લવ મેરેજને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, કાયદા બનાવવા અંગે આપ્યો ઈશારો, સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 16:04:26

લવ મેરેજના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજની પેઢી એવી છે જે અરેંજ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કરવાનું પસંદ કરી રહી છે. લવ મેરેજનો વિરોધ અનેક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. માતા પિતાનું કહેવું હોય છે કે પ્રેમલગ્ન કરી સંતાનો તેમને દગો આપતા હોય છે. પ્રેમ લગ્ન કરનાર દંપત્તિ સમાજમાં માતા પિતાની ઈમેજને ખરાબ કરે છે. તેમની આંખો શરમથી નમી જાય છે. ત્યારે ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ કોઈ કાયદો આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક નિવેદન આપ્યું છે જેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે.

પ્રેમલગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવી થશે ફરજીયાત! 

ગુજરાતમાં લવ મેરેજમાં વાલીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા હતા. આ મામલે કડક કાયદો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે આ મામલે ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી અને આવનાર સમયમાં આ અંગે કાયદો પણ લાવવમાં આવી શકે છે તે તરફ તેમણે ઈશારો કર્યો હતો. મહત્વનું છે થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર દ્વારા પણ આને લઈ માગ કરવામાં આવી હતી.  


અનેક યુવાનો વળી રહ્યા છે પ્રેમલગ્ન તરફ!

મહત્વનું છે કે યુવાનોમાં લવમેરજનો કેઝ વધતો જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પિતા પુત્રી સામે કરગરી રહ્યા હતા. લવ મેરેજને લઈ યુવાનો પોતાના માતા પિતા વિરૂદ્ધ થઈ જતા હોય છે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં માતા પિતા સંતાન માટે જીવનસાથી શોધતા હતા અને હવેના સમયમાં સંતાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે. ત્યારે સીએમના આ નિવેદન પર અનેક લોકોએ સમર્થન કર્યું છે. હવે જોવું રહ્યું કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીઓની પરવાનગી લેવાનો કાયદો આવે છે કે નહીં? 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી