Gujarat : વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે અને કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોણ લડશે કોની સામે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-04-15 14:18:20

એક તરફ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે મતદાતાઓએ મતદાન કર્યું હતું, ધારાસભ્યો પણ ચૂંટાયા પરંતુ એકાએક તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. નેતાઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે.. આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

Image


પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસે કર્યા જાહેર 

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું લાગતું હતું કે પેટા ચૂંટણી માટે બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે પરંતુ એવું ના થયું. 26 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Article Content Image


કોને ક્યાંથી કોંગ્રેસે ઉતાર્યા ચૂંટણી મેદાનમાં?

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે માણાવદર માટે હરિભાઈ કણસાગરા, ખંભાત માટે મહેન્દ્રસિંહ પરમારને જ્યારે વાઘોડિયા માટે કનુભાઈ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત ઘણા સમય પહેલેથી કરી દીધી છે. જે પૂર્વ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્યએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી.  ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરશે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી...     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.