મોવડીમંડળમાં ગુજરાત ભાજપના નેતાઓએ કરી રજૂઆત! અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જો બધું જ કોંગ્રેસવાળાને જ આપશો તો અમારે...?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:48:21

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે.. નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે.. તે સિવાય મંત્રી મંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે ત્યારે ભાજપના, પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને સંગઠનના ભાજપના નેતાઓ મોવડીમંડળના શરણે ગયા છે અને સવાલ કર્યો કે બધું કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું? 



શપથવિધીમાં થયો હતો નેતાઓનો જમાવડો  

લોકસભાની ચૂંટણી પુરી થયા પછી દિલ્હીમાં યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતાઓ સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો-ધારાસભ્યોએ હાજરી આપી હતી. શપથવિધિ પુરી થયા પછી કેટલાક નેતાઓ જમવાનું ટાળીને દિલ્હીમાં નેતાઓને મળવા પહોંચી ગયા હતા એવી માહિતી સામે આવી છે. અને ત્યાં જઈને પોતાની હૈયા વરાળ કાઢી . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ આપવામાં આવી રહ્યું છે તેને લઈ ચર્ચા કરવામાં આવી.. 




થોડા સમયની અંદર થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ 

થોડા જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ અને ગુજરાત પ્રદરેશ અધ્યક્ષ બદલવાની વાતો ચાલી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે ત્યારે નામ પણ અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હવે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણૂક થાય પણ મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત દિલ્હી દરબારમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ બદલ્યા ઉમેદવાર

અનેક વખત આપણે સાંભળ્યું છે કે ભાજપને પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો નડ્યો છે.. ભાજપમાં થતું કોંગ્રેસી કરણને કારણે ભાજપના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે.. ગુજરાત ભાજપમાં ચાલતા ડખાનો ખ્યાલ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો છે. પહેલી વખત એવું બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ હોય અને પછી ઉમેદવારને બદલવા પડ્યા હોય. લોકસભાની ચૂંટણીમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ દ્વારા. ભાજપના નેતાઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે.   


ભાજપમાં જ ભાજપના નેતાઓની થઈ રહી છે અવગણના? 

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ગયેલા નેતાઓએ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ રાખી હોવાની વાત સામે આવી છે. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓની, કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે તેવું તેમને લાગી રહ્યું છે. 


મૂળ ભાજનપના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી ઈચ્છા!

કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે. ટિકીટ અપાય છે..આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓ તેમની અવગણના થતી હોવાનું અનુભવે છે. આથી જો ગુજરાતમાં વિસ્તરણ થવાનું હોય તો મૂળભાજપના નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરી છે. એટલે એવું કહી શકે કે જો હાઇકમાંડ આ વાત ધ્યાનમાં રાખે છે તો તો અર્જુન મોઢવાડીયા અને સી જે ચાવડા સાથે પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વાળી થશે આ નેતાઓ ભાજપમાં મંત્રી બનવાના સપના તો લઈ ને આવ્યા હતા પણ એ પૂરા થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.