રાજસ્થાનની સ્થિતિ પર ગુજરાત ભાજપનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:47:26

રાજસ્થાનમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે અશોક ગેહલોત રેસમાં સૌથી આગળ હતા. આગામી મહિને કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ગેહલોત દ્વારા નામાંકન કરવામાં આવ્યું. પરંતુ રેસમાં સૌથી આગળ મનાતા અને ગાંધી પરિવારથી સૌથી નજીકનો સંબંધ ધરાવતા અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

Ashok Gehlot vs Sachin Pilot in Rajasthan, TROUBLE intensifies as Congress  MLA resigns over Dalit student's DEATH | India News | Zee News

ગુજરાત ભાજપે કર્યો રાજસ્થાનની સ્થિતિ પર કટાક્ષ

રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે વિવાદ સર્જાયો હતો. સચિન પાયલોટનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવતા અનેક ધારાસભ્યોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા ગેહલોતે પોતાનું નામ પાછુ લઈ લીધું હતું. રાજસ્થાનમાં થયેલી ગતિવિધીના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનમાં થયેલા વિવાદને લઈ ગુજરાત ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કટાક્ષ કરતા ટ્વિટ કરી કે ભારત જોડોનો દંભ કરતી કોંગ્રેસ અંદરથી જ તૂટી રહી છે. રાજસ્થાન સચવાતું નથીને ગુજરાત તથા ભારત સર કરવાના સ્વપ્ન જોઈ રહી છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .