Gujarat Congress અને Yuvrajsinhએ શિક્ષકોને લઈ કરી ટ્વિટ! ગુજરાતની સરકારી સ્કૂલોમાં 22 હજાર શિક્ષકોની ઘટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:54

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનસહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. ફરી એક વખત શિક્ષકોને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગરીબ મધ્યમ વર્ગના બાળકને યોગ્ય શિક્ષણ મળે, ભણી ગણી આગળ વધે તે માટે સરકારી શાળાઓમાં શિક્ષકો વધવા જોઈએ અહીંયા તો ઉલટી ગંગા ચાલી રહી છે. ખાલી જગ્યાઓ પર ભરતી જ કરવામાં નથી આવતી. અમુક જે ભરતી છે તેમાં શોષણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.   

વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા!

ગુજરાતમાં એમ પણ શિક્ષકોની ઘટ છે તેમ છતાં ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા તો કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ તેમજ આપ દ્વારા પણ માગ કરવામાં આવી રહી છે. આપે ઉમેદવારોના સમર્થનમાં ઉલટી દાંડી યાત્રાનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ફરી એક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. પેપર કટિંગ સાથે તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં એવું હોય જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકારી મહેકમમાં વધારો થવો જોઈએ. સરકારી સંસ્થાઓ વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા મહેકમ વધવું જોઈએ. અહીંયા ગુજરાતમાં તો સાવ ઉલટું જ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા. 


અનેક ગામડાઓમાં નથી પહોંચ્યો વિકાસ 

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક એવા ઉદાહરણો સામે છે જેમાં સરકારી શાળાની પરિસ્થિતિ કેવી છે તેની જાણ થાય છે. મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, મોટા મોટા શહેરોમાં વિકાસ થાય પણ છે પરંતુ વિકસીત ગુજરાતમાં પણ અનેક એવા ગામડાઓ છે જ્યાના લોકો હજી પણ વિકાસ માટે ઝંખે છે. પ્રાથમિક સુવિધાઓ માટે પણ તેમને વલખા મારવા પડે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.