Gujarat : ખાડારાજની સામે નાગરિકોએ આવી રીતે દર્શાવ્યો વિરોધ! જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં ભાજપના ઝંડા લગાવી દીધા!


  • Published By :
  • Published Date : 2024-07-19 18:02:02

સામાન્ય વરસાદ આવતાની સાથે જ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે.. કરોડોના ખર્ચે બનાવાતા રસ્તા પર વરસાદ થતાની સાથે જ ખાડાઓ પડવા લાગે છે.. અનેક જગ્યાઓ પર તો મોટા મોટા ભુવાઓ પડતા હોય છે જેમાં આખે આખી બસ સમાઈ જાય.. સરકાર સુધી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચે તે માટે ભાજપના ઝંડાને ખાડામાં લગાવી રહ્યા છે. આ જાણે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે..  



ગાંધીનગરથી સામે આવ્યા હતા દ્રશ્યો 

સુરતથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જ્યાં ખાડો હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં સરકારની આંખ ઉઘાડવા ભાજપના ઝંડા લગવવામાં આવી રહ્યા છે.. વધારે પડતાં ખાડા પડે ત્યારે કોંગ્રેસ કે આપ કે પછી સામાન્ય નાગરિક આ રીતે ભાજપના ઝંડા ખાડામાં લગાવી દે છે. પહેલા આવા દ્રશ્યો ગાંધીનગરથી આવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં અતિ વરસાદ થયો હતો. ત્યારે લોકોએ આ રીતે જ વિરોધ બતાવ્યો હતો. 

Image


સુરતમાં ભાજપના ઝંડા લગાવી કરવામાં આવ્યો વિરોધ

સુરતના પુણા વિસ્તારથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ્યાં ભૂવા પડ્યા હોય ત્યાં આ રીતે ઝંડા લાગવી દેવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું.  કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા.



શું કહ્યું કોર્પોરેટરે?

બાદમાં આપ કોર્પોરેટર કુંદન કોઠીયાએ જણાવ્યું કે, ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતાં પણ ખચકાશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે. શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .