Gujarat By Election : 156 બેઠક ભાજપને ઓછી પડી હતી, પેટાચૂંટણી થઈ પણ તો ય હાર તો જોવી જ પડશે!


  • Published By :
  • Published Date : 2024-06-03 17:02:08

લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ. આવતી કાલે લોકસભા બેઠકની સાથે સાથે પેટા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે.. 2022માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી.. પરંતુ ભાજપને 156 સીટો પણ ઓછી પડતી હોય તેવું લાગે છે.. ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું એટલે પાંચ બેઠકો પર ફરી એક વખત ચૂંટણી થઈ રહી છે.. વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાતાઓએ ફરી એક વખત મતદાન કર્યું..  

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જોડાયા ભાજપમાં 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. અનેક વર્ષોથી ભાજપની સરકાર ગુજરાતમાં છે.. 2022માં વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 156 સીટો મેળવી.. આટલી સીટો મળ્યા બાદ પણ ભાજપને જાણે ઓછું લાગતું હોય તેવું લાગે.. 156 સીટો મળ્યા પછી પણ થોડા સમય પહેલા એક બાદ એક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. ના માત્ર ધારાસભ્યો પરંતુ અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા. 161 બેઠકો કરવાની ભાજપની તૈયારી હોય પરંતુ અનેક વિધાનસભા બેઠકો એવી છે જ્યાં કોંગેસના ઉમેદવાર જીતી શકે છે પેટા ચૂંટણીમાં..


આ બે ઉમેદવારો વચ્ચે થવાની છે કાંટાની ટક્કર 

ખંભાતના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. બીજેપીના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલને ટિકીટ આપવામાં આવી જ્યારે મહેન્દ્ર સિંહ પરમાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ચિરાગ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી જીત્યા ત્યારે તે ઓછી સરેરાશથી જીત્યા હતા ત્યારે આ વખતે તે ભાજપ તરફથી ઉમેદવાર છે. રાજીનામું આપતા પહેલા તેઓ કહેતા હતા કે તે રાજીનામું નથી આપી રહ્યા.. પરંતુ તેની થોડી મિનીટો પછી જ તેમણે રાજીનામું આપી દીધું.. જો ભાજપના સંગઠને મહેનત કરી હશે તો ટફ ફાઈટ હોવા છતાંય ભાજપ જીત હાંસલ કરી શકે છે..



જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો પરંતુ નેતા જતા રહ્યા મેવા ખાવા!

તે સિવાય માણાવદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને જ ટિકીટ આપી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હરિભાઈ કણસાગરાને ઉતારવામાં આવ્યા. અરવિંદ લાડાણી આ વખતે ચૂંટણી હારી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.. સેવા કરવા માટે આવેલા નેતાઓ જ્યારે મેવાની પાછળ દોડે ત્યારે જનતા નેતા પર વિશ્વાસ ના કરે તેની નવાઈ નહીં.. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર છે જ્યારે રાજુ ઓડેદરાને ટિકીટ આપવામાં આવી છે.. અર્જુન મોઢવાડિયા સારી લીડથી આ વખતે ચૂંટણી જીતી શકે છે તેવું લાગી રહ્યું છે. 



કઈ બેઠક પર કયા ઉમેદવાર ભારે? 

વાઘોડિયા પેટા ચૂંટણીની વાત કરીએ તો અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા પરંતુ તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને તેમણે કેસરિયો ધારણ કર્યો. ભાજપે તેમને આ જ વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કનુભાઈ ગોહિલને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત જીતી શકે છે તેવું લાગી રહ્યું છે.. વિજાપુર પેટા ચૂંટણીની વાત કરીએ તો સી.જે.ચાવડાને ભાજપે ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત દિનેશ પટેલને ટિકીટ આપવામાં આવી છે.. સી.જે.ચાવડાની લીડ વધે તે માટે ભાજપના સંગઠને ખૂબ મહેનત કરી છે. સી.જે ચાવડા જીતી શકે છે.. 



આ તો જનાદેશ છે.. 

મહત્વનું છે કે આ વખતે પેટા ચૂંટણી માટે થતા મતદાનમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. મતદાતા પણ વિચાર હોય છે કે આ નેતા પર કેવી રીતે ભરોસો કરાય? જેમને પહેલા મત આપી જીતાડ્યા તેમણે રાજીનામું આપી દીધું.. આ વખતે તે આવું નહીં કરે તેની ગેરંટી કદાચ મતદાતાઓને ના હોય..  આ તો એક અનુમાન છે કે આ બેઠકો પર આ ઉમેદવાર જીતી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોણ કઈ બેઠક પરથી જીતે છે.. આખરે આ તો જનાદેશ છે..       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે