ગુજરાત ATSએ રાજકોટમાં 214 કરોડનું 31 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપ્યું, ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ? જાણો


  • Published By :
  • Published Date : 2023-05-12 20:55:15

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના યુવાનોને બરબાદ કરનારા ડ્રગ્સના વ્યાપારને રોકવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATSએ રાજકોટ- જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક રેડ પાડી 31 કિલો હેરોઈનના જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે. આ કેસમાં રાજકોટ રૂરલ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. 


 હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો


ગુજરાત ATSએ આ ત્રણ પૈકી એક નાઈઝીરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રિમાન્ડ માટે નાઈઝીરીયન શખ્સને રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યાં કોર્ટે આરોપીના 24 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા નાઈઝીરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. ATSની દરોડાની કાર્યવાહીમાં હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. 


ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ?


રાજકોટમાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મળી આવ્યો તે મામલે રાજકોટના સરકારી વકિલ એસ.કે વોરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. લોરેન્સ બીશ્નોઈ કેસના તપાસમાં મોટો ખુલાસો થયો છે. નાઈઝીરીયન શખ્સની પૂછપરછમાં પડધરી પાસે ડ્રગ્સ છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. નાઈઝીરીયાના ઓસોડીમાં રહેતા ઈકવુનાઈફ ઓકાફોર માર્સી નામનો શખ્સ દિલ્હીથી ઝડપાયો છે. પોલીસે 214 કરોડનું 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપ્યું છે. પાકિસ્તાનથી હેરોઇન ડ્રગ્સ રાજકોટ પહોંચ્યું હતું. હેરોઇન ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું. કુલ 5 શખ્સોની સંડોવણી ખુલી છે તે દિશામાં તપાસ શરૂ છે. પડધરીના જાફર નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  અનવર નામમાં શખ્સે પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જાફરી નામના શખ્સે રિસીવ કર્યું હતું. બબલુ નામનો શખ્સ દિલ્હી પહોંચાડવાનો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે