મોવડીમંડળમાં ગુજરાત ભાજપના નેતાઓએ કરી રજૂઆત! અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જો બધું જ કોંગ્રેસવાળાને જ આપશો તો અમારે...?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:48:21

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે.. નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે.. તે સિવાય મંત્રી મંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે ત્યારે ભાજપના, પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને સંગઠનના ભાજપના નેતાઓ મોવડીમંડળના શરણે ગયા છે અને સવાલ કર્યો કે બધું કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું? 



શપથવિધીમાં થયો હતો નેતાઓનો જમાવડો  

લોકસભાની ચૂંટણી પુરી થયા પછી દિલ્હીમાં યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતાઓ સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો-ધારાસભ્યોએ હાજરી આપી હતી. શપથવિધિ પુરી થયા પછી કેટલાક નેતાઓ જમવાનું ટાળીને દિલ્હીમાં નેતાઓને મળવા પહોંચી ગયા હતા એવી માહિતી સામે આવી છે. અને ત્યાં જઈને પોતાની હૈયા વરાળ કાઢી . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ આપવામાં આવી રહ્યું છે તેને લઈ ચર્ચા કરવામાં આવી.. 




થોડા સમયની અંદર થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ 

થોડા જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ અને ગુજરાત પ્રદરેશ અધ્યક્ષ બદલવાની વાતો ચાલી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે ત્યારે નામ પણ અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હવે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણૂક થાય પણ મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત દિલ્હી દરબારમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ બદલ્યા ઉમેદવાર

અનેક વખત આપણે સાંભળ્યું છે કે ભાજપને પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો નડ્યો છે.. ભાજપમાં થતું કોંગ્રેસી કરણને કારણે ભાજપના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે.. ગુજરાત ભાજપમાં ચાલતા ડખાનો ખ્યાલ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો છે. પહેલી વખત એવું બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ હોય અને પછી ઉમેદવારને બદલવા પડ્યા હોય. લોકસભાની ચૂંટણીમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ દ્વારા. ભાજપના નેતાઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે.   


ભાજપમાં જ ભાજપના નેતાઓની થઈ રહી છે અવગણના? 

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ગયેલા નેતાઓએ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ રાખી હોવાની વાત સામે આવી છે. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓની, કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે તેવું તેમને લાગી રહ્યું છે. 


મૂળ ભાજનપના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી ઈચ્છા!

કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે. ટિકીટ અપાય છે..આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓ તેમની અવગણના થતી હોવાનું અનુભવે છે. આથી જો ગુજરાતમાં વિસ્તરણ થવાનું હોય તો મૂળભાજપના નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરી છે. એટલે એવું કહી શકે કે જો હાઇકમાંડ આ વાત ધ્યાનમાં રાખે છે તો તો અર્જુન મોઢવાડીયા અને સી જે ચાવડા સાથે પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વાળી થશે આ નેતાઓ ભાજપમાં મંત્રી બનવાના સપના તો લઈ ને આવ્યા હતા પણ એ પૂરા થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.