શાંતિ અને સલામતિમાં શ્રેષ્ટ રાજ્ય બન્યું ગુજરાતઃ હર્ષ સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 20:34:46

બદલાતા સમયમાં મહિલાઓ ઘરની બહાર નિકળી આત્મનિર્ભર બની રહી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્ય શાંતિ અને સુરક્ષા માટે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ પગલાને કારણે ગુજરાત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.   


હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું છે નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.



નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ થયો જાહેર

દેશના અનેક રાજ્યોમાં ચોરીના, ઘરફોડ તેમજ અનેક ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રી સશક્તિ કરણની વાતો વચ્ચે મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. આ બધા વચ્ચે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2021ના રિપોર્ટ જાહેર કરાયા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો છે. 

  ગુજરાતનો ક્રાઈમ રેટ 21.7 છે જે દેશના ક્રાઈમ રેટ કરતા 55.8 ઘણો ઓછો છે. ચોરી, લૂંટના ગુનામાં તેમજ ઘટફોડના ગુન્હામાં, ઉપરાંત મિલકત સંબંધિત ગુનામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરખામણીએ ગુજરાત રાજ્ય શાંત અને સલામત સાબીત થયું છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત 27માં નંબરે આવે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, ઘરફોડના દેશનો ક્રાઈમ રેટ 55.8 સામે ગુજરાતમાં પાંચ વર્ષમાં 14 ટકા ઘટાડો થયો છે.     


મહિલાની સુરક્ષામાં પણ ગુજરાત મોખરે 

મહિલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતની મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરે છે. મહિલાની સુરક્ષાની બાબતમાં ગુજરાતનું સ્થાન 36માંથી 32 ક્રમાંકે આવે છે. મહિલાઓ વિરૂદ્ધનો ક્રાઈમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો છે. તે ઉપરાંત બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ ઓછો છે.  


શું ખરેખર ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે?

ઘરેલુ હિંસા દિવસને દિવસે વધી રહેલી છે. અનેક મહિલાઓ જાતિવાદનો તેમજ હવસનો શિકાર બની રહી છે. વધી રહેલા ક્રાઈમને કારણે રાત્રે નિકળવામાં પણ હવે ગુજરાતની મહિલાઓ સંકોચાય છે. સુરતમાં એક યુવતીની ભર બજારે ગળા પર ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હમણાં જ ઉત્તર ગુજરાતમાં પણ બનાવ બન્યો હતો જેમાં આધેડે 19 વર્ષની કિશોરીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સેફ મનાઈ રહ્યું છે કારણ કે નવરાત્રિના સમયમાં મહિલાઓ ખુલ્લા રસ્તા પર અડધી રાત્રે પણ ફરે છે પરંતુ અમુક અપવાદો પણ સુરત જેવા નજર સામે આવે છે તે હકીકત છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.