ટુરિઝમ ક્ષેત્રમાં Gujaratએ ગોવાને પછાડ્યું! વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું ફેવરિટ પ્લેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-03 16:46:10

ગુજરાત ટુરિઝમની વાત જ્યારે આવે ત્યારે આપણા મનમાં એક વાક્ય આવે અને તે હોય કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે... પ્રોગ્રામને કારણે વિદેશી પ્રવાસીયો ગુજરાત તરફ આકર્ષિત થયા છે. ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે ગોવાને પાછળ પાડી દીધું છે.. ઈન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતે સૌ પ્રથમ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.... ઈન્ટરનેશનલ ટૂરિસ્ટમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ગોવાનો ક્રમાંક 12માં નંબર પર પહોંચી ગયો છે. ગુજરાતમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 17.90 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


કયા રાજ્યની કેટલા ઈન્ટરનેશનલ વિઝિટર્સએ લીધી મુલાકાત?  

ગુજરાત ટુરિઝમ વિભાગની માહિતી અનુસાર વર્ષ 2019-20માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 5.95 લાખ હતી જ્યારે 2022-23માં આ સંખ્યા વધી છે અને તે 17.90 લાખ પર પહોંચી છે.. આ આંકડો ગોવાના આંકડા કરતા વધારે છે... અલગ અલગ રાજ્યોનો ડેટા શેર કરવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યા 17.90 લાખ છે, મહારાષ્ટ્રમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 15.17 લાખ હતી, પશ્ચિમ બંગાળનો આંકડો 10.37 લાખ છે , દિલ્હીનો આંકડો 8.16 લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 6.49 હતી. તમિલનાડુમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 4.07 લાખ, જ્યારે રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.97 લાખ છે. તે ઉપરાંત કેરળામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.46 લાખ છે, જ્યારે પંજાબમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.30 લાખ છે. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 2.05 લાખ છે. ઝારખંડમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.92 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં વધ્યો ગુજરાત આવવાનો ક્રેઝ

ટુરિઝમ પર દેશ તેમજ રાજ્યનો વિકાસ નિર્ભર હોય છે.. અનેક રાજ્યો, દેશ એવા છે જેમનું અર્થતંત્ર ટુરિઝમ પર નિર્ભર છે. ગુજરાતના ટુરિઝમ  પ્રત્યે વિદેશી લોકો આકર્ષિત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં અનેક ઘણો વધારો છેલ્લા થોડા વર્ષોની અંદર નોંધાયો છે. ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળની વિદેશથી આવેલા લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સીટીની મુલાકાત લેવાનું લોકો પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે... સૌથી વધુ કેનેડા તેમજ યુએસએના પર્યટકોએ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે...                



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.