Gujarat : વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે અને કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોણ લડશે કોની સામે ચૂંટણી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 14:18:20

એક તરફ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે મતદાતાઓએ મતદાન કર્યું હતું, ધારાસભ્યો પણ ચૂંટાયા પરંતુ એકાએક તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. નેતાઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે.. આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

Image


પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસે કર્યા જાહેર 

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું લાગતું હતું કે પેટા ચૂંટણી માટે બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે પરંતુ એવું ના થયું. 26 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Article Content Image


કોને ક્યાંથી કોંગ્રેસે ઉતાર્યા ચૂંટણી મેદાનમાં?

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે માણાવદર માટે હરિભાઈ કણસાગરા, ખંભાત માટે મહેન્દ્રસિંહ પરમારને જ્યારે વાઘોડિયા માટે કનુભાઈ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત ઘણા સમય પહેલેથી કરી દીધી છે. જે પૂર્વ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્યએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી.  ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરશે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી...     



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...