Gujarat Board Result: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ, ધો. 10નું આ તારીખે આવશે પરિણામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 11:01:48

ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વિદ્યાર્થીના કારકિર્દી પર ઘણું અસર કરતું હોય છે.. ત્યારે આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.. ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે પરિણામ સારૂં આવ્યું છે.. 

મોરબી જિલ્લાએ મારી બાજી

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જો ઓવરઓલ પરિણામની વાત કરીએ તો ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે ફરી એક વાર  સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયું છે. 


કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

માર્ચ 2024માં કુલ 502 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 3,78,269 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.  3,47,738 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 97.97 ટકા નોંધાયું છે જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે.. જો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 84.81 ટકા પરિણામ નોંધાયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા નોંધાયું છે..    

ચૂંટણી પંચના નિયમોને આધીન કરાયું પરિણામ જાહેર!

બીજી એક મહત્વની વાત કે રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સંહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે. આ બધા વચ્ચે એવી પણ માહિતી સામે આવી છે કે 11મે 2024ના રોજ સવારે 9 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે... 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.