Gujarat Budget 2024 : 112 નંબર ડાયલ કરવાનો પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, ગુજરાતનાં બજેટમાં એલાન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 15:52:18

થોડા સમય પહેલા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિરૂદ્ધ જો ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાય. પોલીસ દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે. આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, એક જ નંબર ડાયલ કરવાનો અને પોલીસ 10 મિનિટમાં આવી જશે. ગુજરાતનાં બજેટમાં આ મોટું એલાન કરવામાં આવ્યું છે. 

એક જ નંબર પર ફોન કરવાથી મળી રહેશે ઈમરજન્સી સુવિધાઓ!   

બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, અનેક જાહેરાતો કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ફાળવણી વિવિધ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ત્યારે એક ઈમરજન્સી નંબરની જાહેરાત પણ કરવામાં આવી છે. 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે. 


112 નંબર કરવામાં આવ્યો છે જાહેર 

જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, તેવી સુવિધા ગુજરાતમાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 112 આ એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 


પોલીસની ધીમી કામગીરી અનેક વખત દેખાતી હોય છે!

USમાં જે પ્રકારની સિસ્ટમ છે એવી સિસ્ટમ લાગુ કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે પણ હવે જોવાનું એ રહ્યું કે સરકારની વ્યવસ્થાનું પાલન કેટલું થાય છે કારણ કે ઘણી વાર પોલીસની ધીમી કામગીરી પણ દેખાતી હોય છે. 100 નંબર તો ઇમર્જન્સીમાં જનતાએ ડાયલ કર્યો અને વ્યવસ્થા મળી છે. પણ હવે આ નવી વ્યવસ્થા તંત્ર અને જનતા બંને યોગ્ય ઉપયોગ કરે એવી આશા છે.



મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં ફરી રહી છે. ત્યારે આણંદના વિદ્યાનગર યાત્રા પહોંચી હતી. ત્યાંના વિદ્યાર્થીઓએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ .

જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરી રહી છે તેમનું વિઝન જાણવા માટે. ભાજપના ઉમેદવારે તો ફોન ના ઉપાડ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે તેમનું વિઝન જણાવ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા આ બેઠકના ઉમેદવાર છે.. પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લીડની વાત કરવામાં આવી રહી છે...