Gujarat : Jayrajsinh Jadeja સહિત BJPના ક્ષત્રિય આગેવાનો પરસોત્તમ રૂપાલાના બચાવમાં મેદાને। વિવાદ શાંત થશે?


  • Published By :
  • Published Date : 2024-03-28 12:05:34

ગુજરાતમાં જાણે વિવાદનો વંટોળ ચાલી રહ્યો હોય તેવું લાગે છે... ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા... 

માફી માગ્યા બાદ પણ શાંત નથી થયો વિવાદ!  

થોડા દિવસ પહેલા વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભૂલ ભૂલમાં ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડાં પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ગયા, એક સમાજને સારું લાગવાના ચક્કરમાં બીજો સમાજ નારાજ થયો અને સ્થિતિએ આવીને ઊભી છે કે રાજકોટમાં પણ રાજસ્થાન પેટર્નથી કહેવાય રહ્યું છે કે ભાજપ તુજસે બૈર નહીં પર રૂપાલા તેરી ખૈર નહીં! રૂપાલા માફી પણ માંગી ચૂક્યા છે પણ શકિતસિંહ ગોહિલથી માંડીને અમિત ચાવડા કોંગ્રેસ તરફથી સતત આવતા નિવેદનો અને કરણીસેનાનો રોષ વિવાદને શાંત નથી પડવા દેતો, હવે ભાજપે જયરાજસિંહ જાડેજા ને મેદાને ઉતાર્યા છે.  


વિવાદને શાંત કરવા માટે ભાજપે જયરાજસિંહ જાડેજાને ઉતાર્યા મેદાને 

ગુજરાતના અનેક રજવાડાઓમાં ભાવનગર અને ગોંડલ જેવા સ્ટેટનું વિશેષ સ્થાન રહ્યુંછે. ટીકા ટિપ્પણી કરતા લોકો મહારાજા ભગવતસિંહજી અને મહારાજ કૃષ્ણકુમારસિંહજીના સમય અને યોગદાનને ઘણી વાર ભૂલી જતા હોય છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે અને પોતાની દબંગ બેબાક છવી માટે જાણીતા છે. જે તે સમયે રીબડા ગ્રુપ સાથેના સંઘર્ષ માટે પણ જાણીતા હતા. હવે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાનો જેમાં હકાભાથી માંડીને જયરાજસિંહ જાડેજા નો સમાવેશ થાય છે એ લોકો વિવાદને ખાળવાની કોશિશ કરવાના છે. સંભવત આ વિવાદ હવે આજે ઉકેલાઈ જાય એવું લાગી રહ્યું છે આગળ તો કરણીસેના આ વિષયમાં કઈ બાજુ ઝુકાવ રાખે છે એના પર આધાર રહેશે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."