ગુજરાત ATSએ રાજકોટમાં 214 કરોડનું 31 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપ્યું, ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ? જાણો


  • Published By :
  • Published Date : 2023-05-12 20:55:15

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના યુવાનોને બરબાદ કરનારા ડ્રગ્સના વ્યાપારને રોકવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATSએ રાજકોટ- જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક રેડ પાડી 31 કિલો હેરોઈનના જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે. આ કેસમાં રાજકોટ રૂરલ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. 


 હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો


ગુજરાત ATSએ આ ત્રણ પૈકી એક નાઈઝીરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રિમાન્ડ માટે નાઈઝીરીયન શખ્સને રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યાં કોર્ટે આરોપીના 24 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા નાઈઝીરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. ATSની દરોડાની કાર્યવાહીમાં હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. 


ડ્રગ્સકાંડનો કઈ રીતે થયો પર્દાફાશ?


રાજકોટમાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મળી આવ્યો તે મામલે રાજકોટના સરકારી વકિલ એસ.કે વોરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. લોરેન્સ બીશ્નોઈ કેસના તપાસમાં મોટો ખુલાસો થયો છે. નાઈઝીરીયન શખ્સની પૂછપરછમાં પડધરી પાસે ડ્રગ્સ છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. નાઈઝીરીયાના ઓસોડીમાં રહેતા ઈકવુનાઈફ ઓકાફોર માર્સી નામનો શખ્સ દિલ્હીથી ઝડપાયો છે. પોલીસે 214 કરોડનું 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપ્યું છે. પાકિસ્તાનથી હેરોઇન ડ્રગ્સ રાજકોટ પહોંચ્યું હતું. હેરોઇન ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું. કુલ 5 શખ્સોની સંડોવણી ખુલી છે તે દિશામાં તપાસ શરૂ છે. પડધરીના જાફર નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  અનવર નામમાં શખ્સે પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જાફરી નામના શખ્સે રિસીવ કર્યું હતું. બબલુ નામનો શખ્સ દિલ્હી પહોંચાડવાનો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.