લવ મેરેજને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, કાયદા બનાવવા અંગે આપ્યો ઈશારો, સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 16:04:26

લવ મેરેજના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજની પેઢી એવી છે જે અરેંજ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કરવાનું પસંદ કરી રહી છે. લવ મેરેજનો વિરોધ અનેક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. માતા પિતાનું કહેવું હોય છે કે પ્રેમલગ્ન કરી સંતાનો તેમને દગો આપતા હોય છે. પ્રેમ લગ્ન કરનાર દંપત્તિ સમાજમાં માતા પિતાની ઈમેજને ખરાબ કરે છે. તેમની આંખો શરમથી નમી જાય છે. ત્યારે ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ કોઈ કાયદો આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક નિવેદન આપ્યું છે જેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે.

પ્રેમલગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવી થશે ફરજીયાત! 

ગુજરાતમાં લવ મેરેજમાં વાલીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા હતા. આ મામલે કડક કાયદો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે આ મામલે ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી અને આવનાર સમયમાં આ અંગે કાયદો પણ લાવવમાં આવી શકે છે તે તરફ તેમણે ઈશારો કર્યો હતો. મહત્વનું છે થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર દ્વારા પણ આને લઈ માગ કરવામાં આવી હતી.  


અનેક યુવાનો વળી રહ્યા છે પ્રેમલગ્ન તરફ!

મહત્વનું છે કે યુવાનોમાં લવમેરજનો કેઝ વધતો જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પિતા પુત્રી સામે કરગરી રહ્યા હતા. લવ મેરેજને લઈ યુવાનો પોતાના માતા પિતા વિરૂદ્ધ થઈ જતા હોય છે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં માતા પિતા સંતાન માટે જીવનસાથી શોધતા હતા અને હવેના સમયમાં સંતાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે. ત્યારે સીએમના આ નિવેદન પર અનેક લોકોએ સમર્થન કર્યું છે. હવે જોવું રહ્યું કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીઓની પરવાનગી લેવાનો કાયદો આવે છે કે નહીં? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.