Gujarat Budget 2024 : 112 નંબર ડાયલ કરવાનો પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, ગુજરાતનાં બજેટમાં એલાન!


  • Published By :
  • Published Date : 2024-02-02 15:52:18

થોડા સમય પહેલા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિરૂદ્ધ જો ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાય. પોલીસ દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે. આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, એક જ નંબર ડાયલ કરવાનો અને પોલીસ 10 મિનિટમાં આવી જશે. ગુજરાતનાં બજેટમાં આ મોટું એલાન કરવામાં આવ્યું છે. 

એક જ નંબર પર ફોન કરવાથી મળી રહેશે ઈમરજન્સી સુવિધાઓ!   

બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, અનેક જાહેરાતો કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ફાળવણી વિવિધ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ત્યારે એક ઈમરજન્સી નંબરની જાહેરાત પણ કરવામાં આવી છે. 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે. 


112 નંબર કરવામાં આવ્યો છે જાહેર 

જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, તેવી સુવિધા ગુજરાતમાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 112 આ એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 


પોલીસની ધીમી કામગીરી અનેક વખત દેખાતી હોય છે!

USમાં જે પ્રકારની સિસ્ટમ છે એવી સિસ્ટમ લાગુ કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે પણ હવે જોવાનું એ રહ્યું કે સરકારની વ્યવસ્થાનું પાલન કેટલું થાય છે કારણ કે ઘણી વાર પોલીસની ધીમી કામગીરી પણ દેખાતી હોય છે. 100 નંબર તો ઇમર્જન્સીમાં જનતાએ ડાયલ કર્યો અને વ્યવસ્થા મળી છે. પણ હવે આ નવી વ્યવસ્થા તંત્ર અને જનતા બંને યોગ્ય ઉપયોગ કરે એવી આશા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.