Gujarat Budget 2024 : શિક્ષણ પાછળ બજેટમાં ફળવાયા આટલા કરોડ રૂપિયા, બાળકોને આપવામાં આવશે આર્થિક સહાય!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 14:39:25

દેશનું ભવિષ્ય બાળકોના ભવિષ્ય પર નિર્ભર રહેલું હોય છે. બાળકોને દેશનું ભાવિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે અનેક યોજનાનો, અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હોય છે જેને લઈ બાળકો શિક્ષા માટે આકર્ષાય. ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધરે તે માટે અનેક યોજનાનો શરૂ કરવામાં આવી. આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા આટલા કરોડ રૂપિયા!

વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે ,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. 

આ યોજનાની કરાઈ જાહેરાત 

નમો લક્ષ્મી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરાઈ છે.' ન માત્ર શાળા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ આંગણવાડી માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તેમજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..