મોવડીમંડળમાં ગુજરાત ભાજપના નેતાઓએ કરી રજૂઆત! અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જો બધું જ કોંગ્રેસવાળાને જ આપશો તો અમારે...?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:48:21

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે.. નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે.. તે સિવાય મંત્રી મંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે ત્યારે ભાજપના, પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને સંગઠનના ભાજપના નેતાઓ મોવડીમંડળના શરણે ગયા છે અને સવાલ કર્યો કે બધું કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું? 



શપથવિધીમાં થયો હતો નેતાઓનો જમાવડો  

લોકસભાની ચૂંટણી પુરી થયા પછી દિલ્હીમાં યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતાઓ સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો-ધારાસભ્યોએ હાજરી આપી હતી. શપથવિધિ પુરી થયા પછી કેટલાક નેતાઓ જમવાનું ટાળીને દિલ્હીમાં નેતાઓને મળવા પહોંચી ગયા હતા એવી માહિતી સામે આવી છે. અને ત્યાં જઈને પોતાની હૈયા વરાળ કાઢી . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ આપવામાં આવી રહ્યું છે તેને લઈ ચર્ચા કરવામાં આવી.. 




થોડા સમયની અંદર થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ 

થોડા જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ અને ગુજરાત પ્રદરેશ અધ્યક્ષ બદલવાની વાતો ચાલી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે ત્યારે નામ પણ અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હવે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણૂક થાય પણ મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત દિલ્હી દરબારમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ બદલ્યા ઉમેદવાર

અનેક વખત આપણે સાંભળ્યું છે કે ભાજપને પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો નડ્યો છે.. ભાજપમાં થતું કોંગ્રેસી કરણને કારણે ભાજપના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે.. ગુજરાત ભાજપમાં ચાલતા ડખાનો ખ્યાલ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો છે. પહેલી વખત એવું બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ હોય અને પછી ઉમેદવારને બદલવા પડ્યા હોય. લોકસભાની ચૂંટણીમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ દ્વારા. ભાજપના નેતાઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે.   


ભાજપમાં જ ભાજપના નેતાઓની થઈ રહી છે અવગણના? 

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ગયેલા નેતાઓએ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ રાખી હોવાની વાત સામે આવી છે. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓની, કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે તેવું તેમને લાગી રહ્યું છે. 


મૂળ ભાજનપના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી ઈચ્છા!

કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે. ટિકીટ અપાય છે..આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓ તેમની અવગણના થતી હોવાનું અનુભવે છે. આથી જો ગુજરાતમાં વિસ્તરણ થવાનું હોય તો મૂળભાજપના નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરી છે. એટલે એવું કહી શકે કે જો હાઇકમાંડ આ વાત ધ્યાનમાં રાખે છે તો તો અર્જુન મોઢવાડીયા અને સી જે ચાવડા સાથે પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વાળી થશે આ નેતાઓ ભાજપમાં મંત્રી બનવાના સપના તો લઈ ને આવ્યા હતા પણ એ પૂરા થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."