શાંતિ અને સલામતિમાં શ્રેષ્ટ રાજ્ય બન્યું ગુજરાતઃ હર્ષ સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 20:34:46

બદલાતા સમયમાં મહિલાઓ ઘરની બહાર નિકળી આત્મનિર્ભર બની રહી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્ય શાંતિ અને સુરક્ષા માટે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ પગલાને કારણે ગુજરાત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.   


હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું છે નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.



નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ થયો જાહેર

દેશના અનેક રાજ્યોમાં ચોરીના, ઘરફોડ તેમજ અનેક ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રી સશક્તિ કરણની વાતો વચ્ચે મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. આ બધા વચ્ચે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2021ના રિપોર્ટ જાહેર કરાયા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો છે. 

  ગુજરાતનો ક્રાઈમ રેટ 21.7 છે જે દેશના ક્રાઈમ રેટ કરતા 55.8 ઘણો ઓછો છે. ચોરી, લૂંટના ગુનામાં તેમજ ઘટફોડના ગુન્હામાં, ઉપરાંત મિલકત સંબંધિત ગુનામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરખામણીએ ગુજરાત રાજ્ય શાંત અને સલામત સાબીત થયું છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત 27માં નંબરે આવે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, ઘરફોડના દેશનો ક્રાઈમ રેટ 55.8 સામે ગુજરાતમાં પાંચ વર્ષમાં 14 ટકા ઘટાડો થયો છે.     


મહિલાની સુરક્ષામાં પણ ગુજરાત મોખરે 

મહિલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતની મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરે છે. મહિલાની સુરક્ષાની બાબતમાં ગુજરાતનું સ્થાન 36માંથી 32 ક્રમાંકે આવે છે. મહિલાઓ વિરૂદ્ધનો ક્રાઈમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો છે. તે ઉપરાંત બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ ઓછો છે.  


શું ખરેખર ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે?

ઘરેલુ હિંસા દિવસને દિવસે વધી રહેલી છે. અનેક મહિલાઓ જાતિવાદનો તેમજ હવસનો શિકાર બની રહી છે. વધી રહેલા ક્રાઈમને કારણે રાત્રે નિકળવામાં પણ હવે ગુજરાતની મહિલાઓ સંકોચાય છે. સુરતમાં એક યુવતીની ભર બજારે ગળા પર ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હમણાં જ ઉત્તર ગુજરાતમાં પણ બનાવ બન્યો હતો જેમાં આધેડે 19 વર્ષની કિશોરીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સેફ મનાઈ રહ્યું છે કારણ કે નવરાત્રિના સમયમાં મહિલાઓ ખુલ્લા રસ્તા પર અડધી રાત્રે પણ ફરે છે પરંતુ અમુક અપવાદો પણ સુરત જેવા નજર સામે આવે છે તે હકીકત છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.