Gujarat : ખાડારાજની સામે નાગરિકોએ આવી રીતે દર્શાવ્યો વિરોધ! જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં ભાજપના ઝંડા લગાવી દીધા!


  • Published By :
  • Published Date : 2024-07-19 18:02:02

સામાન્ય વરસાદ આવતાની સાથે જ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે.. કરોડોના ખર્ચે બનાવાતા રસ્તા પર વરસાદ થતાની સાથે જ ખાડાઓ પડવા લાગે છે.. અનેક જગ્યાઓ પર તો મોટા મોટા ભુવાઓ પડતા હોય છે જેમાં આખે આખી બસ સમાઈ જાય.. સરકાર સુધી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચે તે માટે ભાજપના ઝંડાને ખાડામાં લગાવી રહ્યા છે. આ જાણે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે..  



ગાંધીનગરથી સામે આવ્યા હતા દ્રશ્યો 

સુરતથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જ્યાં ખાડો હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં સરકારની આંખ ઉઘાડવા ભાજપના ઝંડા લગવવામાં આવી રહ્યા છે.. વધારે પડતાં ખાડા પડે ત્યારે કોંગ્રેસ કે આપ કે પછી સામાન્ય નાગરિક આ રીતે ભાજપના ઝંડા ખાડામાં લગાવી દે છે. પહેલા આવા દ્રશ્યો ગાંધીનગરથી આવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં અતિ વરસાદ થયો હતો. ત્યારે લોકોએ આ રીતે જ વિરોધ બતાવ્યો હતો. 

Image


સુરતમાં ભાજપના ઝંડા લગાવી કરવામાં આવ્યો વિરોધ

સુરતના પુણા વિસ્તારથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ્યાં ભૂવા પડ્યા હોય ત્યાં આ રીતે ઝંડા લાગવી દેવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું.  કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા.



શું કહ્યું કોર્પોરેટરે?

બાદમાં આપ કોર્પોરેટર કુંદન કોઠીયાએ જણાવ્યું કે, ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતાં પણ ખચકાશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે. શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."