Gujarat Board Result: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ, ધો. 10નું આ તારીખે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2024-05-09 11:01:48

ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વિદ્યાર્થીના કારકિર્દી પર ઘણું અસર કરતું હોય છે.. ત્યારે આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.. ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે પરિણામ સારૂં આવ્યું છે.. 

મોરબી જિલ્લાએ મારી બાજી

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જો ઓવરઓલ પરિણામની વાત કરીએ તો ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે ફરી એક વાર  સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયું છે. 


કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

માર્ચ 2024માં કુલ 502 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 3,78,269 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.  3,47,738 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 97.97 ટકા નોંધાયું છે જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે.. જો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 84.81 ટકા પરિણામ નોંધાયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા નોંધાયું છે..    

ચૂંટણી પંચના નિયમોને આધીન કરાયું પરિણામ જાહેર!

બીજી એક મહત્વની વાત કે રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સંહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે. આ બધા વચ્ચે એવી પણ માહિતી સામે આવી છે કે 11મે 2024ના રોજ સવારે 9 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.