સનાતન Vs સ્વામિનારાયણઃ મૂર્તિ વિવાદ પર ગુજરાત સરકાર સંતોની મધ્યસ્થતા કરવાની ભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-09-04 19:43:47

બંને પક્ષના સંતો સાથે CMની દોઢ કલાક ચર્ચા 

સાળંગપુર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ દેખાડવામાં આવ્યા છે અને હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે તે મામલે રાજ્યભરમાં ભણકારા વાગ્યા અને સંતો મહંતોએ બેઠકોનો દોર શરૂ કર્યો. આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ ગઈ છે. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંતોની બેઠક મળી છે. લગભગ દોઢ કલાક જેટલી બેઠક યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાહેંધરી આપી હતી કે અમે 36 કલાકની અંદર ભીંત ચિત્રો હટાવી દેશું જેથી વિવાદ શમી જાય. 


બંને ત્રાજવામાં પગ મૂકી સરકાર માછલીની આંખ વિંધશે!

આપણે જાણીએ જ છીએ કે ગઈકાલે અમદાવાદમાં સાણંદ હાઈવે નજીક લંબે નારાયણ આશ્રમ ખાતે સનાતની સંતોની બેઠક મળી હતી જેમાં સંતો, મહંતો, અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. બધા સંતોએ એક પછી એક પોતાની વાત રાખી હતી અને પછી સનાતની સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે અમુક નિર્ણયો લીધા હતા. સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું પ્રણ લીધું હતું. ગુજરાત અને દેશના લગભગ 500થી વધુ સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે માહોલ ગરમાઈ ગયો હતો અને અંતે સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયે નિવેદન આપ્યું હતું. 


સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે RSSની મધ્યસ્થ ભૂમિકા

Ram Madhav Met The Saints In Salangpur | Salangpur Controversy: સાળંગપુર  મંદિર વિવાદ મામલે RSSની એન્ટ્રી, રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત

ગઈકાલે આપણે જોયું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે રામ માધવ પણ જોવા મળ્યા હતા જે એક મહત્વની વાત હતી. અનેક પ્રતિક્રિયા એવી પણ આવી કે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી આવ્યા હતા અને મધ્યસ્થ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંમત્રી હર્ષ સંઘવી, વડતાલ અને કાલુપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો હાજર રહ્યા હતા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બાહેંધરી બાદ કાર્યવાહીની રાહ લોકો જોઈ રહ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .