રાજસ્થાનની સ્થિતિ પર ગુજરાત ભાજપનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:47:26

રાજસ્થાનમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે અશોક ગેહલોત રેસમાં સૌથી આગળ હતા. આગામી મહિને કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ગેહલોત દ્વારા નામાંકન કરવામાં આવ્યું. પરંતુ રેસમાં સૌથી આગળ મનાતા અને ગાંધી પરિવારથી સૌથી નજીકનો સંબંધ ધરાવતા અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

Ashok Gehlot vs Sachin Pilot in Rajasthan, TROUBLE intensifies as Congress  MLA resigns over Dalit student's DEATH | India News | Zee News

ગુજરાત ભાજપે કર્યો રાજસ્થાનની સ્થિતિ પર કટાક્ષ

રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે વિવાદ સર્જાયો હતો. સચિન પાયલોટનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવતા અનેક ધારાસભ્યોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા ગેહલોતે પોતાનું નામ પાછુ લઈ લીધું હતું. રાજસ્થાનમાં થયેલી ગતિવિધીના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનમાં થયેલા વિવાદને લઈ ગુજરાત ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કટાક્ષ કરતા ટ્વિટ કરી કે ભારત જોડોનો દંભ કરતી કોંગ્રેસ અંદરથી જ તૂટી રહી છે. રાજસ્થાન સચવાતું નથીને ગુજરાત તથા ભારત સર કરવાના સ્વપ્ન જોઈ રહી છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.