષા કરે છે. પોલીસ શહેરોની રક્ષા કરે છે, તેવી જ રીતે અનેક એવી એજન્સી હોય છે જે સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે દેશની સુરક્ષા માટે યોગદાન આપતા હોય છે. તેવી જ એક એજન્સી છે એટીએસ. એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ. ત્યારે ગુજરાત એટીએસએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બીએસએફમાં પટાવાળા તરીકે બરજ બજાવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને ફોટોગ્રાફ્સની બદલીમાં તે 25000 રુપિયા લેતો હતો. પૂછપરછ બાદ આ મામલે બીજા અનેક ખુલાસા થઈ શકે છે. 


અનેક વખત એટીએસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી 

હનીટ્રેપમાં અનેક લોકો ફસાય છે. બ્લેકમેઈલ કરી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હનીટ્રેપમાં ફસાયેલા લોકો અનેક વખત આત્મહત્ચા કરી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ગુજરાત એટીએસએ કચ્છથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકને માહિતી આપવા બદલ 25 હજાર મેળવવતો હતો. હાલ તો આ મામલે એટીએસ તપાસ કરી રહી છે અને આ મામલે વધારે  ખુલાસા આવનાર સમયમાં થઈ શકે છે. મહત્વનું છે અનેક વખત એટીએસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા પણ ગુજરાત એટીએસ દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ થયો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.