Gujarat Budget 2024 : શિક્ષણ પાછળ બજેટમાં ફળવાયા આટલા કરોડ રૂપિયા, બાળકોને આપવામાં આવશે આર્થિક સહાય!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:39:25

દેશનું ભવિષ્ય બાળકોના ભવિષ્ય પર નિર્ભર રહેલું હોય છે. બાળકોને દેશનું ભાવિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે અનેક યોજનાનો, અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હોય છે જેને લઈ બાળકો શિક્ષા માટે આકર્ષાય. ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધરે તે માટે અનેક યોજનાનો શરૂ કરવામાં આવી. આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા આટલા કરોડ રૂપિયા!

વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે ,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. 

આ યોજનાની કરાઈ જાહેરાત 

નમો લક્ષ્મી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરાઈ છે.' ન માત્ર શાળા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ આંગણવાડી માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તેમજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"