Gujarat Budget 2024 : શિક્ષણ પાછળ બજેટમાં ફળવાયા આટલા કરોડ રૂપિયા, બાળકોને આપવામાં આવશે આર્થિક સહાય!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:39:25

દેશનું ભવિષ્ય બાળકોના ભવિષ્ય પર નિર્ભર રહેલું હોય છે. બાળકોને દેશનું ભાવિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે અનેક યોજનાનો, અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હોય છે જેને લઈ બાળકો શિક્ષા માટે આકર્ષાય. ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધરે તે માટે અનેક યોજનાનો શરૂ કરવામાં આવી. આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા આટલા કરોડ રૂપિયા!

વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે ,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. 

આ યોજનાની કરાઈ જાહેરાત 

નમો લક્ષ્મી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરાઈ છે.' ન માત્ર શાળા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ આંગણવાડી માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તેમજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.