Gujarat Board Result: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ, ધો. 10નું આ તારીખે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2024-05-09 11:01:48

ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વિદ્યાર્થીના કારકિર્દી પર ઘણું અસર કરતું હોય છે.. ત્યારે આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.. ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે પરિણામ સારૂં આવ્યું છે.. 

મોરબી જિલ્લાએ મારી બાજી

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જો ઓવરઓલ પરિણામની વાત કરીએ તો ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે ફરી એક વાર  સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયું છે. 


કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

માર્ચ 2024માં કુલ 502 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 3,78,269 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.  3,47,738 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 97.97 ટકા નોંધાયું છે જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે.. જો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 84.81 ટકા પરિણામ નોંધાયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા નોંધાયું છે..    

ચૂંટણી પંચના નિયમોને આધીન કરાયું પરિણામ જાહેર!

બીજી એક મહત્વની વાત કે રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સંહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે. આ બધા વચ્ચે એવી પણ માહિતી સામે આવી છે કે 11મે 2024ના રોજ સવારે 9 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે