શાંતિ અને સલામતિમાં શ્રેષ્ટ રાજ્ય બન્યું ગુજરાતઃ હર્ષ સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 20:34:46

બદલાતા સમયમાં મહિલાઓ ઘરની બહાર નિકળી આત્મનિર્ભર બની રહી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્ય શાંતિ અને સુરક્ષા માટે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ પગલાને કારણે ગુજરાત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.   


હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું છે નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.



નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ થયો જાહેર

દેશના અનેક રાજ્યોમાં ચોરીના, ઘરફોડ તેમજ અનેક ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રી સશક્તિ કરણની વાતો વચ્ચે મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. આ બધા વચ્ચે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2021ના રિપોર્ટ જાહેર કરાયા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો છે. 

  ગુજરાતનો ક્રાઈમ રેટ 21.7 છે જે દેશના ક્રાઈમ રેટ કરતા 55.8 ઘણો ઓછો છે. ચોરી, લૂંટના ગુનામાં તેમજ ઘટફોડના ગુન્હામાં, ઉપરાંત મિલકત સંબંધિત ગુનામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરખામણીએ ગુજરાત રાજ્ય શાંત અને સલામત સાબીત થયું છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત 27માં નંબરે આવે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, ઘરફોડના દેશનો ક્રાઈમ રેટ 55.8 સામે ગુજરાતમાં પાંચ વર્ષમાં 14 ટકા ઘટાડો થયો છે.     


મહિલાની સુરક્ષામાં પણ ગુજરાત મોખરે 

મહિલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતની મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરે છે. મહિલાની સુરક્ષાની બાબતમાં ગુજરાતનું સ્થાન 36માંથી 32 ક્રમાંકે આવે છે. મહિલાઓ વિરૂદ્ધનો ક્રાઈમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો છે. તે ઉપરાંત બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ ઓછો છે.  


શું ખરેખર ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે?

ઘરેલુ હિંસા દિવસને દિવસે વધી રહેલી છે. અનેક મહિલાઓ જાતિવાદનો તેમજ હવસનો શિકાર બની રહી છે. વધી રહેલા ક્રાઈમને કારણે રાત્રે નિકળવામાં પણ હવે ગુજરાતની મહિલાઓ સંકોચાય છે. સુરતમાં એક યુવતીની ભર બજારે ગળા પર ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હમણાં જ ઉત્તર ગુજરાતમાં પણ બનાવ બન્યો હતો જેમાં આધેડે 19 વર્ષની કિશોરીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સેફ મનાઈ રહ્યું છે કારણ કે નવરાત્રિના સમયમાં મહિલાઓ ખુલ્લા રસ્તા પર અડધી રાત્રે પણ ફરે છે પરંતુ અમુક અપવાદો પણ સુરત જેવા નજર સામે આવે છે તે હકીકત છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .