મોવડીમંડળમાં ગુજરાત ભાજપના નેતાઓએ કરી રજૂઆત! અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જો બધું જ કોંગ્રેસવાળાને જ આપશો તો અમારે...?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:48:21

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે.. નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે.. તે સિવાય મંત્રી મંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે ત્યારે ભાજપના, પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને સંગઠનના ભાજપના નેતાઓ મોવડીમંડળના શરણે ગયા છે અને સવાલ કર્યો કે બધું કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું? 



શપથવિધીમાં થયો હતો નેતાઓનો જમાવડો  

લોકસભાની ચૂંટણી પુરી થયા પછી દિલ્હીમાં યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતાઓ સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો-ધારાસભ્યોએ હાજરી આપી હતી. શપથવિધિ પુરી થયા પછી કેટલાક નેતાઓ જમવાનું ટાળીને દિલ્હીમાં નેતાઓને મળવા પહોંચી ગયા હતા એવી માહિતી સામે આવી છે. અને ત્યાં જઈને પોતાની હૈયા વરાળ કાઢી . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ આપવામાં આવી રહ્યું છે તેને લઈ ચર્ચા કરવામાં આવી.. 




થોડા સમયની અંદર થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ 

થોડા જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ અને ગુજરાત પ્રદરેશ અધ્યક્ષ બદલવાની વાતો ચાલી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે ત્યારે નામ પણ અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હવે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણૂક થાય પણ મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત દિલ્હી દરબારમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ બદલ્યા ઉમેદવાર

અનેક વખત આપણે સાંભળ્યું છે કે ભાજપને પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો નડ્યો છે.. ભાજપમાં થતું કોંગ્રેસી કરણને કારણે ભાજપના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે.. ગુજરાત ભાજપમાં ચાલતા ડખાનો ખ્યાલ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો છે. પહેલી વખત એવું બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ હોય અને પછી ઉમેદવારને બદલવા પડ્યા હોય. લોકસભાની ચૂંટણીમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ દ્વારા. ભાજપના નેતાઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે.   


ભાજપમાં જ ભાજપના નેતાઓની થઈ રહી છે અવગણના? 

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ગયેલા નેતાઓએ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ રાખી હોવાની વાત સામે આવી છે. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓની, કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે તેવું તેમને લાગી રહ્યું છે. 


મૂળ ભાજનપના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી ઈચ્છા!

કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે. ટિકીટ અપાય છે..આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓ તેમની અવગણના થતી હોવાનું અનુભવે છે. આથી જો ગુજરાતમાં વિસ્તરણ થવાનું હોય તો મૂળભાજપના નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરી છે. એટલે એવું કહી શકે કે જો હાઇકમાંડ આ વાત ધ્યાનમાં રાખે છે તો તો અર્જુન મોઢવાડીયા અને સી જે ચાવડા સાથે પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વાળી થશે આ નેતાઓ ભાજપમાં મંત્રી બનવાના સપના તો લઈ ને આવ્યા હતા પણ એ પૂરા થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.