ગુજરાતના મુખ્યમંત્રીને મળી બે કિલો ટામેટાની ભેટ, જાણો કોણે આપી ભેટ અને શા માટે?


  • Published By :
  • Published Date : 2023-07-12 10:51:45

થોડા સમય પહેલા 25 રુપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે 150 રુપિયાથી વધારે ભાવે વેચાઈ રહ્યા છે. જૂન મહિનામાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા હતા જ્યારે આગામી દિવસોમાં ટામેટાની કિંમત 200ને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટામેટાના ભાવ વધતા જ અલગ અલગ રીતે લોકો તેમજ વેપારીઓ વિરોધ કરી સરકાર સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે કે ટામેટાના ભાવમાં ઘટાડો કરો. શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ વધતા ટામેટાના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વધતા ભાવનો અનોખો વિરોધ કર્યો છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રીને બે કિલો ટામેટા ભેટ કર્યા છે. એમેઝોન દ્વારા ઓર્ડર કરી સીએમ સુધી ટામેટા પહોંચાડ્યા હતા. 


કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યો છે મોંઘવારીનો વિરોધ 

એક સમય એવો હતો કે વધતા પેટ્રોલ ડિઝલના ભાવ સમાચારોની હેડલાઈન્સમાં રહેતા હતા. આજે પણ આવા સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ તે ટામેટાના ભાવ વધારાના હોય છે. એક સમય એવો હતો કે ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ મળતા ન હતા તેથી તે દુખી હતા, રડતા હતા પરંતુ હવે એકાએક ભાવ વધારાથી ખેડૂતો નહીં પરંતુ મધ્યમ વર્ગનો માણસ રડી રહ્યો છે. ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારો થતાં અનેક લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અનેક વખત લગાવવામાં આવ્યા છે. ત્યારે ટામેટાના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો છે. 


મુખ્યમંત્રીને અમિત ચાવડાએ આપી ટામેટાની ભેટ

થોડા સમય પહેલા કોંગ્રેસે એક ટ્વિટ કરી હતી જેમાં શાકભાજીને બેસ્ટ ગિફ્ટ ઓપ્શન બતાવવામાં આવ્યું હતું. ત્યારે આ વાતનું અમલીકરણ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કરી બતાવ્યું છે. અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટામેટાની ભેટ આપી છે. ઓનલાઈન પેમેન્ટ કરી મુખ્યમંત્રી સુધી ટામેટા પહોંચાડ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા મોકી આપી, મેં ગૃહિણીઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોંઘવારી સામેની તેમની વ્યથાને પ્રતિકાત્મક રૂપે વાચા આપી છે. મહત્વનું છે કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવતો હોય છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.