ટુરિઝમ ક્ષેત્રમાં Gujaratએ ગોવાને પછાડ્યું! વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું ફેવરિટ પ્લેસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 16:46:10

ગુજરાત ટુરિઝમની વાત જ્યારે આવે ત્યારે આપણા મનમાં એક વાક્ય આવે અને તે હોય કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે... પ્રોગ્રામને કારણે વિદેશી પ્રવાસીયો ગુજરાત તરફ આકર્ષિત થયા છે. ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે ગોવાને પાછળ પાડી દીધું છે.. ઈન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતે સૌ પ્રથમ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.... ઈન્ટરનેશનલ ટૂરિસ્ટમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ગોવાનો ક્રમાંક 12માં નંબર પર પહોંચી ગયો છે. ગુજરાતમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 17.90 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


કયા રાજ્યની કેટલા ઈન્ટરનેશનલ વિઝિટર્સએ લીધી મુલાકાત?  

ગુજરાત ટુરિઝમ વિભાગની માહિતી અનુસાર વર્ષ 2019-20માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 5.95 લાખ હતી જ્યારે 2022-23માં આ સંખ્યા વધી છે અને તે 17.90 લાખ પર પહોંચી છે.. આ આંકડો ગોવાના આંકડા કરતા વધારે છે... અલગ અલગ રાજ્યોનો ડેટા શેર કરવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યા 17.90 લાખ છે, મહારાષ્ટ્રમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 15.17 લાખ હતી, પશ્ચિમ બંગાળનો આંકડો 10.37 લાખ છે , દિલ્હીનો આંકડો 8.16 લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 6.49 હતી. તમિલનાડુમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 4.07 લાખ, જ્યારે રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.97 લાખ છે. તે ઉપરાંત કેરળામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.46 લાખ છે, જ્યારે પંજાબમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 3.30 લાખ છે. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 2.05 લાખ છે. ઝારખંડમાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.92 લાખ છે જ્યારે ગોવામાં ઈન્ટરનેશનલ વિઝિટર્સની સંખ્યા 1.74 લાખ છે...


આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં વધ્યો ગુજરાત આવવાનો ક્રેઝ

ટુરિઝમ પર દેશ તેમજ રાજ્યનો વિકાસ નિર્ભર હોય છે.. અનેક રાજ્યો, દેશ એવા છે જેમનું અર્થતંત્ર ટુરિઝમ પર નિર્ભર છે. ગુજરાતના ટુરિઝમ  પ્રત્યે વિદેશી લોકો આકર્ષિત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં અનેક ઘણો વધારો છેલ્લા થોડા વર્ષોની અંદર નોંધાયો છે. ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળની વિદેશથી આવેલા લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સીટીની મુલાકાત લેવાનું લોકો પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે... સૌથી વધુ કેનેડા તેમજ યુએસએના પર્યટકોએ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે...                



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.