સનાતન Vs સ્વામિનારાયણઃ મૂર્તિ વિવાદ પર ગુજરાત સરકાર સંતોની મધ્યસ્થતા કરવાની ભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-09-04 19:43:47

બંને પક્ષના સંતો સાથે CMની દોઢ કલાક ચર્ચા 

સાળંગપુર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ દેખાડવામાં આવ્યા છે અને હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે તે મામલે રાજ્યભરમાં ભણકારા વાગ્યા અને સંતો મહંતોએ બેઠકોનો દોર શરૂ કર્યો. આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ ગઈ છે. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંતોની બેઠક મળી છે. લગભગ દોઢ કલાક જેટલી બેઠક યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાહેંધરી આપી હતી કે અમે 36 કલાકની અંદર ભીંત ચિત્રો હટાવી દેશું જેથી વિવાદ શમી જાય. 


બંને ત્રાજવામાં પગ મૂકી સરકાર માછલીની આંખ વિંધશે!

આપણે જાણીએ જ છીએ કે ગઈકાલે અમદાવાદમાં સાણંદ હાઈવે નજીક લંબે નારાયણ આશ્રમ ખાતે સનાતની સંતોની બેઠક મળી હતી જેમાં સંતો, મહંતો, અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. બધા સંતોએ એક પછી એક પોતાની વાત રાખી હતી અને પછી સનાતની સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે અમુક નિર્ણયો લીધા હતા. સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું પ્રણ લીધું હતું. ગુજરાત અને દેશના લગભગ 500થી વધુ સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે માહોલ ગરમાઈ ગયો હતો અને અંતે સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયે નિવેદન આપ્યું હતું. 


સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે RSSની મધ્યસ્થ ભૂમિકા

Ram Madhav Met The Saints In Salangpur | Salangpur Controversy: સાળંગપુર  મંદિર વિવાદ મામલે RSSની એન્ટ્રી, રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત

ગઈકાલે આપણે જોયું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે રામ માધવ પણ જોવા મળ્યા હતા જે એક મહત્વની વાત હતી. અનેક પ્રતિક્રિયા એવી પણ આવી કે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી આવ્યા હતા અને મધ્યસ્થ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંમત્રી હર્ષ સંઘવી, વડતાલ અને કાલુપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો હાજર રહ્યા હતા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બાહેંધરી બાદ કાર્યવાહીની રાહ લોકો જોઈ રહ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.