શાંતિ અને સલામતિમાં શ્રેષ્ટ રાજ્ય બન્યું ગુજરાતઃ હર્ષ સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 20:34:46

બદલાતા સમયમાં મહિલાઓ ઘરની બહાર નિકળી આત્મનિર્ભર બની રહી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્ય શાંતિ અને સુરક્ષા માટે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ પગલાને કારણે ગુજરાત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.   


હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું છે નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.



નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ થયો જાહેર

દેશના અનેક રાજ્યોમાં ચોરીના, ઘરફોડ તેમજ અનેક ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રી સશક્તિ કરણની વાતો વચ્ચે મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. આ બધા વચ્ચે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2021ના રિપોર્ટ જાહેર કરાયા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો છે. 

  ગુજરાતનો ક્રાઈમ રેટ 21.7 છે જે દેશના ક્રાઈમ રેટ કરતા 55.8 ઘણો ઓછો છે. ચોરી, લૂંટના ગુનામાં તેમજ ઘટફોડના ગુન્હામાં, ઉપરાંત મિલકત સંબંધિત ગુનામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરખામણીએ ગુજરાત રાજ્ય શાંત અને સલામત સાબીત થયું છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત 27માં નંબરે આવે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, ઘરફોડના દેશનો ક્રાઈમ રેટ 55.8 સામે ગુજરાતમાં પાંચ વર્ષમાં 14 ટકા ઘટાડો થયો છે.     


મહિલાની સુરક્ષામાં પણ ગુજરાત મોખરે 

મહિલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતની મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરે છે. મહિલાની સુરક્ષાની બાબતમાં ગુજરાતનું સ્થાન 36માંથી 32 ક્રમાંકે આવે છે. મહિલાઓ વિરૂદ્ધનો ક્રાઈમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો છે. તે ઉપરાંત બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ ઓછો છે.  


શું ખરેખર ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે?

ઘરેલુ હિંસા દિવસને દિવસે વધી રહેલી છે. અનેક મહિલાઓ જાતિવાદનો તેમજ હવસનો શિકાર બની રહી છે. વધી રહેલા ક્રાઈમને કારણે રાત્રે નિકળવામાં પણ હવે ગુજરાતની મહિલાઓ સંકોચાય છે. સુરતમાં એક યુવતીની ભર બજારે ગળા પર ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હમણાં જ ઉત્તર ગુજરાતમાં પણ બનાવ બન્યો હતો જેમાં આધેડે 19 વર્ષની કિશોરીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સેફ મનાઈ રહ્યું છે કારણ કે નવરાત્રિના સમયમાં મહિલાઓ ખુલ્લા રસ્તા પર અડધી રાત્રે પણ ફરે છે પરંતુ અમુક અપવાદો પણ સુરત જેવા નજર સામે આવે છે તે હકીકત છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"