Gujarat Congress અને Yuvrajsinhએ શિક્ષકોને લઈ કરી ટ્વિટ! ગુજરાતની સરકારી સ્કૂલોમાં 22 હજાર શિક્ષકોની ઘટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:54

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનસહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. ફરી એક વખત શિક્ષકોને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગરીબ મધ્યમ વર્ગના બાળકને યોગ્ય શિક્ષણ મળે, ભણી ગણી આગળ વધે તે માટે સરકારી શાળાઓમાં શિક્ષકો વધવા જોઈએ અહીંયા તો ઉલટી ગંગા ચાલી રહી છે. ખાલી જગ્યાઓ પર ભરતી જ કરવામાં નથી આવતી. અમુક જે ભરતી છે તેમાં શોષણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.   

વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા!

ગુજરાતમાં એમ પણ શિક્ષકોની ઘટ છે તેમ છતાં ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા તો કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ તેમજ આપ દ્વારા પણ માગ કરવામાં આવી રહી છે. આપે ઉમેદવારોના સમર્થનમાં ઉલટી દાંડી યાત્રાનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ફરી એક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. પેપર કટિંગ સાથે તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં એવું હોય જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકારી મહેકમમાં વધારો થવો જોઈએ. સરકારી સંસ્થાઓ વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા મહેકમ વધવું જોઈએ. અહીંયા ગુજરાતમાં તો સાવ ઉલટું જ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા. 


અનેક ગામડાઓમાં નથી પહોંચ્યો વિકાસ 

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક એવા ઉદાહરણો સામે છે જેમાં સરકારી શાળાની પરિસ્થિતિ કેવી છે તેની જાણ થાય છે. મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, મોટા મોટા શહેરોમાં વિકાસ થાય પણ છે પરંતુ વિકસીત ગુજરાતમાં પણ અનેક એવા ગામડાઓ છે જ્યાના લોકો હજી પણ વિકાસ માટે ઝંખે છે. પ્રાથમિક સુવિધાઓ માટે પણ તેમને વલખા મારવા પડે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.