ગુજરાત એટીએસને મળી મોટી સફળતા! જાસુસીના આરોપમાં કચ્છના એક યુવકને દબોચ્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-08 18:46:45

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે જાસુસો દેશની ગુપ્ત માહિતી બીજા દેશો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવી જ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર જાસુસને એટીએસએ દબોચી કાઢ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર બીએસએફના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે હનીટ્રેપમાં તે પટાવાળો ફસાયો હતો જેને લઈ તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો અને બદલામાં રૂપિયા લેતો હતો.


બીએસએફમાં કરતો હતો પટાવાળાની નોકરી 

દેશની સુરક્ષા માટે અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે. આર્મી દેશની સીમાની રક્ષા કરે છે. પોલીસ શહેરોની રક્ષા કરે છે, તેવી જ રીતે અનેક એવી એજન્સી હોય છે જે સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે દેશની સુરક્ષા માટે યોગદાન આપતા હોય છે. તેવી જ એક એજન્સી છે એટીએસ. એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ. ત્યારે ગુજરાત એટીએસએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બીએસએફમાં પટાવાળા તરીકે બરજ બજાવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને ફોટોગ્રાફ્સની બદલીમાં તે 25000 રુપિયા લેતો હતો. પૂછપરછ બાદ આ મામલે બીજા અનેક ખુલાસા થઈ શકે છે. 


અનેક વખત એટીએસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી 

હનીટ્રેપમાં અનેક લોકો ફસાય છે. બ્લેકમેઈલ કરી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હનીટ્રેપમાં ફસાયેલા લોકો અનેક વખત આત્મહત્ચા કરી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ગુજરાત એટીએસએ કચ્છથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકને માહિતી આપવા બદલ 25 હજાર મેળવવતો હતો. હાલ તો આ મામલે એટીએસ તપાસ કરી રહી છે અને આ મામલે વધારે  ખુલાસા આવનાર સમયમાં થઈ શકે છે. મહત્વનું છે અનેક વખત એટીએસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા પણ ગુજરાત એટીએસ દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ થયો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.