ગુજરાતના મુખ્યમંત્રીને મળી બે કિલો ટામેટાની ભેટ, જાણો કોણે આપી ભેટ અને શા માટે?


  • Published By :
  • Published Date : 2023-07-12 10:51:45

થોડા સમય પહેલા 25 રુપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે 150 રુપિયાથી વધારે ભાવે વેચાઈ રહ્યા છે. જૂન મહિનામાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા હતા જ્યારે આગામી દિવસોમાં ટામેટાની કિંમત 200ને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટામેટાના ભાવ વધતા જ અલગ અલગ રીતે લોકો તેમજ વેપારીઓ વિરોધ કરી સરકાર સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે કે ટામેટાના ભાવમાં ઘટાડો કરો. શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ વધતા ટામેટાના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વધતા ભાવનો અનોખો વિરોધ કર્યો છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રીને બે કિલો ટામેટા ભેટ કર્યા છે. એમેઝોન દ્વારા ઓર્ડર કરી સીએમ સુધી ટામેટા પહોંચાડ્યા હતા. 


કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યો છે મોંઘવારીનો વિરોધ 

એક સમય એવો હતો કે વધતા પેટ્રોલ ડિઝલના ભાવ સમાચારોની હેડલાઈન્સમાં રહેતા હતા. આજે પણ આવા સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ તે ટામેટાના ભાવ વધારાના હોય છે. એક સમય એવો હતો કે ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ મળતા ન હતા તેથી તે દુખી હતા, રડતા હતા પરંતુ હવે એકાએક ભાવ વધારાથી ખેડૂતો નહીં પરંતુ મધ્યમ વર્ગનો માણસ રડી રહ્યો છે. ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારો થતાં અનેક લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અનેક વખત લગાવવામાં આવ્યા છે. ત્યારે ટામેટાના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો છે. 


મુખ્યમંત્રીને અમિત ચાવડાએ આપી ટામેટાની ભેટ

થોડા સમય પહેલા કોંગ્રેસે એક ટ્વિટ કરી હતી જેમાં શાકભાજીને બેસ્ટ ગિફ્ટ ઓપ્શન બતાવવામાં આવ્યું હતું. ત્યારે આ વાતનું અમલીકરણ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કરી બતાવ્યું છે. અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટામેટાની ભેટ આપી છે. ઓનલાઈન પેમેન્ટ કરી મુખ્યમંત્રી સુધી ટામેટા પહોંચાડ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા મોકી આપી, મેં ગૃહિણીઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોંઘવારી સામેની તેમની વ્યથાને પ્રતિકાત્મક રૂપે વાચા આપી છે. મહત્વનું છે કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવતો હોય છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.