Gujarat Budget 2024 : 112 નંબર ડાયલ કરવાનો પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, ગુજરાતનાં બજેટમાં એલાન!


  • Published By :
  • Published Date : 2024-02-02 15:52:18

થોડા સમય પહેલા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિરૂદ્ધ જો ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાય. પોલીસ દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે. આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, એક જ નંબર ડાયલ કરવાનો અને પોલીસ 10 મિનિટમાં આવી જશે. ગુજરાતનાં બજેટમાં આ મોટું એલાન કરવામાં આવ્યું છે. 

એક જ નંબર પર ફોન કરવાથી મળી રહેશે ઈમરજન્સી સુવિધાઓ!   

બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, અનેક જાહેરાતો કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ફાળવણી વિવિધ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ત્યારે એક ઈમરજન્સી નંબરની જાહેરાત પણ કરવામાં આવી છે. 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે. 


112 નંબર કરવામાં આવ્યો છે જાહેર 

જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, તેવી સુવિધા ગુજરાતમાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 112 આ એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 


પોલીસની ધીમી કામગીરી અનેક વખત દેખાતી હોય છે!

USમાં જે પ્રકારની સિસ્ટમ છે એવી સિસ્ટમ લાગુ કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે પણ હવે જોવાનું એ રહ્યું કે સરકારની વ્યવસ્થાનું પાલન કેટલું થાય છે કારણ કે ઘણી વાર પોલીસની ધીમી કામગીરી પણ દેખાતી હોય છે. 100 નંબર તો ઇમર્જન્સીમાં જનતાએ ડાયલ કર્યો અને વ્યવસ્થા મળી છે. પણ હવે આ નવી વ્યવસ્થા તંત્ર અને જનતા બંને યોગ્ય ઉપયોગ કરે એવી આશા છે.



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.