ગુજરાત એટીએસને મળી મોટી સફળતા! જાસુસીના આરોપમાં કચ્છના એક યુવકને દબોચ્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-08 18:46:45

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે જાસુસો દેશની ગુપ્ત માહિતી બીજા દેશો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવી જ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર જાસુસને એટીએસએ દબોચી કાઢ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર બીએસએફના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે હનીટ્રેપમાં તે પટાવાળો ફસાયો હતો જેને લઈ તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો અને બદલામાં રૂપિયા લેતો હતો.


બીએસએફમાં કરતો હતો પટાવાળાની નોકરી 

દેશની સુરક્ષા માટે અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે. આર્મી દેશની સીમાની રક્ષા કરે છે. પોલીસ શહેરોની રક્ષા કરે છે, તેવી જ રીતે અનેક એવી એજન્સી હોય છે જે સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે દેશની સુરક્ષા માટે યોગદાન આપતા હોય છે. તેવી જ એક એજન્સી છે એટીએસ. એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ. ત્યારે ગુજરાત એટીએસએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બીએસએફમાં પટાવાળા તરીકે બરજ બજાવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને ફોટોગ્રાફ્સની બદલીમાં તે 25000 રુપિયા લેતો હતો. પૂછપરછ બાદ આ મામલે બીજા અનેક ખુલાસા થઈ શકે છે. 


અનેક વખત એટીએસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી 

હનીટ્રેપમાં અનેક લોકો ફસાય છે. બ્લેકમેઈલ કરી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હનીટ્રેપમાં ફસાયેલા લોકો અનેક વખત આત્મહત્ચા કરી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ગુજરાત એટીએસએ કચ્છથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકને માહિતી આપવા બદલ 25 હજાર મેળવવતો હતો. હાલ તો આ મામલે એટીએસ તપાસ કરી રહી છે અને આ મામલે વધારે  ખુલાસા આવનાર સમયમાં થઈ શકે છે. મહત્વનું છે અનેક વખત એટીએસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા પણ ગુજરાત એટીએસ દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ થયો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે