રાજસ્થાનની સ્થિતિ પર ગુજરાત ભાજપનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:47:26

રાજસ્થાનમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે અશોક ગેહલોત રેસમાં સૌથી આગળ હતા. આગામી મહિને કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ગેહલોત દ્વારા નામાંકન કરવામાં આવ્યું. પરંતુ રેસમાં સૌથી આગળ મનાતા અને ગાંધી પરિવારથી સૌથી નજીકનો સંબંધ ધરાવતા અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

Ashok Gehlot vs Sachin Pilot in Rajasthan, TROUBLE intensifies as Congress  MLA resigns over Dalit student's DEATH | India News | Zee News

ગુજરાત ભાજપે કર્યો રાજસ્થાનની સ્થિતિ પર કટાક્ષ

રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે વિવાદ સર્જાયો હતો. સચિન પાયલોટનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવતા અનેક ધારાસભ્યોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા ગેહલોતે પોતાનું નામ પાછુ લઈ લીધું હતું. રાજસ્થાનમાં થયેલી ગતિવિધીના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનમાં થયેલા વિવાદને લઈ ગુજરાત ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કટાક્ષ કરતા ટ્વિટ કરી કે ભારત જોડોનો દંભ કરતી કોંગ્રેસ અંદરથી જ તૂટી રહી છે. રાજસ્થાન સચવાતું નથીને ગુજરાત તથા ભારત સર કરવાના સ્વપ્ન જોઈ રહી છે.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"