ગુજરાત એટીએસને મળી મોટી સફળતા! જાસુસીના આરોપમાં કચ્છના એક યુવકને દબોચ્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-08 18:46:45

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે જાસુસો દેશની ગુપ્ત માહિતી બીજા દેશો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવી જ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર જાસુસને એટીએસએ દબોચી કાઢ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર બીએસએફના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે હનીટ્રેપમાં તે પટાવાળો ફસાયો હતો જેને લઈ તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો અને બદલામાં રૂપિયા લેતો હતો.


બીએસએફમાં કરતો હતો પટાવાળાની નોકરી 

દેશની સુરક્ષા માટે અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે. આર્મી દેશની સીમાની રક્ષા કરે છે. પોલીસ શહેરોની રક્ષા કરે છે, તેવી જ રીતે અનેક એવી એજન્સી હોય છે જે સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે દેશની સુરક્ષા માટે યોગદાન આપતા હોય છે. તેવી જ એક એજન્સી છે એટીએસ. એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ. ત્યારે ગુજરાત એટીએસએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બીએસએફમાં પટાવાળા તરીકે બરજ બજાવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને ફોટોગ્રાફ્સની બદલીમાં તે 25000 રુપિયા લેતો હતો. પૂછપરછ બાદ આ મામલે બીજા અનેક ખુલાસા થઈ શકે છે. 


અનેક વખત એટીએસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી 

હનીટ્રેપમાં અનેક લોકો ફસાય છે. બ્લેકમેઈલ કરી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હનીટ્રેપમાં ફસાયેલા લોકો અનેક વખત આત્મહત્ચા કરી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ગુજરાત એટીએસએ કચ્છથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકને માહિતી આપવા બદલ 25 હજાર મેળવવતો હતો. હાલ તો આ મામલે એટીએસ તપાસ કરી રહી છે અને આ મામલે વધારે  ખુલાસા આવનાર સમયમાં થઈ શકે છે. મહત્વનું છે અનેક વખત એટીએસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા પણ ગુજરાત એટીએસ દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ થયો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.